Wednesday 16 December 2020

મુંબઈથી પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝિનનાં ડિસેમ્બર 2020 ના અંકમાં મારો લેખ......"સમસ્યાની આરપાર".....✍️🌪️💫✨☄️

"સમસ્યાની આરપાર"...

           તમે સમસ્યા વિનાની જિંદગીની કલ્પના કરી છે ખરી?? સમસ્યા જીવનમાં હોવી એ પ્રશ્ન નથી. પ્રશ્ન ત્યારે થાય છે જ્યારે સમસ્યાને તમે સાથે લઇને જીવો છો, સમસ્યામાં તમે ગરકાવ થાવ છો,સમસ્યાને તમે પોતાનાં પર હાવી થવા દો છો. પાણીમાં રહેલી અશુદ્ધિઓ કમળને સ્પર્શે છે ખરી?? બગલો કાદવમાં ,માટીમાં રહેતો હોવા છતાં કદી તેનાં સફેદ પોત પર ડાઘા પડેલાં જોયા છે??

               જિંદગી આપણી કલ્પનાના કેનવાસ પર ચીતરેલી નથી હોતી. તેનું પોતાનું પોત છે. પોતાના રંગો છે. પોતાનું આખેઆખું એક મેઘ ધનુષ છે. બધા જ રંગો આપણને અનુકૂળ ,આપણને ગમે તેવા જ હોય એ જરૂરી નથી. અને તે ખરબચડાપણા,અતરંગીપણા માં જ તેની સુંદરતા છે ,મર્મ છે. અટપટાપણુ અને ગુઢતા એ જીવન નો સ્વભાવ છે. તેમાં ખુપ્યા વગર તેને પામી, માણી કે જાણી શકાય જ નહીં. આ માર્ગમાં એક બેટરી હંમેશા પોતાની સાથે રાખજો. હકારાત્મકતા ની. અને તેને અંતરાત્માના અવાજ રૂપી ઉર્જાથી હંમેશા ચાર્જ રાખજો. તો ક્યારેય તમે જીવનમાં કોઈ સમસ્યા નહીં થાય.

         જીવનમાં મુશ્કેલી ,તકલીફ હોવી અને તેની સમસ્યા આપણને થવી બંને અલગ વસ્તુ છે. કેટલાક લોકોને જીવનમાં કેટલીય આર્થિક ,સામાજિક, માનસિક શારીરિક મુશ્કેલીઓ હોય છે. પણ તે તો સતત સારા કાર્યોમાં વ્યસ્ત રહી, પ્રસન્નચિત્ત જ રહેતાં હોય છે. તેમના સંપર્કમાં આવતી કોઈપણ વ્યક્તિ ક્યારેય કળી ન શકે કે આ વ્યક્તિનાં જીવનમાં આટલી બધી તકલીફો હશે. તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓને જો તમારા જીવન પ્રવાહમાં, તમારી પ્રસન્નતામાં તમે દખલરુપ થવા દો, સ્પર્શવા થવા દો તો જ તે તમારા માટે સમસ્યારૂપ બનશે. બાકી તો સમય પર છોડી દેશો તો તે તો આવશે ને જશે. આપણે તો સતત પોઝીટીવ, સતત પોતાના કર્મમાં વ્યસ્ત અને "જીવવામાં"મશગુલ, તનમય રહીએ તો તકલીફોને પણ આપના આનંદથી ઈર્ષા આવશે.

      
           ધ્રુવ ભટ્ટની અહીં થોડી પંક્તિઓ યાદ આવે છે...

મુઠ્ઠી ભરીને વ્હાલ વહેંચતા રહો, ને ભલે આપણી હથેળી હોય ખાલી...
દરિયાને પૂછવાનું ટાળજો કે ભાઈ તને ભરતી ગમે કે ઓટ વ્હાલી..
પંખી તો કોઈનેય કહેતું નથી કે એને પીછા માં સાચવ્યું છે શું....
મારામાં આરપાર સાત સાત દરિયા અને દરિયામાં આરપાર તું....

             નદી જેમ તળીએ માટી, રેતી, પથ્થર કંઈ કેટલાય કચરા ધરબીને  ખળખળ વહેતી , આ બધાથી સાવ નિર્લેપ રહી આગળ વધતી જાય છે. બસ આમ જ બધી તકલીફો મુશ્કેલીઓને ધરબી દઈ આપણે મસ્ત મોલા ની જેમ જ પ્રસન્નતા વહેંચતા આત્મીયતા થી જીવી જવાનું છે.

                ગુસ્સો આવવો, દુઃખ થવું, સારું ફીલ થવું, ખુશી થવી તકલીફ થવી, એ માનવ સહજ સંવેદના ઓ છે. ને સહજ છે. તમને ક્યારેય દુઃખ નહીં જ થાય. એવું તો શક્ય જ નથી પણ તમારાં મનની શાંતિ ને ડહોળે એ ન જ થવું જોઈએ. જે ભાવ જે પરિસ્થિતિ તમારા મનની શાંતિને, ભીતરના સ્વ ને ડહોળી નાખે તે હદે પોતાના પર હાવી ન થવા દેવી. તો ક્યારેય તે તમારા માટે સમસ્યારૂપ નહીં બને. સારા પુસ્તકોનું વાંચન એ જીવનના ગૂઢ રહસ્યોને સમજવા, જીવનને સાચા અર્થમાં માણવા, એક ટોનિક પૂરું પાડે છે. કારણકે તમે ઘણા બધા જીવન એક સાથે જીવો છો. ઘણા બધા અનુભવો ને એક સાથે જીવો છો જેથી પોતાના જીવનમાં આવતી મોટાભાગની મુશ્કેલી ,તકલીફ અને કહેવાતી સમસ્યાઓ ના અર્થપૂર્ણ અને સાચા નિરાકરણ તેમાંથી આપણને મળી રહે છે. so keep reading keep living lively......

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ..
એકલો ઊભું ને તોય મેળામાં હોય એવું લાગ્યા કરે છે મને રોજ,
આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી..
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી ,પરવા સમંદરને હોતી..
સૂરજ તો ઊગે ને આથમી એ જાય ,મારી ઉપર આકાશ એમનેમ છે..
આપણે તો કહીએ કે દરિયા શી મોજ માં ને ઉપરથી કુદરતની રહેમ છે.

----ધ્રુવ ભટ્ટ

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com
Mitalparibhasha.blogspot.com

Thursday 10 December 2020

ગુર્જર ગર્જના ન્યૂઝપેપરમાં મારી કોલમ "પરિભાષા"નો લેખ

"સમ" બંધમાંથી..... "સમાંતર" બંધ તરફ સરતા સંબંધો.....🪴💫

                 પહેલાં લાગણી અને હુંફના સેતુ પર પરસ્પરના સહિયારા સંગાથથી એ બંધ પર હેલી ની માફક સબંધો જીવાતા. સેતુ (બંધ) અકબંધ રહે તો તો વાંધો નહીં. પણ જો હાલકડોલક થાય તો પણ એક જ સેતુથી જોડાયેલા હોવાથી માનસિક રીતે એકબીજાથી લગોલગ જીવાતા  સંબંધો એટલે એ સેતુ (બંધ) હાલકડોલક ભલે થાય પણ તૂટવા ક્યારેય નહોતા દેતાં.

            હવે સેતુ તો એકબીજા સાથે જોડાયેલા હોય છે લાગણી પણ હોય છે પણ પોતાની શરતો ને આધીન. તું આ પ્રકારનું વર્તન કરીશ , તારામાં આ આ ગુણ હશે... તું આટલા પૈસા કમાઈશ કે આટલી મારી જરૂરિયાત પૂરી કરીશ તો જ આ લાગણીનો સેતુ તારાં સાથે જોડાયેલો રહેશે અને તેવી જ અપેક્ષિત સેતુ સામેવાળી વ્યક્તિનો પણ પોતીકા વ્યક્તિ માટે હોય છે. જો તેમાં સહેજ પણ ચૂક થાય કે અસફળ થવાય તો સેતુ ફટ દઈને તૂટી જાય. ને સમાંતર જીવતા બે સંબંધો, ને સમાંતર જીવાતા બે સ્વતંત્ર વ્યક્તિત્વ અલગ થઈ જાય કારણ કે તેઓ ક્યારેય "સમ"બંધથી જોડાયા જ નહોતા..... માત્ર સંબંધમાં "હતા"... સંબંધમાં "જોડાયા" નહતાં.

             બે સમાંતર રેખાઓ આગળ જતાં ક્યારેય ભેગી નથી થઈ શકતી. એવી જ રીતે પોતાની શરતો , અપેક્ષાઓ ને આધીન સમાંતર જીવાતા સંબંધો સુખ નથી આપી શકતાં કારણ કે ક્યારેય એકાત્મ નથી સાંધી શકતાં.

               એમાં દરેક વ્યક્તિને પોતાને ખુશ રહેવું હોય છે જ્યારે "સમ" બંધમાં એકબીજાને ખુશ રાખવા હોય છે.તેવી જ રીતે "સમાંતર" બનવા પોતાને જ સુખી થવું હોય છે જ્યારે "સમ"બંધમાં એકબીજાનો માત્ર દુઃખમાં જ નહીં સુખમાં, આનંદમાં પણ સંગાથે ઊભા રહી, જીવનને સંગાથે ઉજવી એકબીજાને સુખી કરવાનો હોય છે.

              જેમ તોરણ બાંધી દેવાથી માત્ર ઉત્સવ નથી અનુભવાતો. જીવન નો ઉત્સવ ઉજવવા તો કોઈના જીવનમાં તોરણ બની જીવન ઉત્સવ જેવું રળિયામણું બનાવવું પડે છે. જ્યારે તમે સામેવાળી વ્યક્તિને જીવાડો છો સાચા અર્થમાં. ત્યારે તમે પોતે સાચું જીવતા હોવ છો.જ્યારે તમે  એકાત્મતા  પોતે અનુભવતાં હોવ ત્યારે જ તમે સામેવાળી વ્યક્તિ ની એકલતાને એકાંતોત્સવમાં ફેરવી શકો છો. ચાંદની આભમાં ભલે શોભતી હોય તારાં, વાદળ, ધૂમકેતુ જેવાં ઘરેણાં પહેરી..... પણ તેનું અસ્તિત્વ, તેનું એકાત્મ તો ચંદ્ર 🌙 જોડે જ જોડાયેલું હોય છે.

   છે લગોલગ, તોય અંતરે.....

           આ તો ચાંદની ને ચાંદ જેવું....

છે મોજે મોજ... તોય થનગને.....

           આતમને મળવા પરમાતમ જેવું...

મિતલ પટેલ 
"પરિભાષા"
 અમદાવાદ

Wednesday 2 December 2020

ગુર્જર ગર્જના ન્યૂઝપેપરમાં મારી કોલમ "પરિભાષા"નો લેખ

"જિજીવિષા" ટકાવી રાખવા મરજીવા બનવું પડે.....📚💫✨🪶

         હાલ પેપરમાં ક્યાંક વાંચ્યું કે 101 વર્ષના ડોશીમાં એ ત્રણ વાર કોરોના ને મ્હાત આપી. કારણ તેમનું સ્વાસ્થ્ય તો ખરું જ પણ સાથે સાથે ખૂબ જ મહત્વનું પરિબળ તેમની જીવવાની "જિજીવિષા". કંઈ કેટલીયે મુશ્કેલીથી ઘેરાતો માણસ એકમાત્ર જીજીવિષા નાં જોરે સામનો કરી પ્રસન્નતા ભર્યા જીવન પર હસ્તાક્ષર કરી જાય છે. કેટલાક દેખીતી રીતે કોઈ જ કમી જીવનમાં ન હોય તો પણ નાની અમથી આફત આવતાં નિરાશ થઈ આધુનિક યુગમાં ફ્રસ્ટેશન અને ડિપ્રેશનના શિકાર બની જતાં હોય છે.

