Saturday 30 April 2022

ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં એપ્રિલ-૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀

શિક્ષણ સંસ્થાઓ અને રાજનીતિ..💫🤔🎭

‌       શિક્ષકો શાળાના બાળકોને પોતાનાં લેવલથી બેસ્ટ પ્રયત્ન કરી ભણાવતા હોય, "ભણાવવું" એ તેમનાં માટે વ્યવસાય તો ખરો જ, સાથે-સાથે શિક્ષકત્વના રંગમાં પોતાનાં વ્યક્તિત્વને રંગતો રોજેરોજ ઉજવાતો ઉત્સવ પણ ખરો. હા, કામચોરી ,છટકબારી વગેરે દૂષણો દરેક વ્યવસાયમાં ઓછાવત્તા પ્રમાણમાં રહેવાના જ. પણ શિક્ષકો પાસેથી સમાજને અને દેશને વધુ અપેક્ષા છે કારણકે તે દેશના શ્રેષ્ઠ નાગરિકો ઘડવા કડિયા ની ભૂમિકા ભજવે છે. શિક્ષક જ્યારે બાળકો માટે શાળામાં કામ કરતો હોય છે, ત્યારે તેને પણ આજુબાજુનાં લોકોનાં કાવાદાવા, નીચે પાડવાની વૃત્તિ, બીજા અમુક લોકોને કામ ન કરવું હોય એટલે પોતાનું કામ આગળ ન આવવા દેવાની વૃત્તિ વગેરે પ્રકારના નાના મોટા સંઘર્ષનો સામનો કરવો જ પડતો હોય છે. પણ સૌથી મોટો ફટકો, સૌથી વધુ નુકસાન શિક્ષણને ત્યારે જ થાય છે, જ્યારે શિક્ષણને વ્યવસાય બનાવી દેતાં ધંધાદારી બિઝનેસ મેન તેમાં ઝંપલાવે છે. શિક્ષણને  વિદ્યાર્થીનું મંદિર અને શિક્ષકને પુજારી બનાવી વિદ્યાર્થીના ઘડતરનું ચણતર કરતાં વર્ગખંડ બનાવે ત્યાં સુધી સીમિત રહે તો બરાબર છે. પણ જ્યારે શિક્ષણમાં રાજનીતિ પગપેસારો કરે છે, ત્યારે શિક્ષકત્વની ગરિમા જોખમાય છે. શિક્ષણનું કાર્ય હૃદયથી કરવામાં આવતું અને બાળકો માટેની લાઈવ વર્કશોપ છે. તેમાં કાવાદાવા, માત્ર દેખાડો કરવાની વૃત્તિ, નામ બનાવવાની વૃત્તિ, બાળકેન્દ્રી અભિગમથી નહીં સ્વકેન્દ્રી અભિગમથી જ્યારે શિક્ષણ પ્રક્રિયા થાય છે, ત્યારે બાળકોનું શિક્ષણ અને ઘડતર બન્ને જોખમાય છે. શિક્ષકો જ્યારે આવી રાજનીતિમાં ઈનવોલ્વ થાય છે ત્યારે તેમનામાં રહેલ શિક્ષકત્વમા ચોક્કસ ફટકો પડે છે. શિક્ષણનો વ્યવસાય માત્ર ચાપલૂસી અને દેખાડાની મદરેસા ના બની જાય એ માટે શિક્ષક પોતાના "સ્વકર્મ"માં રાજનીતિને involve કરવાનું ટાળવું જ રહ્યું.
‌.       કેટલીકવાર વધુ પૈસા કમાવવાની લ્હાયમાં શિક્ષક અન્ય શિક્ષણની સંસ્થાઓ જેમના હેતું તો શ્રેષ્ઠ હોય છે પણ સાધન અયોગ્ય હોઈ શકે છે,તેમનાં હાથા બની ને રહી જાય છે. શિક્ષકના વ્યવસાયની ગરિમાં ત્યારે જ જળવાઈ છે, જ્યાં બાળક સમગ્ર શિક્ષણ વ્યવસ્થા, શિક્ષકો, અધિકારીઓ વગેરેના કેન્દ્રમાં હોય. તેમનાં હિતને ધ્યાનમાં રાખીને જ દરેક સ્ટેજના શિક્ષણને લગતા માણસો કર્મ કરે તો જ શિક્ષણ અને આપને શ્રેષ્ઠતમ લેવલ સુધી પહોંચાડી શકીશું.

