Saturday 25 December 2021

અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શ્રેષ્ઠશિક્ષક તરીકે સન્માન કરવામાં  આવ્યું. શિક્ષક સંઘનો ખૂબ ખૂબ આભાર.....

Thursday 23 December 2021


Listen me on you tube channel..✨💫🎙️🎥📽️🎧...Thank you Sarjanhar Gujarati  megazine Mumbai......



https://youtu.be/UjYuV6o518g

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

મુશ્કેલી પડે જો હમપે.. ઈતના કર્મ કર....✨💫✍🏻

"મુશ્કેલીઓ" કોઈને ગમે ખરી?? આ પ્રજાતિ સૌથી અળખામણી છતાંય જીવનના સૌથી કિંમતી અને સચોટ પાઠ તે જ શીખવી જતી હોય છે.

રખોપું ન રાખું હું....
     ઝાંઝવા જેનાં પોત રે....
હે કૃષ્ણ! તારાં જ સ્વાંગમાં
‌‌     રાચતાં તારાં જ મરજીવિયા જોને આજ રે...

        અક્ષરસહ જેને વ્યાખ્યાયિત કરવું ભલે અઘરું હોય, પણ ભાવસહ તેને અભિવ્યક્ત કરવું અનિવાર્ય બની જાય છે.જ્યાં સુધી તમારાં મનોભાવનું અને તકલીફનું આંકલન નથી કરી શકતા ત્યાં સુધી અદ્રશ્ય વિચારોના કુરુક્ષેત્રમાં જાતે ને જાતે વધુને વધુ ફસાતાં જશો.

ગીતા પરમો ધર્મ:

        ગીતા સરીખો ન કોઈ ધર્મ છે ન કોઈ ધર્મ વિદ્. જ્યારે બધેથી તમે હારી જાઓ છો ત્યારે આપની આત્માને, મનને, વિચારોને જ્યાં વિસામો મળે છે તે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા. જ્યાં પહોંચ્યા પછી બધાં પ્રશ્નો શૂન્ય થઈ જાય છે. બધી પીડા નગણ્ય બની જાય છે. અને એક જળકમળવત્ સ્થિરતા આપણાં જીવને પ્રાપ્ત થાય છે. જ્યાં પહોંચ્યા પછી ડગલું, ટકવું, મેળવવું, સંચરવુ, એ બધું પોકળ બની જાય છે. એક સ્થિર વિચાર, મનની સ્થિતિ જે પ્રસન્નતાથી છલોછલ છે તે પ્રાપ્ત થાય છે.

        મુશ્કેલીઓ આપણી ખામીઓથી આપણને અવગત કરે છે. આપણી ભૂલો તરફ આપણું ધ્યાન દોરે છે. અથવા અંગુલી નિર્દેશ કરી આપણી જ ભૂલો સુધારવા સમય અને સંજોગ આપે છે. આપણને માણસને ઓળખવાના દ્રષ્ટીકોણમાં પરિવર્તન લાવે છે. ફરિયાદોને નિર્મૂળ કરી શક્યતાઓને શોધવાનો ,ચકાસવાનો દ્રષ્ટિકોણ કેળવે છે. અહમના છાંટાનો છેદ ઉડાડી, અહર્નિશ નિર્મમ બનતાં શીખવે છે.

મિત્તલ પટેલ
 "પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com

Wednesday 22 December 2021

મુંબઈથી પબ્લિસ થતાં સર્જનહાર મેગેઝીનનાં ડિસેમ્બર- 2021  અંકમાં મારો લેખ...

"જળકમળવત્ બનીને જીવવું એટલે તકલીફને તકલીફ આપવી"....☕🌊✨💫🥰




         કેટલીકવાર દુનિયાની નજરમાં પારાવાર તકલીફમાં હોય તેવી વ્યક્તિને આપણે મળીએ તો તે તકલીફોની વચ્ચોવચ પણ ખૂબ જ જિંદાદિલ, નિખાલસ અને પ્રસન્નતાથી તરવરતો આપણને જોવાં મળે છે.. અને કેટલીક વાર જીવનમાં ,જેની પાસે બધું જ હોય તો પણ તે સતત ફરિયાદો કરતો,  વક્રદ્રષ્ટિથી સૌને નિહાળતો, રોદણાં રડતો અને સતત વ્યથિત રહેતો જોવાં મળે છે. ક્યારેય વિચાર્યું છે આવું કેમ?? તકલીફ હોવી અને તકલીફની અનુભૂતિ કરવી બંને અલગ વસ્તુ છે. હાં, નાની-મોટી, ઓછી, વધારે તકલીફ દરેક વ્યક્તિને હોય જ. તમે સળિયા વગરની જેલ જોઈ છે?? જો સળિયા વગરની જેલ હોય તો કેદીઓ ક્યારનાય ભાગી છૂટે. મુક્ત થઈ જાય. કદાચ સ્વચ્છંદી થઈ જાય. એવું જ માણસનું છે. તકલીફરુપી સળિયા ન હોય તો જીવનમાં તે સ્વચ્છંદી થઈ જાય. માણસને માણસની, માણસને ઈશ્વરની, માણસને માણસાયતની કિંમત ન સમજાય.