          શબ્દ "જિજીવિષા" નો મર્મ સ્વકેન્દ્રીપણામાંથી બહાર આવી દરેક વસ્તુ, દરેક વ્યક્તિ ,દરેક પ્રકૃતિ સાથે સંલગ્ન ક્ષણોમાં છુપાયેલ ચૈતન્યને જીવવા માં રહેલી છે. જીવન જ આપણને જીવતાં શીખવાડે છે. જીવનનાં અનુભવ પોતે જ આપણને તરતાં શીખવાડે છે. જેમ વિહવળતા આપણને ધીરજ નું મૂલ્ય શીખવાડે છે. અશાંતિ, કંકાસ નો અનુભવ આપણને મનની શાંતિનું જીવનમા  રહેલ મૂલ્યની અનુભૂતિ આપે છે. તકલીફ આપણને સ્વ થી અને સૌથી વધુ નજીક લઈ જાય છે. રસ્તો ભુલો પડ્યા પછી જ આપણને નકશાની વેલ્યુ સમજાય છે. આ નકશો આપણને પ્રિયજન, આત્મીયજન ની હુંફ માંથી મળે છે. જીવનના અનુભવો ક્યારેય ડૂબતા શીખવાડતા જ નથી ...માત્ર તરતાં જ શીખવે છે. જો શીખવાનું છોડી દેશો ને સ્થગિત થઈ જશો તો તમે ચોક્કસ ડૂબવાના.

            આપણી સમક્ષ અલગ અલગ ચેલેન્જ મૂકી અલગ-અલગ કઠિન પરિસ્થિતિ મૂકી ઈશ્વર રોજ એક નવો લેસન શીખવવા માગે છે. આપને તે શીખવાનો દ્રષ્ટિકોણ કેળવવાનો છે. તે માટે સૌથી પહેલાં "હું" માંથી બહાર આવવું પડે. "હું" ભૂલ કરી જ ન શકું. "હું" કરું ને હું કહું તે જ સાચું અને યોગ્ય હોય. "મારી" ટીકા કરવાવાળા બધા ખરાબ જ છે. "મેં" મારા જીવનમાં ઘણું બધું સહન કર્યું છે એટલે "હું" જ અનુભવી. "હું "જ જ્ઞાની. આ "હું" પણામાંથી પહેલા બહાર આવવું પડે. મારું અસ્તિત્વ એટલે પરમાત્માનો એક નાનો અંશ એથી વિશેષ કંઈ જ નહીં. હું એટલે નિમિત્ત માત્ર. એ ભાવ કેળવવો પડે.

           તમે તમારા મનને પૂછો.. તમને કોણ જિવાડે છે?? તમને કંઈ ક્ષણો જીવંતતા થી ભરપુર રાખે છે?? શું તમને કોઈ એવોર્ડ અને પ્રમાણપત્ર મળ્યાં હતા તે કે આત્મીય જણ સાથે લાગણી થી ભરપુર જીવેલો થોડોક સમય....??....
હસીને સમૂહમાં ઉજવેલો ઉત્સવ કે નવા કપડાં પહેરી મેકઅપ કરી લીધેલા સેલ્ફીઓના બનાવેલ આલ્બમ ના અવશેષો?? નદી કે દરિયાને કિનારે પ્રકૃતિના ખોળામાં તેના સહવાસમાં વિતાવેલી ક્ષણો કે હોટલમાં ખાધેલા પિત્ઝા??

              મને બાળકો અને પ્રકૃતિ વચ્ચે ક્યારેય કોઇ વિશેષ અંતર જણાયું નથી. બંને સાવ નિર્મળ , સાવ સહજ, ખુદને પ્રસન્નતાથી તરબતર કરી દેતી ઊર્જાસભર  સંવેદનાઓ, ખાલીખમ મનને વ્હાલ થી ભરેલું ભરેલું રાખતી તે બાળ સહજ ચેષ્ટાઓ. બાળકના ખડખડાટ હસવાનો અવાજ હોય કે ઝરણાનો ખળખળ વહેવાનો અવાજ મને બંને હંમેશા સરખા લાગ્યા છે. તો આ બધી ક્ષણો જે આપણને સાચા અર્થમાં જીવાડે છે તેને જીવો. જે જિજીવિષા આપની ટકાવી રાખશે.

ખૂટે નહીં વાતો તારી ને 
       મન મારું ભરાય નહીં.....!!

તું સાંભળે મને કે ...હું સાંભળું તને
        એ સ્પર્ધા જાણે રોકાય નહીં...!!

એકાદ ક્ષણ થોભી જવું....
           હવે મને પોસાય નહીં..!!..

   તું જીવી જાય મારામાં ને....
           "હું" મારું જ એવું કહેવાય નહીં.....!!

મિત્તલ પટેલ 
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com
Mitalparibhasha.blogspot.com

Thursday 26 November 2020

https://youtu.be/yL0ajyysdGE

Thank u Sarjanhar Gujarati....good picturization..... And theme of video...... Just Like a short story film....

Monday 23 November 2020

ધોરણ 8 માં એકમ -9 ✨ પ્રાણીઓમાં પ્રજનનની પ્રસ્તુતિ જે તબક્કાવાર બાયસેગ દ્વારા, ગુજરાત ઈ-ક્લાસ ચેનલ દ્વારા, અને ડીડી ગિરનાર ચેનલ પર આવતાં હોમલર્નિંગ શૈક્ષણિક પ્રોગ્રામ દ્વારા રજુ કરવામાં આવી. તેની બધી link અહીં મુકેલ છે. શિક્ષકો, પેરેન્ટ્સ આ લિંકનો ઉપયોગ કરી બાળકોને આ યુનિટ ભણાવી શકે છે.

☺️(૧) 💫 ડીડી ગિરનાર ચેનલ પર 28/ 10/ 2020 નો મારો સાયન્સ સેશન...(ભાગ-૧)
સજીવ ના મૂળભૂત લક્ષણો, તેને અનુલક્ષીને પ્રવૃત્તિઓ,પ્રજનનની પ્રક્રિયા, નર પ્રજનન અંગો, માદા પ્રજનન અંગો, માનવ શુક્રકોષની રચના, યુગ્મનજ નું નિર્માણ, ગર્ભ નિર્માણ ની પ્રક્રિયા અને વિકાસના વિવિધ તબક્કાઓ...

https://youtu.be/QVY4pNXeKeI

☺️(2)💫 ડીડી ગિરનાર ચેનલ પર 18 /11/ 2020 નો મારો સાયન્સ સેશન...ભાગ-(૨)

 ટેસ્ટ ટ્યુબ બેબી ,સરોગેસી, ફલન

https://youtu.be/Y1_Gnm7N3yE

☺️(3)💫 ડીડી ગિરનાર ચેનલ પર 19 /11/ 2020 નો નવ મારો સાયન્સ સેશન (ભાગ ૩)
ફલનની ની પ્રક્રિયા, અપત્યપ્રસવી પ્રાણીઓ, અંડપ્રસવી પ્રાણીઓ અને કાયાંતરણ ની પ્રક્રિયા

https://youtu.be/tdhDCPpMm-o

 ☺️(4) 💫ડીડી ગિરનાર ચેનલ પર  23 /11 /2020 નું મારો સાયન્સ સેશન...(ભાગ-4)

         પ્રજનન નો એક અન્ય પ્રકાર--💫હાઇડ્રા, અમીબા, પ્લાઝમોડિયમ, યુગ્લીના, યીસ્ટ જેવા સૂક્ષ્મદર્શી સજીવોમાં જોવા મળતું અલિંગી પ્રજનન......
https://youtu.be/7dCbdG-0RFs
https://youtu.be/7dCbdG-0RFs
ડીડી ગિરનાર ચેનલ પર આજે 23 /11 /2020 નું મારું સાયન્સ સેશન...(ભાગ-4)

         પ્રજનન નો એક અન્ય પ્રકાર--💫હાઇડ્રા, અમીબા, પ્લાઝમોડિયમ, યુગ્લીના, યીસ્ટ જેવા સૂક્ષ્મદર્શી સજીવોમાં જોવા મળતું અલિંગી પ્રજનન......

Friday 20 November 2020

See my path after 11:4 minutes



https://m.youtube.com/watch?feature=share&v=Y1_Gnm7N3yE

Wednesday 18 November 2020

19/11/29 ગુરૂવાર 💫    ધોરણ 8.. વિજ્ઞાન.... [એકમ-9 પ્રાણીઓમાં પ્રજનન ભાગ-2]-------2:40pm


20/11/20 શુક્રવાર 💫   ધોરણ 8.. વિજ્ઞાન.... [એકમ-9 પ્રાણીઓમાં પ્રજનન ભાગ-3]-----2:40pm


23/11/20 સોમવાર 💫    ધોરણ 8.. વિજ્ઞાન.... [એકમ-9 પ્રાણીઓમાં પ્રજનન ભાગ-4]-----2:30pm

Tuesday 17 November 2020

💥 *"દીપોત્સવી અંક "*💥

_🎆🎇🎊🎉* - *SARJANHAR GUJARATI MONTHLY  MAGAZINE**_🪔🪔❤️💛💚💜

READ MY ARTICLE..."

"શું તમારું વ્યક્તિત્વ એ જ છે,જે લોકોને દેખાય છે?"👥📚☺️

        જેમ માણસ મેકઅપ કરે છે તેનું "સ્વપોત" ઢંકાઈ જાય છે. જેમ માણસ દંભ કરે ને તેનું આતમ ઢંકાઈ જાય , જેમ અમાસમાં ચંદ્રનું અજવાળું પણ ઢંકાઈ જાય તેમ વ્યક્તિનું સ્વયંપ્રકાશિત તેજ દંભ, કપટ, બનાવટ, દેખાડો વગેરેમાં ઢંકાઈ જાય છે. જેવા વ્યક્તિત્વને લોકો ઓળખે છે લોકોને દેખાય છે એવું હોતું નથી. કેટલીક વાર તે વ્યક્તિના વ્યક્તિત્વ પર એટલાં બધા પણ ચડી ગયા હોય છે કે પોતાનું સાચું સ્વરૂપ શોધવામાં માણસ પોતે જ ભૂલો પડી જાય છે. જેમ એક અભિનેતા ઘણા બધા રોલ ભજવતો હોય છે તેમ વ્યક્તિ પોતાના જીવનમાં ઘણા બધા રોલમાં જીવતો હોય છે. પણ તેમાં સ્વપોત વિસરી જાય છે. ઘણીવાર લોકોની નજરમાં સજ્જન દેખાતો માણસ અંદરથી સાવ છીછરો અને નીચા ચારિત્ર્ય વાળો હોઈ શકે છે. કેટલીકવાર મોઢા પર સાચું બોલી દેતો, તોછડો દેખાતો માણસ પ્રમાણિક, સાચો અને સાચા અર્થમાં સજ્જન હોઈ શકે છે.