‌મિત્તલ પટેલ
‌"પરિભાષા"
‌mitalpatel56@ gmail.com

Wednesday 27 April 2022

My article....✍🏻

"સ્વ"ત્વ ને જાળવવું એ જીવંત રહેવા માટે જરૂરી છે."...... .... ....🦩🦚

          આપણી મહત્વાકાંક્ષાઓ એ લેવલ સુધીની ન હોવી જોઈએ કે તમે પોતાની સેલ્ફ રિસ્પેક્ટ,ઔ પોતાની ગરિમા ને સાઈડ પર મૂકીને લક્ષ્ય ઝંકૃત બની જાવ. કેટલીક વાર નાની-નાની નિષ્ફળતા પણ આપણને વધુ મજબૂત બનાવતી હોય છે જ્યારે સ્વમાનને દાવ પર લગાવીને મેળવેલ ઝળહળતી સફળતા આપણાં moral ને, આપણાં "સ્વ"ત્વ કે  જે આપણામાં સર્જનશક્તિ ઉગાડે છે, ખીલવે છે તેને ડાઉન કરી દે છે. તમે બહુ સફળ થાવ અને પોતાનાં સ્વયં પ્રકાશિત પોતને ગુમાવી દો, તેનાં કરતા થોડાં પણ સાચા અર્થમાં સફળ થાવ અને આગિયાની જેમ ઝળહળ થતાં, જીવંતતાથી જિંદગી સાચાં અર્થમાં જીવો તે વધુ ઇચ્છનીય છે.

           કેટલીક વાર આપણે જીવનનો અને જીવનમાં બનતી ઘટનાઓનો અર્થ સમજી જઈએ છે,તેને સ્વીકારી પણ લઈએ છીએ, પણ તેનાં મર્મ સુધી પહોંચી શકતા નથી. કંઈક કારણ હશે, કંઈક હજી શીખવાનું, વધું સમજવાનું, ઘડાવાનું બાકી હશે, તે આ ઘટના જીવનમાં બની. જો એ ન બની હોત તો જીવનનો એક મહત્વનો પાઠ ભણવા ન મળત. અને તે આગળ જતાં આપણને કદાચ વધુ નુકસાન પહોંચાડી શકત. ભવિષ્યને વધારે ડૅમેજ કરી શકત. અને આ પાઠ શીખવાની તક વહેલી આપવા બદલ ભગવાનને થેન્ક યુ કહી શકો, મક્કમતા કેળવીને જીવનમાં આગળ વધી શકો. તો જ તેના મર્મને પામી શક્યા છો, એમ કહી શકાય.

કાંટાળી કેડી પર ચાલી શકાય ,
       ચલાવી શકાય સંગાથે કોઈને?
                  એ પ્રતિપ્રશ્ન વ્યર્થ છે....

જીવન વહાણના હોકાયંત્ર બની શકાય,
        તરાવી શકાય કોઈને?
             એ સંકલ્પના જ વ્યર્થ છે...

સદેહે તું પોતાનામાં પોતાને...
          સાચવી જાણજે..
નથી કોઈ લેપ, દંભ, કપટ તે "પોત"ને...!

સ્વમાનને જાળવી શકાય અને સાચું જીવી શકાય...
        રક્ષિત ને રક્ષી શકાય..?
તે ઉદબોધન વ્યર્થ છે....