 સસ્તી ખુશી અને મૂલ્યવાન ખુશીમાં ફરક પંકાય છે,

        તકલાદીપણુ જ્યારે માણસનાં સુખમાં વર્તાય છે...

હાસ્ય રેલાવતી રેલગાડીઓ જેવી આંખ્યું,

       જ્યાં ભાળે ત્યાં પ્રસન્નતા ની સરવાની પ્રસરાય છે...


        આજે ભવિષ્યનું પ્લાનિંગ કરવાવાળા અને ભૂતકાળનું માપન કરવાવાળા વ્યક્તિઓ છે. સીધુ સાદુ તકલીફ વિહોણું જીવન ભૂતકાળમાય ન હતું, હમણાય નથી અને હવે પછીનાં સમયમાં પણ નહીં હોય. પણ તકલીફને જોવાનો, તેમનો સામનો કરવાનો અને તેમાંથી રસ્તા કાઢવાનો સૌનો  દ્રષ્ટિકોણ ,રીતો અને પચાવવાની તાકાત બદલાઈ છે. પહેલાં પણ જનરેશન ગેપને કારણે સંઘર્ષની પરિસ્થિતિ હતી. અને તેને સંવાદથી, સમજથી, મોટાઈથી એકબીજા સાથે સહકારની ભાવનાથી ઉકેલવામાં આવતી. "હું" જ મારી જીંદગી એંજોય કરી લઉ. કોઈ જવાબદારી ન લઉ.કશાની પણ જવાબદારીથી ન બંધાઉ. એવી માનસિકતા, એવાં એટીટ્યુડવાળા યંગ જનરેશન અને મોટી ઉંમરના લોકો પણ જોવા મળી રહ્યા છે. આ પ્રકારના સામાજિક બદલાવ સ્વાર્થના બીજને અંકુરિત થવા વાતાવરણ પૂરું પાડે છે. આજનાં જમાનામાં તમને જો ટકી રહેવું હશે, સાચાં અર્થમાં સુખી રહેતાં શીખવું હશે તો ,સ્વાર્થ પ્રેરિત માનસિક આઘાતોને ઝડપથી પચાવતા અને તેને હળવાશથી ફૂંક મારીને ફેંકી દેતા શીખવું જ પડશે. "તકલીફ તો રહેવાની" એ હકીકત છે. અને તેમાંથી "તકલીફ આપણને કેટલી પડવાની"તે આપણાં EQ લેવલ અને મજબૂત તૈયાર કરેલ લાગણીતંત્ર પર આધારિત છે.


કોઈ રોજ તહેવાર ઉજવે છે,

      કોઈ વહેવારમાં પણ સ્વાર્થ ઉજવે છે...


વહેમ રાખી જીવતો નહીં કે સૌ કોઈ છે  સાથે તારી,

     બધા અહીં તો પોતાનાં જ સંતાપ ઉજવે છે


મિત્તલ પટેલ
" પરિભાષા"
mitalpatel56@gmail.com

Thursday 2 December 2021

તમને પ્રસંશા કરતાં આવડે છે,
      ખોટી ચાપલૂસી નહીં...
તો તમે શિક્ષક છો...!!

તમને બાળકો માટે વિચારતા આવડે છે,
        માત્ર "અહમ્"પોતાનો પંપાળતા નહીં...
તો તમે શિક્ષક છો...!!

તમને શાળામાં ભણાવતાં આવડે છે,
          કોઈને નીચા બતાવતા નહીં...
તો તમે શિક્ષક છો...!!

તમને પ્રમાણિકતાથી કામ કરતા આવડે છે,
           બાળકોના પૈસે પોતાનું ઘર ભરતા નહીં....
તો તમે શિક્ષક છો...!!