 
            કોઈપણ વ્યક્તિ તેનાથી નાના માણસ જોડે કેવું વર્તન કરે છે તેના પરથી તેનું વ્યક્તિત્વ પરખાય છે. વ્યક્તિને કોઈ રોકવા ટોકવાવાળું ન હોય ત્યારે જો તે પોતાનું નૈમિતિક  કર્મ પ્રમાણિકતાથી કરતો હોય અને વર્તન સવિનય કરતો હોય તો તે ઉત્તમ વ્યક્તિ છે. સંવેદનશીલતા માણસને જેવો તે છે તેવો જીવવા માટે ઇંધણ પુરું પાડે છે. સ્વાર્થ ની ગેરહાજરી તેના માનસને શ્રેષ્ઠ લેવલ પર પહોંચાડે છે ‌. લોભ-લાલચ ની અનુપસ્થિતિ તેને આરપાર જીવવા ખેલદિલી બક્ષે છે.
  

          ઘણીવાર પરિસ્થિતિ અને અનુભવો વ્યક્તિને ઘડે છે. સતત થતાં અન્યાય વ્યક્તિને વિદ્રોહી બનાવી દે છે. સતત થતી અવહેલના વ્યક્તિને એકલવાયું બનાવી દે છે. બીજાની સ્વાર્થવૃત્તિ થી છેતરાયેલો માણસ સ્વાર્થી બનતા વાર નથી લાગતી.

        પોતાની ઓળખ ઉભી કરવા ઓળખાણો શોધતો માણસ ખોખલા વ્યક્તિત્વના માલિક હોય છે.જ્યારે બડે સંઘર્ષ કરી આત્મસંતોષ મેળવનાર વ્યક્તિ ભીતરથી છલોછલ હોય છે. પારદર્શક વ્યક્તિત્વના માલિક હોય છે. કોઈ જ મહોરું પહેરવાની જરૂર પડતી નથી. તે પોતે જેવા દેખાય છે તેવા જ હોય છે.

પોતાનું જ તુત દઝાડી જાય...
        અંતર પૂછે પ્રશ્નો ત્યારે....
 દર્પણ રંજાડી જાય...
        મનોમન સ્વને ઢંઢોળી જાય....
 અક્ષ ખુદનો જાગે ત્યારે
          અક્ષરત: હંફાવી જાય
  તારામાં તને જ શોધાવી જાય...

મિત્તલ પટેલ
 "પરિભાષા"
 અમદાવાદ

You can  also give your feedback on mitalpatel56@gmail.com
Or
Mitalparibhasha.blogspot.com
https://m.facebook.com/story.php?story_fbid=3722971581093559&id=100001422602254

Wednesday 4 November 2020

ગુર્જર ગર્જના ન્યૂઝપેપરમાં મારો લેખ...

"તન-દુરસ્તી માં જ મન- દુરસ્તી સમન્વિત થયેલી હોય છે..."💌....😑😐😌😏😊😄😍

         આપણે પોતાનાં જીવનમાં એટલાં વ્યસ્ત થઈ ગયા હોઈએ છે કે હેલ્થ વિશે વિચારવા કે તેને સાચવવા તરફ ક્યારેય લક્ષ નથી આપતાં. શરીર તરફથી આપણને અલ્ટીમેટમ  મળતાં રહે છે. કોઈને કોઈ સ્વરૂપે. શરીરમાં ગેસ, પિત્ત, કફની તકલીફ થતાં સતત બેચેની, માથાનો દુખાવો , અનવેલ ફીલિંગ અને સ્થૂળતા તરફ ધકેલાઈ રહ્યા હોવાનો અહેસાસ પણ થતો હોય છે. પણ આપણે તેને ઇગ્નોર કરીએ છીએ. બસ એક છટકબારી હેઠળ કે "ટાઈમ જ ક્યાં મળે છે". અને તમે તમારી તંદુરસ્તીને ત્યાં સુધી ટાળો છો તેના મૂળિયા છેક તમારી માનસિક તંદુરસ્તી સુધી પણ પહોંચી જાય... સ્ટ્રેસ, ડિપ્રેશન ચીડિયાપણું જેવાં માનસિક રોગ તમારામાં ઘર કરવા માંડે, જ્યારે અચાનક તમને ખબર પડે છે કે તમને ડાયાબિટીસ ,બીપી, થાઇરોડ કે અન્ય કોઈ વિટામિનની કમી જેવા રોગનાં શિકાર બન્યા છો. હવે તમે શું તે તંદુરસ્તી પાછી મેળવી શકશો? એ મનદુરસ્તી, એ એનર્જી, એ કામ કરવાનો ઉમંગ પાછો મેળવી શકશો? મેળવી તો શકશો પણ ત્યાં થોડી વધુ મહેનત અને વધુ દિવસથી તમારે રાહ જોવી પડશે. અથવા તો ના પણ મેળવી શકો. તમે કાયમ માટે એ રોગ સાથે જીવવું પડે, તેના ઓથાર હેઠળ શારીરિક તકલીફ ભોગવવી પડે તે પહેલા થોડા સજાગ થઈ જઈએ.અને હેલ્થ અને પોતાની વ્યસ્ત લાઈફ સ્ટાઈલ નો એક નાનકડો હિસ્સો બનાવીએ. થોડુંક જ લક્ષ આપીએ.થોડાક સજાગ રહો તો લાંબા સમય સુધી તંદુરસ્ત અને મનદુરસ્ત રહી જીવનના દરેક સ્ટેજ પર રોગમુક્ત, ભયમુક્ત અને ડિપ્રેશન મુક્ત રહી સાચા અર્થમાં જીવી શકશો. તમે જે પૈસા કમાવવા માટે દોડધામ કરો છો તે પૈસા વાપરવા માટે મનથી અને તનથી ઉર્જાવાન રહી શકશો, તમે જે સંબંધોને સાચવવા મથામણ કરો છો તે સંબંધોને સંગાથે આત્મીયતાથી જીવી શકશો વધુ જીવનને માણી શકશો.

          બસ જરૂર છે પોતાની લાઈફ સ્ટાઈલમાં નાના થોડા પરિવર્તન સાથે હેલ્થને સ્થાન આપવાની. પહેલાના જમાનામાં લોકો પાંચ વાગે વહેલા ઉઠી જતાં. ખેતરે કામ કરવાં જતાં, કુવામાંથી પાણી ખેંચીને બેડલા ઊંચકીને લાવતાં શારીરિક શ્રમ કરતાં. કદાચ હજી પણ ગામડાઓમાં કરે છે. તો પણ આધુનિક સાધનો અને ટેકનોલોજીને કારણે તેમનું કામ સરળ થઈ ગયું છે. વધુ શારીરિક શ્રમ પડતો નથી. અને શહેરમાં તો શારીરિક શ્રમનો સદંતર અભાવ , ફાસ્ટ ફૂડ ને પ્રદૂષિત હવા ના સંગાથે જીવવાનું અને પાછું હેલ્ધી રહેવાનું. બહુ મહેનત માગી લે તેવું છે. તે માટે તમારે શરીરને એટલું મજબૂત કરી દેવું પડે કે આ બધા સામે ટકી રહે. ને તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે. તો જો તમારું શરીર હેલ્દી હશે તો તમે હંમેશા પ્રફુલ્લિત રહેશો. એનર્જીસ્ટ રહેશો. માથાનો દુખાવો, બેચેની, સ્ટ્રેસ ,ડિપ્રેશન જેવા મનના વિકારો ક્યારેય નહીં આવે.

           હવે હેલ્થને આપણી લાઈફસ્ટાઈલમાં વણવું કઈ રીતે?? ઘણા બધા એમ કહેશે કે અમે ઘરનું કામ કરીએ જ છે ને એટલે બધી કસરત થઇ જાય છે.પણ એ સાચું નથી જે કામ પહેલાના જમાનામાં સ્ત્રીઓ કરતી હતી તેની સરખામણીમાં આપણે કંઈ જ નથી કરતાં માટે એક્સ્ટ્રા સમય તંદુરસ્તી માટે તમારે ફાળવવો જ પડે. જો ઘરનું કામ કરીને જ બધા તંદુરસ્ત રહેતા હોત તો આજે કોઈ સ્ત્રી સ્થૂળ ના હોત.

            ઓબેસિટી એ નાનાં બાળકથી માંડી પુખ્ત સ્ત્રી-પુરુષ માં જોવા મળતી બહુ કોમન અને વધતી જતી સમસ્યા છે. તો આપણે આપણી લાઈફસ્ટાઈલમાં નાના-નાના ક્યાં ફેરફાર કરી શકીએ?

        * ઘરનું જ ખાવાનો આગ્રહ રાખી શકાય અને ફેટ જેમાં વધુ હોય તેવાં તેલ ,ખાંડ નો ઉપયોગ નહિવત્ કરી શકાય. બહારનું ખાવાનું અને કોલ્ડ ડ્રિંક્સ બને ત્યાં સુધી એવોઇડ કરી શકાય.

          *સવારે પાંચ વાગે ઊઠવાને જીવનનો એક ક્રમ બનાવી શકીએ તો તમને આખા દિવસનાં  કામમાંથી પોતાનાં માટે પૂરતો સમય મળી રહેશે. અને આ મળેલ કિંમતી સમયનો તમે થોડા યોગા અને પ્રાણાયામ માટે અડધો કલાક કે કલાક ફાળવી શકો. કદાચ બહુ ન આવડે તો માત્ર ને માત્ર સૂર્ય નમસ્કાર 10 કે15 વાર કરો તોય આખા શરીરન કસરત થઇ જાય.તેમાં દસ મિનિટ ધ્યાન માટે આપી શકો, જે વિચારોને સ્થિર કરવા ,મન શાંત કરવા અને મનની તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે. મોટાભાગના લોકોનો એમ વિચારવામાં જ મેડીટેશન નથી કરતા કે હું કરું છું તેને જ ખરેખર મેડીટેશન કહેવાય છે? મારી પદ્ધતિ ક્યાંક ખોટી તો નથી ને. અરે શાંત ચિત્તે શાન્ત એરિયામાં બેસી આંખો બંધ કરી આવતા જતા શ્વાસ માં ધ્યાન કેન્દ્રિત કરો તોય તમારાં વિચારોનું ટ્રાફિક સ્થિર થશે અને મન શાન્ત થઇ જશે.

       * આપણા શરીરનો દુખાવો, હાડકા નો દુખાવો પિત્ત, કફ, ગેસ મોટેભાગે શરીરની અંદરની ph એસીડીક થવાનાં કારણે થતા હોય છે. તમારા શરીરની ભીતર ની pH એસિડિક હોય તો તે હાડકા માંથી કેલ્શિયમ એબસોર્બ કરે છે. તેનાથી હાડકા નો દુખાવો, ઘૂંટણના દુખાવા, પગના દુખાવાનાં રોગ થતાં હોય છે. તે બધાથી બચવા તમારે શરીરની અંદરની pH આલ્કલાઈન મેન્ટેન રાખવી પડે. તે માટે લીંબુ પાણી ને પોતાના રોજિંદા વ્યવહારમાં સ્થાન આપવું પડે. તમે એમ વિચારશો કે લીંબુ તો એસિડિક છે. પણ તે લીંબુ મોઢાની લાળ સાથે ભળી આલ્કલાઈન બની જાય છે. જે તમારી અંદરની pH આલ્કલાઈન મેન્ટેન કરવામાં મદદ કરે છે. માટે જમ્યા બાદ અને સવારે ઊઠીને લીંબુવાળું પાણી પીવું હેલ્થ માટે બહુ ફાયદાકારક છે. તેનો તમારે પ્રયોગ કરવો હોય તો કરી જોજો ...તમને ગેસ કે એસીડિટી જેવું લાગે તો પાણીમાં લીંબુ નીચોવી પી જજો કોઈ દવા વગર ચોક્કસથી રાહત થશે.

      આવા નાનાં નાનાં ચેન્જીસ આપણી લાઈફ સ્ટાઈલમાં લાવીને આપણે કાયમ તનથી અને મનથી તંદુરસ્ત રહી શકીએ છે.