મિત્તલ પટેલ
"પરિભાષા"

Tuesday 26 April 2022

Listen me on You tube channel 🎥🎧❤️💫✨😀

https://youtu.be/x6AXJ8PPO80

Saturday 23 April 2022

GIET અને GCERT આયોજિત *ગ્રીષ્મોત્સવ: ૨૦૨૨*....✨🎉💫🪅🎋🎖️🎍🏆🎭
      
         બાળકોના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને આપણા નિયામક શ્રી જાલુ સાહેબ દ્વારા શરૂ થઇ રહેલ ગ્રીષ્મોત્સવની પ્રવૃત્તિઓમાં તજજ્ઞ તરીકે સહભાગી થવાનો મોકો મળ્યો. એ મારાં માટે ખૂબ જ આનંદની વાત છે. ભગવદ્ ગીતાને બાળભોગ્ય, બાળસહજ, સરળ નાટકો, વાર્તા, કવિતા સ્વરૂપે બાળકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. આ ઉપરાંત કલાવિષયક પ્રવૃતિઓ, ગણિત વિજ્ઞાનની પ્રવૃત્તિઓ, પરિવારને સંલગ્ન પ્રવૃત્તિઓ, કોડીંગ, વાર્તાઓ, દેશી રમતો જેવી ઘણી બધી પ્રવૃત્તિઓ આ ગ્રીષ્મોત્સવમાં છે. આપ આપના બાળકો, સરકારી શાળાના બાળકો અને પ્રાઇવેટ સ્કૂલના બાળકો ઉપરાંત પેરેન્ટ્સને પણ ચોક્કસથી આ પ્રવૃત્તિઓમાં જોડજો. જે scratch coding શહેરમાં બાળકોને ક્લાસીસ કરીને શીખવવામાં આવે છે તે પણ આ માધ્યમ દ્વારા બાળકો ઘરે બેઠા શીખી શકશે. મૂલ્ય શિક્ષણ, વ્યક્તિગત વિકાસ અને સર્વાંગી વિકાસના બીજ રોપતો અને તેનું સિંચન કરતો આ ઉત્સવ છે.
        બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે આવાં ગ્રીષ્મોત્સવ શિક્ષણ નિયામક શ્રી જાલું સાહેબ,સુઘડ મુકામે ગ્રીષ્મોત્સવ સાહિત્ય નિર્માણ કરનાર  સૌ તજજ્ઞ મિત્રો, આનંદીબેન પટેલની દીકરી અનારબેન પટેલ તેમજ તેમના જમાઈ જયેશભાઈ પટેલ પણ આમાં involve થઈને બાળકોના ભવિષ્ય માટે ખૂબ મેહનત કરી રહ્યા છે...

1લી મે ૨૦૨૨ (ગુજરાત સ્થાપના દિન) થી શરૂ કરી 5મી જૂન ૨૦૨૨ (વિશ્વ પર્યાવરણ દિન) સુધી સતત 36 દિવસ સુધી..
*ગ્રીષ્મોત્સવમાં શું કરીશું?*
1. શ્રીમદ્ ભગવદ્ ગીતા
2. વિજ્ઞાન કે ગણિતને લગતી પ્રવૃત્તિઓ
3. કલા વિષયક પ્રવૃત્તિઓ (ચિત્ર,સંગીત,ગાયન,ક્રાફ્ટ વગેરે)
4. કોડિંગ
5. મનોરંજન
6. વાર્તા
7. પરિવાર માટેની પ્રવૃત્તિઓ
*ગ્રીષ્મોત્સવ દરમ્યાન થનારી સ્પર્ધાઓ*
1. વકતૃત્વ 
2. બાળગીત
૩. કાવ્યલેખન, વાર્તાલેખન
4. શોર્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરી
5. ડ્રામા
ગ્રીષ્મોત્સવ દરમ્યાન સક્રિય ભાગીદારી કરનાર અને સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને પ્રમાણપત્ર તેમજ GIET દ્વારા તૈયાર થનાર કાર્યક્રમોમાં કામ કરવાની સોનેરી તક
*YouTube Channel Link*
https://www.youtube.com/c/GIETVIDYADARSHAN
*Telegram Group Link*
https://t.me/gietvidyadarshan
*Registration Form Link*
1. https://forms.gle/8LZQo5cRhQNkehSQ9
2. https://forms.gle/aNzrCuEu23tgbom28
3. https://forms.gle/GkCQqHTDohpyRUDu5
નોંધ: કોઈ પણ એક Registration Form ભરવું.

