Thursday 30 June 2022


ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં જૂન -૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀


બદલાતાં જતાં  મૂલ્યોની પરિભાષા....💫✍️🌸🍂🍀




           શું ભણાવી ગણાવીને નોકરીએ લગાવી દેવું, લાખો રૂપિયા કમાતા કરી દેવું, એટલે શ્રેષ્ઠ શિક્ષણ આપી દીધું એવું કહેવાય? બાળકને જીવનનો સાચો દ્રષ્ટિકોણ આપવો, જીવનમાં આવતી તકલીફો, મુશ્કેલીઓનો સામનો કરવાનો દ્દઢ મનોબળ વિકસાવવું, તેમનામાં જૂજુગ્સાના બીજ રોપવા, માણસાયતના મૂલ્યોનું સિંચન કરવું, તે પરિભાષા પણ શિક્ષણમાં જ સમાવિષ્ટ છે. આજે ડિપ્રેશન, એકલતા ,તણાવને કારણે થતાં આત્મહત્યાના કિસ્સાઓ સમાજમાં ઘટશે ને ,ત્યારે સાચું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે એમ કહેવાશે.પણ શું આજે શિક્ષક પોતે પણ પોતાના જીવનમાં આવતા ચઢાવ-ઉતારનો સ્વસ્થતાથી સામનો કરવા, પ્રોબ્લેમ ,તકલીફો તરફ નહીં, તેનાં ઉકેલ તરફ દૃષ્ટિકોણ  કેળવવાની વૃત્તિ, સ્વભાવ કેળવી શકે છે? પરિવર્તન સંસારનો નિયમ છે.એ મુજબ  મૂલ્ય શિક્ષણની પરિભાષા પણ બહુ ઝડપથી બદલાઈ રહી છે. પ્રમાણિકતા, સત્ય,નીતિથી કામ કરવું વગેરે મૂલ્યોનું શિક્ષણ પ્રત્યક્ષ ,અપ્રત્યક્ષ રીતે આપવું. પણ તેની સાથે સાથે આજે અસત્ય, જુઠાણા, અપ્રમાણિકતાનો સામનો કંઈ રીતે કરવો, પોતે સાચાં હોય ત્યારે હજાર જણનાં વિરોધ વચ્ચે પણ પોતાનું સ્ટેન્ડ લઈ clearly પોતાનો મત કઈ રીતે રજૂ કરવો, ચૂપચાપ ખોટું સહન કરી લઈ રિબાયા રહેવાની જગ્યાએ સાચું મોઢે મોઢ દંભ વગર કહી દઈ, સ્વાર્થ ખાતર ચાપલૂસી પગચંપી ની પ્રક્રિયાથી દૂર કઈ રીતે રહેવું તે પણ આજના જમાનામાં મૂલ્ય શિક્ષણ માં સમાવિષ્ટ છે. મૂલ્યો આપણાં જીવનને ઘડે છે. અને "ઘડતર" સાચાં જીવનનું "ચણતર" કરે છે. ચણતરની મજબૂતી મુલ્યોનો વાસ્તવિક જમાનામાં કેટલો અનુબંધ છે ,જમાના પ્રમાણે કેટલા અપડેટ થયા છે તેના પર છે.