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com

       

 

Monday 2 November 2020

બનાસકાંઠા થી પબ્લિસ થતાં સમાજ સાગર ન્યુઝ પેપરમાં મારો લેખ....💫✨🌷🎊

"એક શિક્ષક માં પૂજાતો બાળક અને....
         બાળ મનડામાં પૂજાતા શિક્ષક મેં જોયા છે...!!!"

       પૂજાય જ્યાં ઈશ્વર તેને જ ...
                 કહેવાય મંદિર એવું થોડું છે..!
        શાળા મંદિરમાં દડ દડ દોડીને....
                  આવતા ખુદ બાળેશ્વરો... મેં ભાળ્યા છે.

       "તત્ થી સત્ સુધી પહોંચવું" શિક્ષક થી માસ્તર સુધી પહોંચવાની રસીદ છે. ક્યાંક નિર્દોષતા તમને સ્પર્શી જાય, ક્યાંક તેમની નિખાલસતા માં તમે તરબોળ થઈ જાવ, ક્યાંક તેમની સાથે ખુદ નું બાળપણ જીવંત થઇ જાય, ક્યાંક તેમની સહજતા નું તમારામાં પ્રત્યારોપણ થવા લાગે, ત્યારે તમે તેમની સાથે ઈશ્વર- ભક્ત નાં સબંધથી જોડાયાં હોવાનો ભાવ આવે છે.

          ક્યારેય સ્લેટ પર પેન પકડીને એકડા ઘૂટવા પ્રયત્ન કરતી તેમની નાની અમથી આંગળીઓ, મહા મહેનતે પેનને  પકડ માં રાખતી નાની અમથી હથેળી અને આંખોને તલ્લીન કરી સ્લેટ સાથે રચાતું ગજ્જબ તારામૈત્રક નિહાળ્યું છે?? આ જે બાળ ભણવાના ,શિખવાના કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેમાં તો તમે પોતાની મહત્વાકાંક્ષાઓ, ટાર્ગેટ ,પેપરો, એકમ કસોટી, પ્રોજેક્ટોને કેટકેટલાય ભારના ટોપલા તેમનાં માથે ઝીંકી દઈ તે સહજતાનો દાટ વાળી દો છો. શું તે બે-ત્રણ વર્ષ સહજતાથી, સ્વયં પ્રેરણાથી આનંદ ઉત્સાહથી કેળવણીની પ્રક્રિયાની શરૂઆત ન કરી શકે...?? એક પાલતુ કુતરા ની જેમ શા માટે તેને ટ્રેઈન કરવાં માટે બધા પ્રયત્નશીલ બની જાય છે? તેને ઈશ્વર બુદ્ધિ,સંવેદનશીલતા ,તર્કશક્તિ બધું જ આપ્યું છે. તેનાં પર ભરોસો રાખી તેને ખીલવા દઈ તેને વિકસવા દઈએ, ખુલ્લા મને શીખી શકે તેવું વાતાવરણ આપી શકીએ તો તે બાળક એક ઉગતા ફૂલની જેમ ખીલી ઊઠે. જો૩૦ વર્ષ તમે તેને ટ્રેઈન કરવામાં પછી નોકરી કરી અર્થોપાર્જન કરવામાં કાઢી નાખ્યા પછી તમે તેની પાસેથી હજુ વધુ શાની અપેક્ષા રાખી શકો? શું તેની કેળવણી આટલેથી પૂરી થાય છે? શું તે ભવિષ્યમાં આવતી ભયંકર ઉતાર-ચઢાવ સામે ટકી શકશે? શું તે મુશ્કેલી માં સરવાઈવ કરવાની પદ્ધતિ શીખી શકશે?

            બાળકો તો શાળાનો શ્વાસ છે .શાળા અને શિક્ષક માં ઈશ્વર ની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું કામ બાળક કરે છે. કોઈ પણ સાચો શિક્ષક ક્યારેય કપટી ,અપ્રમાણિક નહી હોય કેમકે બાલેશ્વર માંથી સીધા ગુણો તેનામાં પ્રત્યારોપણ થતું હોય છે.

      આરતી ઉતારી , થાળ ધરાવી....
             ઘંટારવ કરીને જ કરાય પૂજા...
                     એવું થોડું છે...!!

     વ્હાલનાં વરસાદથી નવડાવી નાંખતા..
                 એ ભૂલકાઓ પ્રેમથી ધરાવી નાખતા..

     એક શિક્ષકમાં પૂજાતો બાળક અને ....
               બાળકના મનડા માં પુજાતા શિક્ષકને મે જોયા છે.‌!!

મિતલ પટેલ
 "પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com
બનાસકાંઠા થી પબ્લિસ થતાં સમાજ સાગર ન્યુઝ પેપરમાં મારો લેખ....💫✨🌷🎊

"એક શિક્ષક માં પૂજાતો બાળક અને....
         બાળ મનડામાં પૂજાતા શિક્ષક મેં જોયા છે...!!!"

       પૂજાય જ્યાં ઈશ્વર તેને જ ...
                 કહેવાય મંદિર એવું થોડું છે..!
        શાળા મંદિરમાં દડ દડ દોડીને....
                  આવતા ખુદ બાળેશ્વરો... મેં ભાળ્યા છે.

       "તત્ થી સત્ સુધી પહોંચવું" શિક્ષક થી માસ્તર સુધી પહોંચવાની રસીદ છે. ક્યાંક નિર્દોષતા તમને સ્પર્શી જાય, ક્યાંક તેમની નિખાલસતા માં તમે તરબોળ થઈ જાવ, ક્યાંક તેમની સાથે ખુદ નું બાળપણ જીવંત થઇ જાય, ક્યાંક તેમની સહજતા નું તમારામાં પ્રત્યારોપણ થવા લાગે, ત્યારે તમે તેમની સાથે ઈશ્વર- ભક્ત નાં સંબંધથી જોડાયાં હોવાનો ભાવ આવે છે.

          ક્યારેય સ્લેટ પર પેન પકડીને એકડા ઘૂટવા પ્રયત્ન કરતી તેમની નાની અમથી આંગળીઓ, મહા મહેનતે પેનને  પકડ માં રાખતી નાની અમથી હથેળી અને આંખોને તલ્લીન કરી સ્લેટ સાથે રચાતું ગજ્જબ તારામૈત્રક નિહાળ્યું છે?? આ જે બાળ ભણવાના ,શિખવાના કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેમાં તો તમે પોતાની મહત્વાકાંક્ષાઓ, ટાર્ગેટ ,પેપરો, એકમ કસોટી, પ્રોજેક્ટોને કેટકેટલાય ભારના ટોપલા તેમનાં માથે ઝીંકી દઈ તે સહજતાનો દાટ વાળી દો છો. શું તે બે-ત્રણ વર્ષ સહજતાથી, સ્વયં પ્રેરણાથી આનંદ ઉત્સાહથી કેળવણીની પ્રક્રિયાની શરૂઆત ન કરી શકે...?? એક પાલતુ કુતરા ની જેમ શા માટે તેને ટ્રેન કરવાં માટે બધા પ્રયત્નશીલ બની જાય છે? તેને ઈશ્વર બુદ્ધિ,સંવેદનશીલતા ,તર્કશક્તિ બધું જ આપ્યું છે. તેનાં પર ભરોસો રાખી તેને ખીલવા દઈ તેને વિકસવા દઈએ, ખુલ્લા મને શીખી શકે તેવું વાતાવરણ આપી શકીએ તો તે બાળક એક ઉગતા ફૂલની જેમ ખીલી ઊઠે. જો૩૦ વર્ષ તમે તેને ટ્રેન કરવામાં પછી નોકરી કરી અર્થોપાર્જન કરવામાં કાઢી નાખ્યા પછી તમે તેની પાસેથી હજુ વધુ શાની અપેક્ષા રાખી શકો? શું તેની કેળવણી આટલેથી પૂરી થાય છે? શું તે ભવિષ્યમાં આવતી ભયંકર ઉતાર-ચઢાવ સામે ટકી શકશે? શું તે મુશ્કેલી માં સરવાઈવ કરવાની પદ્ધતિ શીખી શકશે?

            બાળકો તો શાળાનો શ્વાસ છે .શાળા અને શિક્ષક માં ઈશ્વર ની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું કામ બાળક કરે છે. કોઈ પણ સાચો શિક્ષક ક્યારેય કપટી ,અપ્રમાણિક નહી હોય કેમકે બાલેશ્વર માંથી સીધા ગુણો તેનામાં પ્રત્યારોપણ થતું હોય છે.

      આરતી ઉતારી , થાળ ધરાવી....
             ઘંટારવ કરીને જ કરાય પૂજા...
                     એવું થોડું છે...!!

     વ્હાલનાં વરસાદથી નવડાવી નાંખતા..
                 એ ભૂલકાઓ પ્રેમથી ધરાવી નાખતા..

     એક શિક્ષકમાં પૂજાતો બાળક અને ....
               બાળકના મનડા માં પુજાતા શિક્ષકને મે જોયા છે.‌!!

મિતલ પટેલ
 "પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com

Thursday 29 October 2020


ગુર્જર ગર્જના ન્યૂઝપેપરમાં મારો લેખ...

"ધૈર્યની કસોટીમાંથી પાર ઉતર્યા બાદ જ...
           સફળતાની નિસરણી સુધી પહોંચી શકાય છે..."

             નાની નાની બાબતમાં તરત છેડાઈ જતો માણસ, તરત રિએક્ટ કરી બેસતો માણસ, જજમેન્ટલ બની ફેંસલો સુણાવી દેતો જજ બની જતો માણસ, કૂવાના પાણી માં દેખાતાં પોતાનાં પ્રતિબિંબની જેમ પોતાના લક્ષ્યને હાથવેંતમાં ઝડપભેર પકડી લેવા તરફડીયા મારતો હોય છે.

               તે સફળતા મેળવવા માટે જે ડેડીકેશન, ધીરજ, સતત અવિરત હાર્ડવર્ક, ધ્યેય માટે એકાગ્રતાપૂર્વક મથવું.... આ બધી બાબતોને અમલમાં મૂકવા કે સંઘર્ષ કરવા જેટલી હિંમત, ધીરજ અને નિયત નથી હોતી. ફક્ત ઓછા સમયમાં, ઓછી મહેનતે ,ઓછા પ્રયત્નથી સફળ થઈ જવું છે ને ઘણીવાર તે જ લ્હાયમાં ઓળખાણ, ચાપલૂસી અને છેલ્લે પૈસા આપીને પણ સફળતાને ખરીદવાનો છેલ્લામાં છેલ્લો પ્રયત્ન કરતો હોય છે. અને મેળવી પણ લે છે પણ
"સફળતા મેળવી છે " ‌એવો જ ભાવ આવે છે "હું સફળ થયો છું" એવો ભાવ ,એવો ઉમંગ, એવો અનંગ ઉત્સાહ, હરખ ક્યારેય આવતો નથી.

               સફળતાથી વધુ મહત્વનું છે સફળતાથી મળતો "આત્મસંતોષ". જો સફળતાથી તમે આત્મા સંતોષની અનુભૂતિ ન થાય તો તમે મેળવેલી સફળતા માં કંઈક ખૂટે છે, ક્યાંક રસ્તો ખોટો છે, ક્યાંક ભાવ ખોટો છે, ક્યાંક હેતુ  ખોટો છે, અથવા તો સફળતા મળ્યા પછી "અહમ" ની હાજરી વર્તાય છે.