Saturday 16 April 2022

Feelings Magazine - Gujarati Editionના એપ્રિલ- 2022 અંકમાં મારી એક રચના પ્રકાશિત થઈ....

ગુજરાતી ભાષાનું સુપ્રસિદ્ધ મેગેઝિન - "ફીલિંગ્સ ગુજરાતી મેગેઝિન"✨🌷
ખૂબ ખૂબ આભાર ફીલિંગ્સ ગુજરાતી મેગેઝિન

       ફીલિંગ્સ છેલ્લા ૨૪ વર્ષોથી વડોદરાથી પ્રકાશિત થતું અને વિશ્ર્વભરમાં ૫૫ દેશોના ૨૭ લાખથી વધુ વાચકો ધરાવતું લોકપ્રિય પારિવારિક મેગેઝિન ગુજરાત અને ગુજરાતીભાષાને વિશ્ર્વસ્તરે પ્રમોટ કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે.

💫✨ફીલિંગ્સ નેનો યોગા અંક 
આજકાલ ભૌતિક સુખની દોડ માં આપણે સાધનો મેળવી રહ્યા છે પરંતુ અસલી સુખ હાથ માં નથી આવતું. માનસિક સ્તરે ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરવાની સ્થિતિ આ સાચું સુખ છે જે મેળવવા માં મદદરૂપ બને છે યોગા, મેડિટેશન... ડો. ધારા ભટ્ટ એ આ ક્ષેત્રમાં અદ્વિતીય સિદ્ધિ મેળવી છે તેમના નવીન સંશોધન નેનો યોગા દ્વારા. ફીલિંગ્સ ના આ અંકમાં વાંચો હૅપ્પીનેસ અને સુખ ની ચાવી જે માનવી નું જીવન બદલી શકે છે. આ ઉપરાંત હાલ વિશ્વ માં મ્યુઝિક ક્ષેત્ર માં ધૂમ મચાવી રહ્યું છે બીટીએસ બેન્ડ જેના ૭ યુવા ગાયક ઓસ્કાર સુધી પહોંચી ગયા છે... તેમની સફળ દાસ્તાન મન મોહી લેશે...

Read this Special Issue online at
https://www.feelingsmultimedia.com/e-magazine/

Thursday 14 April 2022

ઓરમાયું ઓરમાયું આકાશ કરે સંવાદ વાદળ જોડે....
કંઈ કેટલાય વરસો પહેલાથી આ પીડાનો અનુબંધ છે....!!

ક્ષણ ચૂકી નથી હર ક્ષણને મારવામાં...
ઓજસને અંધકાર સાથે બહુ મજબૂત કરુંણાબંધ છે....!!


સ્વીકાર, અસ્વીકાર એ પછીની વાત છે...
માણસનો માણસ સાથે 'હોવો જોઈએ'... 'જે નથી'... એ અનુકંપાનો અંશ છે...!!

મિત્તલ પટેલ
"પરિભાષા"

Wednesday 13 April 2022

GIET અને GCERT આયોજિત *ગ્રીષ્મોત્સવ: ૨૦૨૨*
1લી મે ૨૦૨૨ (ગુજરાત સ્થાપના દિન) થી શરૂ કરી 5મી જૂન ૨૦૨૨ (વિશ્વ પર્યાવરણ દિન) સુધી સતત 36 દિવસ સુધી..
*ગ્રીષ્મોત્સવમાં શું કરીશું?*
1. શ્રીમદ્ ભગવદ્ ગીતા
2. વિજ્ઞાન કે ગણિતને લગતી પ્રવૃત્તિઓ
3. કલા વિષયક પ્રવૃત્તિઓ (ચિત્ર,સંગીત,ગાયન,ક્રાફ્ટ વગેરે)
4. કોડિંગ
5. મનોરંજન
6. વાર્તા
7. પરિવાર માટેની પ્રવૃત્તિઓ
*ગ્રીષ્મોત્સવ દરમ્યાન થનારી સ્પર્ધાઓ*
1. વકતૃત્વ 
2. બાળગીત
૩. કાવ્યલેખન, વાર્તાલેખન
4. શોર્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરી
5. ડ્રામા
ગ્રીષ્મોત્સવ દરમ્યાન સક્રિય ભાગીદારી કરનાર અને સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને પ્રમાણપત્ર તેમજ GIET દ્વારા તૈયાર થનાર કાર્યક્રમોમાં કામ કરવાની સોનેરી તક
*YouTube Channel Link*
https://www.youtube.com/c/GIETVIDYADARSHAN
*Telegram Group Link*
https://t.me/gietvidyadarshan
*Registration Form Link*
 https://forms.gle/8LZQo5cRhQNkehSQ9
 https://forms.gle/aNzrCuEu23tgbom28
 https://forms.gle/GkCQqHTDohpyRUDu5
નોંધ: કોઈ પણ એક Registration Form ભરવું.