તમને જીવનમાં આગળ વધતાં આવડે છે,
         કોઈને નીચે પાડતા નહીં.....
તો તમે શિક્ષક છો...!!

મિત્તલ પટેલ
"પરિભાષા"


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

"માણસોની "વૃત્તિ" તેનાં ભવિષ્યને આકારે છે"....


આકારજે તું તારી તકદીર...
        તારી વૃત્તિને આકારીને સાત્વિક,

તારું ભવિષ્ય તારાં કર્મોના હાથની મહેંદી છે....!!

   
         માણસની જ્યારે "પડતી" શરૂ થાય છે ત્યારે તેના ખુદનાં આખી જિંદગીના કર્મો એક અરીસો બનીને તેની સમક્ષ ઉદય થઈને ઉભા રહે છે. "સહાનુભૂતિ" શબ્દ માટે વ્યાકુળ બનતું, તેનું હૃદય કંઈ કેટલાય લોકોને દીધેલ તકલીફની તાસીર બનીને, તેમણે અપરાધભાવથી સતત ડૂબાડતી રહે છે. ડૂબી જવું સરળ હોય છે પણ જિંદગી આપણી સાચી તસવીર આપણી સમક્ષ અચાનક એવી રીતે અને  એવાં સમયે મૂકી દે છે કે ત્યાંથી ભાગી છૂટવું કે ઇગ્નોર કરવું કે પોતાની જાતને તેનાં માટે માફ કરવું પણ અશક્ય બની જાય છે. માણસ થાકથી રાત્રે ઊંઘી શકે છે પણ નિરાંતની અને સુકુનની ઊંઘ તો સારા કર્મોનું પ્રતિબિંબ સ્વરૂપે જ મળતી હોય છે.

ક્યારેક પૃચ્છા કરી હોત તે તારા મનને  કે..." તું જે માર્ગ પર છે તે રસ્તો સવડો છે ખરો!!

તો "માણસ" તું ચોક્કસ માણસાયતથી પાછો વળ્યો હોત.

         કેટલીકવાર સમય, સંજોગ અને તક નો સંગમ માણસને છેતરી શકે છે. મહોરા પહેરીને જીવતાં માણસો, નિર્લેપ માણસોને પોતાનાં દ્રષ્ટિકોણથી નિહાળી તેમનાં રસ્તા ના ફાંટા પાડવાં માટે પ્રયત્નશીલ બની જાય છે. પણ દરેકનાં હૃદયમાં ઈશ્વર સ્વયં સાક્ષીરૂપે પ્રસ્તુત હોઈ, દરેક વળાંકે  નિર્લેપ અને સરળ માણસને તેના institutions ક્યારેય ભટકવા દેતા નથી. દરેક માણસ પોતાનાં માટે હંમેશા સારો જ હોય છે. અને સારાં ખોટા ની સંકલ્પનાથી પર દરેક માણસ પોતાને તટસ્થ રીતે ક્યારેય મુલવી શકતો નથી. જો જીવનમાં થોડાં થોડાં સમયે માણસ પાછું વળીને પોતાનાં જીવનને તટસ્થ રીતે, સાક્ષીભાવે નિહાળી શકતો હોય પોતે સાચા માર્ગે તો છે ને...?? તેની ચકાસણી કરતા રહેવાની વૃત્તિ હોય તો તે જીવનના ગમે તે લેવલ પરથી સાચા માર્ગે આવવા યુ ટર્ન મારી શકે છે. અને  ખુદેશ્વર તેને તે માટે દિશાસૂચન કરીને મદદ કરે છે પણ  તે "હું" માંથી ક્યારેય બહાર ન આવી શકતો માણસ આ વૃત્તિ ક્યારેય કેળવી શકતો નથી. "હું તો ક્યારેય ખોટો હોઈ જ ન શકું". તે વલણમાંથી તે માટે બહાર નીકળવું પડે. પોતાની ભૂલોનો સ્વીકાર કરવા અહમને ઓગાળવું પડે. તો જ જિંદગીના કોઈપણ તબક્કે અપરાધ-ભાવના અતિશય કપરા પડાવે પહોંચવાના સંજોગો ન આવે.

શું તે પોતાના કર્મોથી જ હારેલ માણસને જોયો છે??
હા, છેતરવાની વૃત્તિમાંથી જન્મેલ તે હિસાબનો ચોપડો છે....

મિત્તલ પટેલ
" પરિભાષા"