              તમે જ્યારે એક ધ્યેય રાખીને જીવનમાં આગળ વધતા હોવ છો ત્યારે તમારા એ માર્ગમાં ઘણો સંઘર્ષ તમારી રાહ જોઈ રહ્યો હોય છે. તે સંઘર્ષની પેલે પાર જ સફળતા છે માટે સંઘર્ષથી ક્યારેય ભાગવું નહીં. ખૂબ ધીરજથી અને સતત હાર્ડવર્ક થી એ સંઘર્ષનો સામનો કરો. તેમાં અડીખમ રહી નજર સમક્ષ માત્ર ને માત્ર ધ્યેય રાખી ધીરજ અને મહેનત ની લાકડી પકડી આગળ વધતા રહો. મનોબળ અને આત્મબળને તમારામાં વિકસવા દો. આગ જેવી લાગતી મુશ્કેલી અને તકલીફમાં તપવાથી ભાગશો નહીં. તમે એક સફળ વ્યક્તિ બનાવવા માટેની પ્રક્રિયા કુદરતે શરૂ કરી દીધી છે એવું માનશો. આ દુનિયામાં સફળતા મેળવવા માટેનું એક અને માત્ર એક જ હથિયાર સતત કરવામાં આવતી સખત મહેનત છે. તેની પાછળ તક,નસીબ, પૈસા ,આનંદ આપોઆપ આવે છે. પણ તક ,નસીબ ,પૈસા ,આનંદને સાધન ન બનાવો. માત્ર ને માત્ર સતત હાર્ડવર્કમા કોન્સટ્રેટ કરો બાકીના બધા પાસાં આપોઆપ ગોઠવાઈ જશે. પ્રયત્ન કર્યા વગર. કેમકે તે તો નિર્ધારિત જ હોય છે. અથવા તો તમને સફળતા મેળ્યા પછી લોકો આ તક ,નસીબને મહત્વ આવશે. કેમકે તે જ તેમની છટકબારી, તેમની મહેનત ન કરવાની વૃત્તિને પોષણ આપતા તત્વો છે.

ખટકતી સૌને આ અણીયાળી માયા છે...
         સંઘર્ષ અને ધીરજની એ રજવાડી કાયા છે.
રસ્તે રસ્તે રાહ જોવાય, તોય મંઝિલ ક્યાં દુર છે!!
          શ્રમ શ્રમ અને બસ  શ્રમ એ જ..સફળતા ના પાયા છે...

મિત્તલ પટેલ
"પરિભાષા "
અમદાવાદ
mitalpatel56@gmail.com

Monday 26 October 2020

જીસીઈઆરટી શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત હોમ લર્નિંગ કાર્યક્રમમાં બાયસેગમાં મારી પ્રસ્તુતિ પબ્લિસ થઈ ચૂકી છે. જેની લીંક હું આપ સૌ સાથે શેર કરું છું. જેમાં ધોરણ 8 માં એકમ 9 પ્રાણીઓમાં પ્રજનન નો મારો લેસન સમાવિષ્ટ છે આ લીંક તેના પ્રથમ ભાગની છે.

https://youtu.be/QVY4pNXeKeI

Friday 23 October 2020

     આવતા બુધ (28/10/20) અને ગુરુ (29/10/20) ના દિવસે મારો તાસ ડીડી ગિરનાર ચેનલ પર  પ્રસારિત થનાર છે....

ધોરણ.    -8
વિષય      -વિજ્ઞાન
સમય.      - [28/ 10 /20] ના રોજ 2: 30 કલાકે
                 [29/ 10/ 20] ના રોજ 2:45 કલાકે

   💫 તે જોઈ તમારો કીમતી અભિપ્રાય ચોક્કસથી આપજો...💫☺️




https://m.facebook.com/story.php?story_fbid=3653380158052702&id=100001422602254

ટૂંક સમયમાં ડીડી ગિરનાર ચેનલ પર આવી રહી છું........And also on ...BISAG AND E-CLASS

Thursday 15 October 2020

     

સંબંધો સાચવવાનો..ય  થાક લાગે છે...
         એક ઓથાર હેઠળ જીવવાની ભાતી....
જાતને ભૂલીન જીહવળવાનોય..થાક લાગે છે...
 
કમોસમી વરસાદ હોય તોય શું!!
એ વ્યવહારને અવસર બનાવું તોય શું!!

પડછાયો થઇ પૂજાવાનોય.. થાક લાગે છે..
         તૂટી ને ફરી ફરી જોડાવાનોય... થાક લાગે છે...

                 વર્ષો વર્ષ જીવ્યા હોઈએ તો ય માત્ર વર્ષો વિતાવ્યા હોય એવું લાગે. ને ક્ષણોને જીવવાને બદલે ઓછાપામા હંમેશા ખોવાયેલ રહ્યા હોય એવું લાગે તો ચોક્કસ તમે થાકનો અનુભવ કરશો. સબંધો આખી જિંદગી માત્ર સાચવવામાં મથ્ય હોઈએ પણ સંબંધોને "જીવવામાં" ક્યારેય લક્ષ ન આપ્યું હોય તો જીવનના એક ચોક્કસ તબક્કે તમે ચોક્કસ થાકશો. જો તમે હતાશાને કાયમ છુપાવીને રાખતા હશો.. ગુસ્સો, તણાવ, આક્રોશ, પ્રેમાવેશ, લાગણીનો ઉભરો... ને કાયમ મનમાં દબાવી દેતા હો... કોઈ મિત્ર કે આત્મીયજન સાથે ક્યારેય ખુલ્લા મને રડી લેવાનું કે ખુલ્લા મને હસી લેવાની ક્ષણો ન વીતાવતા હો, કોઈની સમક્ષ વ્યક્ત ન થતાં હો.. તો માનસિક થાકની ચરમસિમા ચોક્કસ વહેલી આવશે.નજીકનાં આત્મીયજનો  માટે ઘણી બધી વાર કૃતજ્ઞતાનો ભાવ ઊભરાયો હોય પણ ક્યારેય "કદર" નું નામ આપી શબ્દ ભાવથી વ્યક્ત ન કર્યો હોય. તે વ્યક્તિની હયાતી માં તેનું પોતાનાં જીવનમાં સ્થાન અને મહત્વ ની તેને અનુભૂતિ કરાવી સંગાથે જીવનને એક ઉત્સવની જેમ ન ઉજવી શક્યા હો, તો તેની ગેરહાજરીમાં એકલતાનો થાક ચોક્કસ અનુભવશો.

થાક ક્ષણોને "જીવ્યાનો " નહીં...
        ક્ષણોને "વિતાવ્યા" નો લાગે છે....

         કામ કરવાં કરતાં કામ ન કર્યાનો થાક વધુ લાગે છે. નૈમિત્તિક કાર્યો સાચી નિષ્ઠાથી કરવાનો તો માત્ર મીઠો આત્મસંતોષ જ મળે છે. જો તમે તમારી નોકરી થી થાકી ગયા નો અનુભવ થાય તમારી દિનચર્યા થી, જવાબદારી નિભાવતા સતત ભારનો અનુભવ કરતા હો તો એનો અર્થ એ છે કે તમે તમારાં જીવનનાં આ કર્મસ્થળના અને નૈમિત્તિક કાર્યો પૂરેપૂરી નિષ્ઠાથી અને પૂરા મનથી, પોતાનું ૧૦૦% ડેડીકેશન આપીને નથી કરી રહ્યા. તેમાં હજી ઉણપ છે. જો તમે દિનભર માં જે પણ કાર્ય હાથમાં લો છો તેને સાચાં અર્થમાં જીવો. પૂરા મનથી જીવંતતા થી કરો, ઉત્સાહથી કરો, તમારા કામને તમે માણો, એન્જોય કરો, તો દિવસના અંતે પણ તમે ઉત્સાહથી તરબતર અને પ્રસન્નતાથી થનગનતા હશો. આ કાર્યથી જે આત્મસંતોષ તમને મળશે તેની લાલી અને આભા તમારા ચહેરા પર સ્પષ્ટ જોવા મળશે. અને યાદ રાખજો જો તમે આ રીતે જીવ્યા હશો તો જીવનના કોઇપણ મુકામે તમે ક્યારેય થાકનો અનુભવ નહીં કરો.

           દુનિયામાં આપણે ઘણા બધા માણસો થી જોડાયેલાં હોઈએ છે. લાગણીથી, કામકાજથી , કે સામાજિક રીતે. આ સંબંધોને પણ આપણે અલગ-અલગ કેટેગરીમાં વહેચી દીધા છે.સામાજિક રીતે જોડાયેલા હોઈએ તેમની જોડે સામાજિક સંબંધો  રાખવાનાં,પ્રસંગમાં હાજરી આપવાની 
ક્યારેક ફોન કરી ખબર અંતર પૂછવાની , સાજામાદા હોય તો ખબર કાઢવા જવાનું. કામકાજના સ્થળે હોય તેમની જોડે માત્ર પ્રોફેશનલ સબંધ... કામ હોય તો જ અને તેટલી જ વાત કરવાની, કો-ઓર્ડિનેશન થી ફોર્માલિટી વાળા સંબંધ રાખી દિવસનો 50% સમય  વ્યતીત કરવો.લાગણીથી બંધાયા હોઈએ  તેવા બાળકો ,પતિ-પત્ની ,માતા-પિતા ,ભાઈ-બહેન સાથે જ થોડો સમય લાગણી ભર્યો વ્યવહાર કરવાનો, નહીંતર એમાંથી પણ મોટા ભાગનો સમય મોબાઈલ મહારાજને પધરાવી દેવાનો. આ બધામાંથી ભાગ્યે જ કોકની સાથે આપણે આત્મીયતાથી જોડાયેલા હોઈએ છે. એમાંય પાછું આપની અપેક્ષા મુજબનું વર્તન ન કરે કે લાગણીનો પડઘો ન મળે તો તે આત્મીયતા પણ દુઃખદાયી નીવડે ને પાછાં "માણસ" મટીને "રોબોટ" બની જાઓ ને ફિટ કરેલા ડેટા મુજબ વ્યવહાર કરો, સંબંધો સાચવો ને જિંદગી પુરી. ભલે પોતાની સાચી જાત જે જીવંતતા થી ભરેલી છે તેને કાયમ  દબાવીને રાખી છે ક્યારેક તો ઉભરો ઠાલવશે ને આ રોબોટિક લાઈફ થી થાકી જશે. આ થાક "જીવ્યાનો" નથી.... "ન જીવાયાનો" છે.

           તો દરેક સંબંધ અને આપણી સાથે સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ સાથે આત્મીયતાથી કેમ  ન જીવી લઈએ!! સોસાયટીમાં વોચમેન હોય કે ઓફિસમાં સહકર્મચારી કે રસ્તે મળતું અજાણ્યું બાળક સરસ સ્માઈલ આપી, ક્યારેક ખબર અંતર પૂછી, આત્મીયતાથી જોડાઈને સાચા અર્થમાં કનેક્ટ કેમ ન થઈએ...!! જ્યારે તમે કોઈપણ અન્ય વ્યક્તિ સાથે પૂરેપૂરી આત્મીયતાથી કનેક્ટ થાઓ છો ત્યારે તમે પોતાની આત્મા સાથે, પોતાની જાત ને કનેક્ટ થતી અનુભવી શકો છો. અને તેની ખુશી તમારામાં સતત પ્રતિબિંબિત થતી રહે છે. જો તમે ડોક્ટર છો તો પેશન્ટ સાથે આત્મીયતાથી વર્તો. જો તમે એક શિક્ષક છો તો બાળકો સાથે આત્મીયતાથી જીવો. જો તમે વકીલ છો તો પોતાના દરેક કેસ સાથે આત્મીયતાથી જોડાવ.