Wednesday 6 April 2022







ગુજરાત રાજ્ય પ્રાથમિક  શિક્ષક સંઘના  ...  "શિક્ષકજયોત "   મેગેઝિનનાં  એપ્રિલ-2022 અંકમાં  મારો લેખ .....

શૈક્ષણિક પાચનતંત્ર...💫✍🏻📚📖



         વર્ગખંડમાં આપણે કેટલું ભણાવીએ છીએ, તેનાં કરતાં બાળકોને કેટલું પચે છે, તેનું મહત્વ હંમેશાં વધું હોય છે.

            બાળક પચાવી શકે એટલી સરળ ભાષામાં, સરળ પદ્ધતિથી, પ્રવાહિતા જળવાઈ રહે તે તરાહથી, જુદા જુદા વિષયની સંકલ્પનાઓ, ગણિતના દાખલા ભણાવવામાં આવે તો બાળક કંઈક ગ્રહણ કરીને, કંઈક પ્રાપ્ત કરીને, વધુ સમૃદ્ધ થઈને શાળાએથી નીકળશે. જ્યારે શાળામાંથી બાળક કંઈ જ ગ્રહણ નથી કરી શકતો. પ્રયત્ન કરવા છતાં પણ કંઈક નવું શીખી નથી શકતો, ત્યારે તેનો શાળામાં આવવાનો ઉત્સાહ મંદ પડે છે. શાળામાં આવવાની રૂચી બાળકમાં જળવાઈ રહે તે માટે પણ બાળકને આપણે જે ભણાવીએ છે તે ગ્રહણ કરી શક્યો છે? તે તેને પચાવી શક્યો છે? તેને પામી શક્યો છે? તેની દરકાર લેવી ખૂબ જરૂરી છે. કદાચ એને મૂલ્યાંકનનું નામ આપી શકાય. 

          ગમે તેટલા વિદ્વાન શિક્ષક પણ જો બાળકના સ્તરે જઈને સરળ ભાષામાં ન ભણાવી શકતો હોય તો તેની અઘરા શબ્દોની વિદ્વતા કોઈ કામની નથી.. phd ની થીસીસ લખવી અને બાળકોને ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, ભાષાનાં જે તે મુદ્દાની સંકલ્પના, તેનાં મૂલ્યો, તેનો મર્મ, બાળકનાં મનોઆવરણ સુધી પહોંચે તે રીતે ભણાવવું, શિક્ષણ આપવું બંને અલગ વસ્તુ છે. બાળકોને કંઈ રીતે વર્ગખંડમાં માનસિક રીતે એકાગ્ર કરવા, ભણાવાતા ટોપીકમાં કંઈ રીતે ઇન્વોલ્વ કરવા, તેમને કંઈ રીતે પ્રશ્ન પૂછતા કરવા, કંઈ રીતે તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવો, તે માટે અધ્યાપન પદ્ધતિઓ શિક્ષકના વ્યક્તિત્વ શિક્ષકના બાળક સાથેના સંવાદ, આત્મીયતા પર આધાર રાખે છે. શિક્ષક પોતે સિદ્ધાંતવાદી હોય રોજ બાળકોમાં શૈક્ષણિક અને વ્યક્તિગત મૂલ્યો ને ઉતારી શકે છે.