મિત્તલ પટેલ
"પરિભાષા"
સાંપા પ્રાથમિક શાળા 
દહેગામ, ગાંધીનગર

Wednesday 29 June 2022


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......🖊️📖


તું સુન તેરે મન કી...✍️💫




          કેટલીક વાર જીવનમાં સામા પ્રવાહે તરવાનું આવે ત્યારે મન સહેજ  દ્વિધામાં હોય એ સહજ છે. મન ત્યારે જ મક્કમ મનોબળથી પોતાનાં સ્થાન પર અટલ રહી શકે જ્યારે તેની જાતને ખબર હોય કે તેનો તે કાર્ય કરવાનો હેતું ઉમદા છે. અને ઉમદા હેતુ હેઠળ થતું કાર્ય સીધુ, સરળ ભાગ્યે જ હોય છે. અંતરાત્માના અવાજને અનુસરવું અને સતત અનુસરવું જીવનમાં દરેક પરિસ્થિતિમાં તે દરેક માટે શક્ય નથી‌ હોતું અને એ અવાજને સાંભળી શકવા સક્ષમ અંતઃ કર્ણ કેળવી શકે તો ય ઘણું!! પર્વત જેવી તકલીફો સાવ ક્ષુલ્લભ  લાગવા માંડે અને મન આપણને પર્વતો વચ્ચેથી રસ્તો કાઢી દરિયા સુધી, પોતાનાં ધ્યેય સુધી પહોંચાડી દે તેવી ક્ષમતા માત્ર આપણા અંતરમન પાસે જ છે. તે માટે પોતાની જાત સાથે એકદમ પ્રમાણિક રહીને જીવવું પડે. તમે પોતાનાં નાના નાના સ્વાર્થ માટે પોતાની જાતને સતત છેતરતા રહેતા હશો તો શ્રેષ્ઠ પામવું ક્યારેય શક્ય નહીં બને. કારણ કે તમારી જાત તમને ડંખશે. ગિલ્ટ ફીલ કરાવશે. હળવાશ નહિ અનુભવવા દે. પોતાનાં નિમિત્તિક કર્મ જો સાચાં મનથી તમે કરતાં હશો તો તમારે મંદિરમાં જવાની પણ જરૂર નહીં પડે. કારણ કે મંદિરમાં જે સહજ શાંતિ અને ઈશ્વર સાથે કનેક્ટ થવાની ફીલિંગ છે તે તમને તે કર્મમાંથી જ મળી રહેશે.


વાંછટ આવે ત્યારે....
       વરસાદની રોકવા ન જવાય....

વાંછટિયુ પોતાનાં મન પર નાંખી દેતા.....
        તોફાનો કંઈ કેટલાય સમી જાય છે!!




        " તત્" સુધી પહોંચવાનો રસ્તો કર્મ છે. કર્માધીન પ્રવૃત્ત થતું મન અને આત્મા એ "વિચાર પ્રેરિત" હોય છે. વિચારબીજ રોપવાનું કાર્ય અંતરમન કરે છે . અને બીજું બાહ્ય માધ્યમો કરે છે જેટલાં બાહ્ય દ્વેષભાવ, કપટ, સ્વાર્થ, બનાવટ, કૃત્રિમતાઓનાં ઘોંઘાટથી દૂર રહીશું, તેટલું મનને નિર્મળ રાખીને આપણાં અંતરમને આપણાં માટે જે શ્રેષ્ઠ છે, તે કરવાં માટે ક્રિયાશીલ બનવા દઈ શકીશું. તે આપોઆપ પ્રવૃત્ત થશે. આપણને શ્રેષ્ઠ તકો, શ્રેષ્ઠ સ્થાન અને જીવનમાં જે શ્રેષ્ઠ છે બધું જ આપશે.


મુંઝારો છોડીને તું કર કર્મ...
     જેનાં માટે તું નીમાયો છે...


વખત જતાં સમજાશે કે 'તું માત્ર નિમિત્ત છે'...
       તે ઈશ્વર જ એક તારો "તારો" છે...!!

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

Saturday 18 June 2022

GCERT, SSA Gujarat  અને પાઠ્ય પુસ્તક મંડળ,ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તૈયાર  થયેલ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટેની સ્વ અધ્યયનપોથી વિદ્યાપ્રવેશ-બ્રીજકોર્સ (2022) વિજ્ઞાન વિષયમાં એક લેખક તરીકે કાર્ય કરી ગૌરવની લાગણી અનુભવું છું. બે વર્ષનાં લર્નિંગ લોસને ફુલફીલ કરી નવું શૈક્ષણિક વર્ષ ગુણવત્તાસભર બની રહે તે માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરેલ છે. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ઉપયોગી થશે એવી આશા રાખું છુ.