          જો તમે "માણસ " છો તો દરેક "માણસ" સાથે "માનવતા"થી જોડાવ. તો "થાક" નામની વસ્તુનું અસ્તિત્વ તમારી જિંદગીમાં ક્યારેય નહીં હોય. કારણ કે તમે જીવન માત્ર વિતાવતા નથી દરેક ક્ષણને ,દરેક સંબંધને "જીવો" છો.

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

           

 

Wednesday 30 September 2020


ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

દંભ- જાત ને છેતરવા માટે નો એક ઓથાર💫✍️


            વ્યવસાયલક્ષી શિક્ષણ શું અનુભવલક્ષી જ્ઞાન આપી શકે? જે ચિત્રહાર દુનિયા બતાવે તે ફાઈલ નાં સ્વરૂપમાં સન્મુખ થઈ શકે? કમાતા શીખવે તેવું જ્ઞાન ખપે કે જીવતા શીખવે તેવું જ્ઞાન પરવડે?જીવનમાં આવતી ભૂકંપો જેવી પરિસ્થિતિઓમાં, જે પોતાના અસ્તિત્વને જડમાંથી હચમચાવી નાખે તેમાં ટકી રહેતા અને ઉગરતા શીખવે તેવા શિક્ષણની પણ શું આવશ્યકતા નથી? ઘણુંય ભણેલાં વ્યક્તિઓ શું સહકાર, હુંફ, સંગાથની અપેક્ષામાં વલખાતા જીવન ટૂંકાવી દેતા જોવા નથી મળતા? તો શું ખૂટે છે? જીવનના પ્રારંભમાં સ્વ ને મજબુત બનાવવાની, જીવનનીલડાઈઓ માટે તૈયાર થવાની, ને હિંમતથી જીવનની દરેક પરિસ્થિતિ સામે હામ જીલવાની ક્ષમતા કેળવવાની જરૂર છે કે માત્ર ફર્સ્ટ ક્લાસના સર્ટીફીકેટ?પ્રેમની પરિભાષા અને માત્ર કવિતા સ્વરૂપમાં જ વાંચવાની તે લખવાની માનસિક આદત બનાવી દેવી છે કે માણસાઈ ને ધરમૂળમાંથી હચમચાવી નાંખનાર રેપ જેવા બનાવોને નજર અંદાજ ન કરતા ન કરતા રાવણ દહન કરવા સમાજે ભેગા મળીને ઊભા થવાની જરૂર છે? ઠેરઠેર છેતરપિંડીના કેસ જે પોલીસને ચોપડે નથી નોંધાતા ને ક્યારેય નોંધાવવાય નથી.તે પોતાનામાં રહેલા શેતાનને દૂર કરી ,માણસ માણસ પર વિશ્વાસ કરી શકે તેવાં સમાજની રચના કરવી છે કે માત્ર દંભ ના ઓઢા હેઠળ સમાજની આડ પાથરી માનસિક અસામાજીક પ્રવૃત્તિઓમાં જ રચ્યાપચ્યા રહેવું છે?.. કોઈના ઘરે દુઃખદ બનાવ બને છે , સોસાયટીમાં કોઈ પતિ પોતાની પત્નીને નિર્દય રીતે મારી રહ્યો છે તે ચીસો સંભળાય છે,સાસુ સસરા વહુ ને સતત માનસિક શારીરિક ત્રાસ આપી રહ્યા છે તમને અહેસાસ છે,  દેખાય છે છતાં તેમના ઘરનું એ ફોડે આપણે શું? શું આ માણસો સમાજમાં નથી આવતાં? આવા નિષ્ઠુર, દંભી સભ્ય સમાજ નાં અસ્તિત્વનો કોઈ અર્થ ખરો!!! કોઈપણ ધર્મ ,કોઈપણ જાતિ,કોઈપણ સમાજ જો માણસાયત ના શીખવી શકે તો તે બધા જ માત્ર દંભી જ છે. નાસ્તિક માણસ પણ જો કોઈની મદદે આવી શકતો હોય કોઈ મુશ્કેલી જોઈને મનમાં દયાભાવ ઉભરાતો હોય અને શક્ય એટલી મદદ હિંમત થી કરી જાણતો હોય તો તેનાથી વધારે ધાર્મિક માણસ આ દુનિયામાં કોઈ નથી.

           "દુનિયા સ્વાર્થી થઈ ગઈ છે"સૌના મોઢે થી સાંભળીએ છે. દુનિયા શાની બનેલી છે? માણસોની. તો શું તમે માણસ નથી? શું તમે દુનિયાનો હિસ્સો નથી? તો તમારાથી શરૂઆત કરો ને. કમ સે કમ તમે સ્વાર્થી ન થાવ. કમ સે કમ તમે માનવતા દાખવો. કમ સે કમ તમે સાચા અર્થમાં "માણસ" બનવાની હિંમત કેળવો.


              રસ્તે નીકળતી ગાડી પણ જો સિગ્નલ પર આવતા ઉભી રહેતી હોય તો આપણે તો માણસ છે. દંભનો આંચળા ઉતારી સરળ, નિર્ભિક ,સહજ બની જીવી શકીએ. હા ભૂલોને પણ સ્વીકારી માણસ હોવાનો ઉત્સવ ઉજવીએ. શા માટે એવું સાબિત કરવા સતત મથીએ કે હું તો ભૂલ  કરી જ ન શકુ. ભૂલ નહીં કરો તો આગળના રસ્તા પર ફાનસ સળગાવી સાવચેતીપૂર્વક ચાલતા શીખશો કઈ રીતે? ભૂલો તો રસ્તે આવતાં બમ્પ જેવા છે તે બમ્પ પહેલા બોર્ડ મારેલું છે ચેતવણી સ્વરૃપ છે કે  go slow,bump ahead. પણ છતાંય ભૂલ થાય છે. થોડીક સફળતા મળતા માણસ અહમ માં રાચવા માડે છે. ભૂલો તેમને વિનમ્ર બનતા શીખવાડે છે.આ "હું"એ સૌથી મોટો દંભ છે.

              દરેક વ્યવહારમાં કેલ્ક્યુલેશન. હું સામેથી સ્માઈલ કેમ આપુ ? તે હસે તો જ હું હસુ... હું સામેથી વાત કેમ કરું? કેટલીકવાર તો spouse સાથે પણ મતભેદ થયો હોય તો હું સામેથી કેમ જઉ.. તે મનાવવા આવે તો જ. અરે..... તમે માણસ છો કે કેલ્ક્યુલેટર? દરેક વસ્તુમાં ગણતરી.

            ખુશી સામેથી વ્યક્ત ન કરી શકો?ભૂલ સામેથી ન સ્વિકારી શકો? સરળ બની, હસીને, સહજતાથી દંભ વગર મસ્ત જીવી ન શકો? નાની નાની વસ્તુઓમાં જડતા અને વધુ પડતી આસક્તિ ને લીધે સતત થતી કચકચને પડતી મૂકી રઘવાયા મુક્ત જિંદગી જીવી લેવાની પહેલ અવશ્ય કરી શકાય.


મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

Sunday 27 September 2020

આખેટ   ✨💫 અશ્વિની ભટ્ટ

"અકથ્ય સંવેદન"

"રૂમાલ માં સુગંધ સંતાઈ""

"ક્યાંક ક્યાંક ઝરણાનું પાણી અટવાઈને, કાળમીંઢ પથ્થરોમાં પડેલા મોટા ગબ્બામાં ભરાઈ રહ્યા હતાં".

"જીવનમાં કેટલાય પ્રસંગો અને પરિસ્થિતિઓ એવી હોય છે જ્યારે માણસે તેના કિલર ઈન્સ્ટીન્ક્ટ પર આધાર રાખવો જોઈએ . તેની સૌજન્યશીલતા કે વિવેક પર નહીં"

"પુરુષ ધૂંઆધાર હોવો જોઈએ.." "ધૂંઆધાર માણસો ના પ્રશ્નો પણ એવા જ જટીલ હોય
છે" "mysterious"ઇસ ધ પ્રોપર વર્ડ ફોર ઈટ".."એવાં માણસો નાં વ્યક્તિત્વ પણ તેવા જ હોય! નોન ટ્રાન્સપરન્ટ..."

"તું intuition માં... અંતઃસ્ફુરણા માં માને છે? અંતરમાંથી ઉઠતા સંવેદને તમે ક્યારેય કશું માર્ગદર્શન આપ્યું છે?.."

"તું વધુ પડતો નમ્ર અને સાલસ છે. ક્યારેક તેનાથી અનર્થ સર્જાય છે .આ જમાનામાં તેનાંથી વધું કશુંક જોઈએ..."

"પ્રેમની કોઈ માત્રા ન હોય, પ્રેમ તો સો ટકા જ હોઈ શકે તેમાં કોઈ બીજી ટકાવારી ન હોય..."

"સંગેમરમરથી મઢેલા દહાલના થળા પર એક અનુપમ ગઝલ રચાઈ.. જેના કોઈ શબ્દો ન હતાં. જેના રદીફ અને કાફિયા માં એક જ શબ્દ હતો.. ઇશ્ક"

"પુરુષ અને પ્રકૃતિ, આત્મૈકય અને આસક્તિ"

"ઝઝૂમવું તે જ તો માણસ હોવાનું તાત્પર્ય છે. તે જ તો તેનું સત્વ છે..."

"અપાર સુખની પળો શાશ્વત નથી હોતી. એકાએક જ તેનો અંત આવે છે"

"જે સ્પંદનો નું સંગીત સર્જાઇ રહ્યું હતું, તેને આસવાનો નશો ચડી રહ્યો હતો..."
"કોઈ અસ્ફુટ શક્તિ, કોઈ અગમ ઉર્જા, કોઈ અલૌકિક એન્કાઉન્ટરની મર્યાદામાં તે જકડાઈ ગઈ હતી"
"પુરુષ ખડક જેવો હોવો જોઈએ..જે "પૈસાને " એક લક્ષ્ય તરીકે નહીં પણ એક સાધન તરીકે જોઈ શકે...જે મુસીબતમાં પણ એવો જ હોય અને વિજયની પળોમાં પણ "સ્વ " ગુમાવતો ન હોય.."

"માણસ નું વક્તવ્ય ,તેનો દેખાવ, તેની રહન-સહન, એ તેનું વ્યક્તિત્વ નથી... તેનું વ્યક્તિત્વ તેના વાસ્તવ- દર્શન પ્રત્યેનાં અભિગમ થી છતું થાય છે... અને એ અભિગમ વાસ્તવ ના અનુભવ વગર અશક્ય છે.."

✨ કેટલાક નવા શબ્દ પણ મળ્યા..

"સ્પંદનો નું સંગીત"
"નિર્વાચ વાતચીત"
"આશ્રવ"
"અભિસંગની ઉષ્મા"
"નશાર્ત"
"નેપથ્ય"

Now reading part-3 of...."આખેટ"

થોડુંક ઈરીટેટીંગ કેરેક્ટર માલતી નું લાગ્યું....

આખેટ   ✨💫 અશ્વિની ભટ્ટ

"અકથ્ય સંવેદન"

"રૂમાલ માં સુગંધ સંતાઈ""

"ક્યાંક ક્યાંક ઝરણાનું પાણી અટવાઈને, કાળમીંઢ પથ્થરોમાં પડેલા મોટા ગબ્બામાં ભરાઈ રહ્યા હતાં".