         શિક્ષક "મેં કેટલું ભણાવ્યું"તેનાં કરતાં "બાળકોને કેટલું આવડ્યું"એ એ બાબત ધ્યાનમાં રાખીને અધ્યાપન કાર્ય કરશે તો ચોક્કસથી પોતાનું બેસ્ટ output આપી શકશે. બાળકોને જે તે વિષય કેટલો આત્મસાત થયો તે વખતોવખત મૌખિક કસોટી, પ્રશ્નોત્તરી દ્વારા ચેક કરતાં રહેવું પડે. શિક્ષક વર્ગખંડમાં ભણાવતી વખતે પોતે બાળકોને વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછતાં હોવાં જોઈએ. જેથી બાળક ભણતી વખતે વર્ગખંડમાં માનસિક રીતે સતત હાજર રહે. જો શિક્ષક જ વર્ગમાં પ્રશ્ન નહીં પૂછતા હોય તો બાળકોને કંઈ રીતે પ્રશ્ન પૂછતા કરી શકશે?

          શિક્ષક પોતે ભણાવેલું બાળકો કેટલું પચાવી શક્યાં છે, તેનો તાગ મેળવી શકે અને તે મુજબ પોતાની ભણાવવાની પદ્ધતિ, તેનાં સાધ્ય, સાધનોમાં પરિવર્તન લાવી શકે અને આ પ્રક્રિયા સતત સાતત્યપૂર્ણ રીતે ચાલતી રહે તે સાચું મૂલ્યાંકન. જેમ સર્વાંગી વિકાસ સાંધવાની પ્રક્રિયા એ સતત ચાલતી  પ્રક્રિયા છે, તેમ મૂલ્યાંકન પણ અધ્યાપનની પેરેલલ ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ. આપણે ભણાવતાં હોઈએ ત્યારે બાળકોના હાવભાવ, તેનાં પ્રશ્નો પૂછવાની તાલાવેલી પરથી અને બાળક ભણાવી રહ્યા છે, તે બરાબર સમજે છે ,ગ્રહણ કરી રહ્યો છે, તેનું વચ્ચે પ્રશ્નો પૂછી ચર્ચા કરી તેમના અભિપ્રાયો પૂછીને ઉદાહરણ પૂછીને તાગ મેળવી શકાય છે.


             શ્રેષ્ઠ અધ્યાપન પદ્ધતિઓ શ્રેષ્ઠ વક્તા તરીકે, શ્રેષ્ઠ સાધનો સાથે, ટેકનોલોજી સાથે ભણાવતા શિક્ષક પણ જો સમયાંતરે બાળકોએ કેટલું ગ્રહણ કર્યું છે, તેનું મૂલ્યાંકન પોતીકી વ્યવહાર બુદ્ધિથી કરતો ન હોય તો શક્ય છે કે બાળક સાવ કોરો રહીને ઘેર જાય અને શિક્ષક એક ખોટું આત્મિક સંતોષ લઈને જાય કે 'મેં બાળકોને ખુબ સરસ બનાવ્યું'. કેટલીકવાર કોઈ સાધન, ટેકનોલોજી વગર ભણાવતાં શિક્ષક પણ ગણિત વિજ્ઞાન કે અન્ય કોઈપણ વિષયની સંકલ્પનાઓ બાળકોને ખુબ સરસ રીતે આત્મસાત કરાવી શકતા હોય છે.