"જીવનમાં કેટલાય પ્રસંગો અને પરિસ્થિતિઓ એવી હોય છે જ્યારે માણસે તેના કિલર ઈન્સ્ટીન્ક્ટ પર આધાર રાખવો જોઈએ . તેની સૌજન્યશીલતા કે વિવેક પર નહીં"

"પુરુષ ધૂંઆધાર હોવો જોઈએ.." "ધૂંઆધાર માણસો ના પ્રશ્નો પણ એવા જ જટીલ હોય
છે" "mysterious"ઇસ ધ પ્રોપર વર્ડ ફોર ઈટ".."એવાં માણસો નાં વ્યક્તિત્વ પણ તેવા જ હોય! નોન ટ્રાન્સપરન્ટ..."

"તું intuition માં... અંતઃસ્ફુરણા માં માને છે? અંતરમાંથી ઉઠતા સંવેદને તમે ક્યારેય કશું માર્ગદર્શન આપ્યું છે?.."

"તું વધુ પડતો નમ્ર અને સાલસ છે. ક્યારેક તેનાથી અનર્થ સર્જાય છે .આ જમાનામાં તેનાંથી વધું કશુંક જોઈએ..."

"ક્યારેક વિવેક અને સૌજન્યશીલતા નબળાઈના પર્યાય લેખાય છે.."

"પ્રેમની કોઈ માત્રા ન હોય, પ્રેમ તો સો ટકા જ હોઈ શકે તેમાં કોઈ બીજી ટકાવારી ન હોય..."

"સંગેમરમરથી મઢેલા દહાલના થળા પર એક અનુપમ ગઝલ રચાઈ.. જેના કોઈ શબ્દો ન હતાં. જેના રદીફ અને કાફિયા માં એક જ શબ્દ હતો..... ઇશ્ક....."

"પુરુષ અને પ્રકૃતિ, આત્મૈકય અને આસક્તિ"

"સમય ઓછો પડે છે એમ કહેવું એ આત્મવંચના છે."

"ઝઝૂમવું તે જ તો માણસ હોવાનું તાત્પર્ય છે. તે જ તો તેનું સત્વ છે..."

"અપાર સુખની પળો શાશ્વત નથી હોતી. એકાએક જ તેનો અંત આવે છે"

"જે સ્પંદનો નું સંગીત સર્જાઇ રહ્યું હતું, તેને આસવાનો નશો ચડી રહ્યો હતો..."
"કોઈ અસ્ફુટ શક્તિ, કોઈ અગમ ઉર્જા, કોઈ અલૌકિક એન્કાઉન્ટરની મર્યાદામાં તે જકડાઈ ગઈ હતી"
"પુરુષ ખડક જેવો હોવો જોઈએ..જે "પૈસાને " એક લક્ષ્ય તરીકે નહીં પણ એક સાધન તરીકે જોઈ શકે...જે મુસીબતમાં પણ એવો જ હોય અને વિજયની પળોમાં પણ "સ્વ " ગુમાવતો ન હોય.."

"માણસ નું વક્તવ્ય ,તેનો દેખાવ, તેની રહન-સહન, એ તેનું વ્યક્તિત્વ નથી... તેનું વ્યક્તિત્વ તેના વાસ્તવ- દર્શન પ્રત્યેનાં અભિગમ થી છતું થાય છે... અને એ અભિગમ વાસ્તવ ના અનુભવ વગર અશક્ય છે.."

✨ કેટલાક નવા શબ્દ પણ મળ્યા..

"સ્પંદનો નું સંગીત"
"નિર્વાચ વાતચીત"
"આશ્રવ"
"અભિસંગની ઉષ્મા"
"નશાર્ત"
"નેપથ્ય"

Now reading part-3 of...."આખેટ"

થોડુંક ઈરીટેટીંગ કેરેક્ટર માલતી નું લાગ્યું....

Thursday 24 September 2020

"ધ સિક્રેટ -------(રહસ્ય)---અદભુત રહસ્યો પરથી પડદો ઉઠાવતું પુસ્તક"📗💫✨🧬

              રોન્ડા બર્ન દ્વારા લખાયેલ આ અદભુત શબ્દ ગુચ્છ રુપી પુસ્તક કોઈપણ વ્યક્તિનાં જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની શકે તેમ છે. આ પુસ્તક તમારાં જીવનને જોવાનો આખો નજરીયો બદલી નાખે, તમારાં માનસ ને એક ઉચ્ચતમ લેવલ સુધી પહોંચાડવા સક્ષમ છે. તમારાં વિચાર કરવાની દિશા, દ્રષ્ટિકોણ, વ્યક્તિને મૂલવવાની, તેને જજ કરવાની, પરિસ્થિતિ સાથે તાલમેલ સાધવાની આખી પ્રક્રિયાને જડમૂળમાંથી બદલી નાખવા સક્ષમ છે.

          પહેલી નજરમાં નામ પરથી આ પુસ્તક કોઈ થ્રિલર નોવેલ હોય એવું લાગે.. પણ હકીકતમાં નોવેલ નથી. તમે તેના દરેક વાક્યને જીવનસૂત્ર બનાવી શકો, આ પુસ્તક માત્ર વાંચી જવા માટે છે જ નહીં. તે થોડું વાંચીને સતત મનન કરવા માટે છે. અને તમે નહીં ઈચ્છો તો પણ તમારી જાણ બહાર તમારું મન આપોઆપ તેનું મનન કરવા મજબૂર બની જ જશે.

          કેટલીક વાર આપણને લાગે છે કે જેવું દેખાય છે તેવું હોતું નથી અને જેવું હોય છે તે ક્યારેય દેખાતું નથી. બધાં લોકો અને દરેક પરિસ્થિતિ ઓથાર રાખીને જીવે છે. પણ હકીકતમાં જેવું જોવાનું વિઝયુલાઈઝ તમે કર્યું હશે... શબ્દો દ્વારા ઉચ્ચારીને કે વિચાર દ્વારા એવો ભાવ રાખી ને તેવી જ પરિસ્થિતિ નું અવતરણ થાય છે એ આ પુસ્તક વાંચતાં સહજ રીતે સમજાશે.
   

            અહીં તમે લોક એન્ડ કી મોડલ યાદ આવી શકે છે. તમારા જીવનમાં કૃતજ્ઞતાની, હકારાત્મકતાની, આંતરદ્રષ્ટિ રૂપી ચાવી તમને મળી ગઈ હોય અને ખુશી આનંદ પ્રસન્નતા જીવન તથા આંતરિક શાંતિ નું લોક ખુલી ગયું હોય તેવું ફીલ થશે. ખરેખર તો તમારી આંતરિક આનંદ ,આંતરિક શાંતિ, તથા અંતર્દૃષ્ટિ મેળવવાની દિશામાં જવું જોઈએ તે પછી બાહ્ય વસ્તુઓ તો આપોઆપ મળશે.તમારી નિરાશામાંથી ક્ષણવારમાં બહાર નીકળી શકવાની ચાવી તમને આ પુસ્તકમાંથી મળી શકે છે.તમે બીજાને મદદ કરો છો પણ હકીકતમાં તમે પોતાને મદદ કરો છો એની તમને અનુભૂતિ થશે. તો જીવનની દરેક ક્ષણને પોઝિટિવ ફિક્વન્સી પર સેટ કરવા પુસ્તક અવશ્ય વાંચો.

મિત્તલ પટેલ
 "પરિભાષા" 
અમદાવાદ
mitalpatel56@gmail.com

Wednesday 16 September 2020


ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

"અંતરાત્માને જીવનની દીવાદાંડી બનાવીએ તો ક્યારેય ભૂલા પડાય ખરું!!!"✨💫🌸⛳

    

     ભીતર જાગતો આગિયો ને...
              બહાર અજવાળાને શોધે...
      સંગાથ સાચો સંગાથે ને...
                કાઠે કાઠે દરિયો શોધે.....

         કેટલીક વાર જ્યારે આપણે જીવનનાં મહત્વનાં નિર્ણયો લેવાના હોય છે ત્યારે ભીતરથી એક અવાજ આપણને કંઈક જાણે કહેતો હોય, કોઈક દિશામાં આપણને દોરતો હોય, કદાચ સાચી દિશા બતાવતો હોય એવો અનુભવ આપણને જીવનમાં ક્યારેક ને ક્યારેક અવશ્ય થાય છે. કેટલીકવાર આ અવાજને આપણે માત્ર આપનો ભ્રમ સમજી તેને અવગણી મગજ જે કહે તે કરીએ છીએ. ત્યારે કેટલીકવાર તે નિર્ણય લેવા બદલ પસ્તાવુ પણ પડે છે. દુનિયા અને તેમાં આપણી જીવન યાત્રા દરમિયાન બનતી ઘટનાઓ અને પરિસ્થિતિ અકળ અને ગૂઢ હોય છે. ક્યારેક આપણને જીવનમાં થનારી ઘટનાઓનો પૂર્વાભાસ પણ થતો હોય છે. ભીતરથી કોક આપણને કંઈક કરતાં રોકી રહ્યું હોય એવું લાગે જેમ કે કેટલીકવાર કોઈ સારા પ્રસંગમાં વારંવાર વિઘ્નો આવે તો સમજવું કે કોઈક ગુઢ ચેતના આપણને કંઈક દિશા સૂચન કરી રહી છે. પણ જ્યારે આપને તેને અવગણી કુદરત સાથે જબરજસ્તી કરી કોઈક કાર્ય કરાવવા ની ચેષ્ટા કરીએ છીએ ત્યારે તેમાં આપણું હિત કયારેય સમાયેલું હોતુ નથી.

             જ્યારે પણ તમારે જીવનમાં કોઈક મહત્વનો નિર્ણય લેવાનો હોય તો અંતરાત્માને ચોક્કસ પ્રશ્ન પૂછજો કે શું આ મારા માટે યોગ્ય છે?? જો તમારું મન નિર્લેપ અને ચોખ્ખું હશે તેના પર દંભ ના આવરણ નહીં જામ્યા હોય તો તમે ચોક્કસ અંતરાત્માનો અવાજ સાંભળી શકશો.

‌             અંતરનાદ જીવનના ભલભલા મોટા તોફાનો સામે લડવાની તાકાત પેદા કરે છે. તે તમારામાં મક્કમ પોતાના ધ્યેય માટે ઝઝૂમવાની હિંમત પેદા કરે છે. અંતરનાદ ભીતરમાં થી ઉઠતો એક એવો નાદ છે કે જીવનમાં હર તબક્કે સાચી પસંદગી તમને કરાવી ઉત્તરોઉત્તર પ્રગતિ ના પંથે તમને ખેંચી જાય છે. અને ભૂલો કરતા અને ખોટી પસંદગી કરતાં અટકાવે છે. શ્રેષ્ઠ માણસ બનાવામાં મદદ કરે છે. જીવનનો સાચો મર્મ સમજાવી, જીવનનાં મૂળભૂત હેતુ સાથે તમારો પરિચય કરાવી જીવનને સાર્થક બનાવવામાં મદદ કરે છે.

‌ મિત્તલ પટેલ
‌" પરિભાષા"
‌ અમદાવાદ

Thursday 10 September 2020

ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

"તમે પ્રાર્થના કેવી રીતે કરો છો??"...🙏🌷⛪🕌🕍🤔


   બે હાથ જોડી સ્વાંગ રચતા પણ
             માનવો સહુ ભાળ્યા... હે ઈશ!!
   
 તું છું મારામાં  ને સૌ માં ....તેથી જ...
        "એકતારો" બની સાંભળ્યાં... હે ઈશ!!

નિહાળે સઘળે તોય તું ભીતર...
          ભીતર તોય સઘળે વિહરતો..

આતમ ને પરમાતમ નો સંવાદ સમ પ્રાર્થના..
           પરમ આનંદની છે તે ફલશ્રુતિ.. હે ઈશ!!


       આપણાં સૌનાં જીવનમાં ઉતાર-ચઢાવ ની હારમાળારૂપી સંજોગો આવતાં હોય છે. ક્યારેક બહારથી ખૂબ જ સ્વસ્થ અને ખુશ દેખાતી વ્યક્તિ ભીતરમાં ભયંકર એકલતા અને હતાશા નો સામનો કરી રહી હોય છે. સર્વાઈવ કરવાં તે મરણિયા પ્રયાસો કરી રહી હોય એવું પણ હોય છે. જીવન તેને જે ઘટનાઓ,  અન એક્સપેક્ટેડલી બદલાતાં પોતીકાં માણસો ના આઘાતો, લાગણી અને સંવેદનાને ચુર ચુર કરી નાખે તેવી પરિસ્થિતિઓ તેની સામે મૂકે છે. તેની સામે તે લગભગ એકલો ઝઝૂમતો હોય છે. તે પણ મોઢા પર હસતું માસ્ક રાખીને અને રૂટિન વ્યવસાયિક અને પારિવારિક જવાબદારીઓ નિભાવવાની સાથે. આ સમયે તેને માનસિક તાકાતની જરૂર પડે છે. દઢ મનોબળ ની જરૂર પડે છે. અને પ્રાર્થના મનને શાતા આપતું, પ્રસન્નતા બક્ષતું ઔષધ છે. ભીતર ભલે ગમે તેટલી ઊથલપાથલ ચાલતી હોય પણ મનને સ્થિર ,સ્વસ્થ અને સ્પિરિચ્યુઅલ પાવર થી ભરપુર રાખતું અદ્વિતીય અને અદભુત સંવેદન છે.
   
             પ્રાર્થના તમને તમારા "સ્વ" સાથે સંવાદ સાધવા માં મદદ કરે છે ,તમારી જાતને ઓળખવામાં , તમારી જાતને પ્રેમ કરવામાં ,તમારી જાતને તમારો સાચો મિત્ર બનાવી આપવામાં મદદ કરે છે.

          પ્રાર્થના એ આતમનો પરમાતમ સાથેનો સીધો ઓડિયો કોલ છે.બંને ક્યાંય મંદિરમાં કે કોઈ મૂર્તિ માં નહીં દરેક વ્યક્તિ, દરેક જીવની ભીતર છે તો મંદિરમાં જઈને જ પ્રાર્થના થાય એવું કોઈ equation હોઈ શકે ખરું!!

           પ્રાથના તો પોતાની આંતરિક દ્રષ્ટિ ને જાગ્રત કરવાનું, આંતરિક તાકાત મજબૂત કરવાનું હથિયાર છે. પ્રાર્થના કોઈ સ્થળ, સમય કે પદ્ધતિની મહોતાજ નથી. ધર્મ, જાતિ, રિવાજોના વાડા તો આપણે બાંધ્યા છે. જો તે આપણને પ્રાર્થનાનો સાચો મર્મ સમજાવતાં હોય, દરેક પરિસ્થિતિમાં ટકી રહેવા સ્પિરિક્ચ્યુઅલ પાવર ની અનુભૂતિ આપતું હોય, "માનવતા " ની રોપણી આપણા સૌની અંદર સફળતાપૂર્વક કરી શકતું હોય,દયાભાવ સેવા નો ભાવ એકબીજાને મદદ કરવાની ભાવના નૈતિકતાનું નિરૂપણ  જો આપણામાં કરતું હોય તે જ ધર્મ સાચો. માણસને માણસ થી દૂર કરે, બીજા ધર્મનાં હોવાથી તે તૃચ્છ છે, પોતાનો ધર્મ શ્રેષ્ઠ, બાકીનાં ધર્મનાં માણસો નિમ્નકક્ષાના, બીજા ધર્મો ખોટા આ પ્રકારના વિચારમાં પ્રવૃત્તિઓ કરતા હોય તે ધર્મ માત્ર "વાડા" છે જે તમને ડરાવવા માટે છે . તમે મંદિર માં આટલાં રૂપિયાનું દાન કરશો તો તમને પુણ્ય મળશે.ઈશ્વરનાં નામે ઊભો કરાયેલો એક બિઝનેસ છે.ઈશ્વર ક્યારેય ડરાવવા માટે નથી હતો તેનો હર એક જીવને પ્રેમ કરે છે.

માણસ -માણસ ની વચ્ચે ભેદ કરાવે  તે ધર્મ નથી
        " સ્વ "ને "સૌ" માં અનુભૂત કરાવે તે ધર્મ છે.


મિત્તલ પટેલ
" પરિભાષા" 
અમદાવાદ

Thursday 3 September 2020

ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

🤹 પોતાનાં વિચારો જબરજસ્તી બીજા પર થોપવાની  વૃત્તિ..💫🤔🤨🧐

‌       કેટલાક લોકો ખરેખર ખૂબ સારાં માણસ હોય છે  પણ માત્ર આ એક દુર્ગુણ ને કારણે તે સૌનાં અળખામણા બની જતાં હોય છે.તેમનો કોઈને હર્ટ કરવાનો ઇરાદો બિલકુલ હોતો નથી પણ પોતાની પસંદ, પોતાનાં ગમા-અણગમા, પોતાનાં અનુભવ જેવાં જ સામેવાળાના પણ હોવાં જોઈએ તેવું દ્ઢપણે એમનાં મનમાં ઘર કરી ગયું હોય છે.સામેવાળી વ્યક્તિ કઈ પણ કહે જો તે તેના વિચાર સાથે મેચ ન થતી હોય તો ખૂબ આક્રમક રીતે તેની પાસે પ્રુવ કરવાની કોશિશ કરે છે કે હું વિચારું છું એ જ બેસ્ટ છે અને તારે એ જ કરવું જોઈએ. જે પોતાને ગમતું હોય છે ,વિચાર્યું હોય છે તે સામેની વ્યક્તિ પર જબરજસ્તી થોપવાની કોશિશ કરે છે. સામેવાળી વ્યક્તિ સતત પ્રતિકાર કરે તો પણ. અને આવાં માનસ ધરાવતાં માણસો તેના સંપર્કમાં આવતાં લોકોને ટોર્ચર ફીલ કરાવનારા બની રહે છે.


‌.            આવા વ્યક્તિ સ્વકેન્દ્રી હોય છે. પોતાનાં સતત વખાણ સાંભળવા ની ખેવના રાખતાં હોય છે. સહેજ તેમના ઓપિનિયન નો વિરોધી અભિપ્રાય આપો તરત તેઓ ધૂંધવાઇ જાય છે. આવું હોઈ જ ન શકે. હું જે વિચારું છું તેવું જ હોય. હું જે અનુભવું છું તેવું જ હોય. બધાની પસંદ મારાં જેવી જ હોય.બીજાની પસંદ ગમા-અણગમા ,અનુભવો તેનાથી અલગ હોઈ શકે છે તે વિચારવું પણ તેના માટે અસંભવ હોય છે. એટલી હદે તે વ્યક્તિ સ્વકેન્દ્રી બની ગયેલ હોય છે. કોઈ તેમનાં વખાણ ન કરે તો સામેથી પ્રશ્નો પૂછી પૂછીને પણ પોતાનાં વખાણ કરાવતાં રહે છે. 'જો આ ગીત મેં ગાયું મસ્ત અવાજ છે ને મારો?'  'શું તમને નથી લાગતું કે આ કામ મારાથી સરસ થયું છે?' આવી વૃત્તિ તેમની હોય છે એમાંય આખાબોલો કોઈ માણસ તેને મળી જાય અને સાચી વાત સ્પષ્ટ પણે કહી દે તો તરત તેનો અહમ્ ઘવાઈ જાય છે. અને પછી આક્રમક બનીને "તમને કંઈ ન સમજાય આમાં"એવો અહેસાસ તેને કરાવી દેવા તલપાપડ બની જાય છે.


‌.            આ વૃત્તિ જન્મે છે ક્યાંથી?? બાળપણમાં મા-બાપ એ બાળકને વધુ પડતા લાડ લડાવ્યા હોય ને ખોટું હોય કે ખરું માત્ર તેનું ઉપરાણું લઇને ખોટા ને પણ છાવરવાની, ને સતત એનાં અહમને પંપાળવા ની વૃત્તિ કરી હોય તો તે બાળક મોટું થઈને" સ્વકેન્દ્રી "બની જાય છે.પોતાના વર્તનથી સામેવાળી વ્યક્તિને દુઃખ થાય છે, તેનાથી તેના અંગત લોકો તેનાથી દૂર થઈ જાય છે, પોતે એકલો થઈ જવા તરફ જઈ રહ્યો છે, તેનો અહેસાસ પણ તેને બહુ મોડેથી થાય છે.



‌.           આ સ્વકેન્દ્રીપણાને લીધે લોકો તેની અવગણના કરવા લાગે છે. તેના સારા ગુણો ટેલેન્ટ માત્ર તેના એક દુર્ગુણ ને લીધે ઢંકાઈ જાય છે. માબાપ બાળકને ગમે તેટલો  પ્રેમ કરતાં હોય પણ સાચા-ખોટા વચ્ચેનો ભેદ સમજાવે તે ખૂબ જરૂરી છે. બાળક ખોટું કરે તો તેને ખોટું કર્યું છે તેનો અહેસાસ પણ કરાવવો ખૂબ જરૂરી છે. તેની નાની મોટી સજા મળવી પણ જરૂરી છે. જેથી પોતે "માણસ" છે ભગવાન નહીં તેનો તેને અહેસાસ રહે. બાળકને બીજાના અલગ વિચારો અલગ ઓપીનિયન ને પણ રિસ્પેક્ટ આપતા શીખવવું ખૂબ જરૂરી છે. બાળકની "હા"મા સતત "હા" મેળવવાથી તમે તેને વધુ પ્રેમ કરો છો તેમ સાબિત નથી થતું. બાળકને તેની જિંદગીમાં "ના" પચાવવાની કેળવણી પણ આપવી ખૂબ જરૂરી છે. તેને જોઈએ તે બધું જ ક્યારેય મળવાનું નથી. બધું જ મળી જાય એનું નામ જિંદગી નથી.બધા જોડે આપણે આત્મીયતાથી મળી શકીએ ,જીવી શકીએ તેનું નામ જ જિંદગી છે. એવો તેને અનુભવ આપવો ખૂબ જરૂરી છે


‌.             આવા લોકો સ્વાર્થી કે કપટી નથી હોતાં.. તેઓ એક માત્ર સ્વકેન્દ્રીપણાની બીમારી થી પીડાતાં હોય છે જો તેઓ વહેલી તકે આ કુંડાળામાંથી બહાર નીકળી જાય તો કંઈ કેટલાય સબંધો બગડતા અટકાવી શકે તેમ છે.


‌ સ્વીકારી શકે જો તું કોકને
‌            તેના પોત સાથે...

‌ પ્રીત બાંધી શકીશ તું
‌             તારી જાત સાથે...

‌ ખુદને મળવું હોય તો
‌              વિસરી જોજે જાત..

‌ જોડાયેલ છે અહીં હર કોઈ
‌              એક પરમ આતમ સાથે


‌ મિત્તલ પટેલ
‌" પરિભાષા"
‌ અમદાવાદ
‌mitalpatel56@gmail com


Wednesday 2 September 2020

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નાં મેગેઝીન "શિક્ષક જ્યોત" નાં સપ્ટેમ્બર-2020 અંકમાં મારો લેખ........