           અધ્યાપન પ્રક્રિયા એક healthy discussion, ચર્ચાના સ્વરૂપે પણ થઈ શકે. વર્ગમાં બેન્ચીસ ગોળમાં ગોઠવીને વચ્ચે શિક્ષક વિજ્ઞાન કે સમાજના કોઈપણ ટોપીક ને કથન અને ચર્ચા સ્વરૂપે, બાળકો સાથે involve થઈને, બાળકોને તેમાં involve કરીને પણ ભણાવી શકે છે. જ્યારે કોઈપણ અધ્યાપન પ્રક્રિયામાં બાળકોનો ઇન્વોલ્વમેન્ટ શિક્ષક વધારી શકે તેમને" how to learn" "how to concentrate" એ શીખવી શકે તો અર્થગ્રહણ અને અધ્યયન બેસ્ટ રીતે થઈ શકે. કંઈ રીતે "ધ્યાન"થી ભણવું, એ પદ્ધતિ સમજાવી શકાય. શિક્ષક જ્યારે વર્ગમાં "ધ્યાન આપો" તેમ બાળકોને કહે છે ત્યારે તેનો દઢ પણે એવો અર્થ થાય છે કે "ધ્યાનથી સાંભળો, સમજો અને યાદ રાખો". જ્યારે આ ત્રણ પ્રક્રિયા પેરેલલ થાય છે ત્યારે બાળક ખૂબ જ સહજ અને સરળ રીતે અર્થ ગ્રહણ કરી શકે છે માટે બાળકોને શાબ્દિક રીતે પણ "ધ્યાન આપવું" કંઈ રીતે તેનો આ મિનિંગ વારે-વારે યાદ દેવડાવતુ રહેવું પડે છે. તો ઓછા સમયમાં ઓછા પ્રયત્ને બાળક વધુ ગ્રહણ કરતું થશે, પચાવતું થશે અને શૈક્ષણિક પાચનતંત્ર મજબૂત બનશે . જે અઘરામાં અઘરી શિક્ષણની સંકલ્પના ઓને પણ સરળતાથી પચાવી શકશે.

મિત્તલ પટેલ
"પરિભાષા"
પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા
બાયડ, અરવલ્લી
mitalpatel56@gmail.com

Saturday 2 April 2022

રુક જાના નહી.... તું કહી હાર કે...


ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં-૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀

પ્રવૃત્તિમય શિક્ષણ દ્વારા બાળકોમાં પ્રશ્નો પૂછવાની વૃત્તિ કેળવી શકાય...✍🏻🌼



         બાળક માત્ર સાંભળીને ભણશે તો માત્ર અર્થગ્રહણ કરશે. બાળક વાંચી, સમજીને ભણશે તો ભાવાર્થ ગ્રહણ કરશે. પણ બાળક જો જાતે પ્રવૃત્તિ કરીને ભણતો હશે તો, તેનાં મર્મ સુધી પહોંચી શકશે. તે વિજ્ઞાનનાં જે તે મુદ્દાઓના તર્ક, સંકલ્પના વૈજ્ઞાનિક અભિગમ, અધ્યયન નિષ્પતિ કે જે આપણે બાળકોમાં સિદ્ધ કરવા માંગીએ છીએ, તે સાચાં અર્થમાં આત્મસાત થઈ શકશે અને બાળકો પ્રવૃત્તિમાં ઇનવોલ્વ થઈ ને ભણતાં હોવાથી કુતુહલતા, આશ્ચર્ય ઉત્સાહના ભાવ ખૂબ સફળ રીતે તેમનામાં કેળવાય છે. એ જ તેમને વર્ગમાં પ્રશ્નો પૂછવા પ્રેરે છે. કારણ કે કેમ? શા માટે? કેવી રીતે? જેવાં પ્રશ્નો તેમનાં મનમાં સતત ઉદ્દભવતા રહે છે.


        શિક્ષણ પ્રક્રિયાનું સૌથી સફળ સોપાન એટલે બાળકને વર્ગમાં પ્રશ્નો પૂછતાં કરવાં. જે પ્રવૃત્તિમય શિક્ષણ દ્વારા ખુબ સહજ રીતે થઈ શકે છે. આ પ્રવૃત્તિમય શિક્ષણ એટલે બાળકમાં બાળવૈભવને જીવંત રાખીને એક સહજ ફ્લોમાં બાળકમાં નોલેજ, વિચાર અને નાવિન્ય ને વાવવું. ગોખણપટ્ટી અને ચીલાચાલુ શિક્ષણ પદ્ધતિ કરતાં થોડું અલગ ,બાળકમાં આત્મવિશ્વાસ અને જીવંતતા સાથે જ્ઞાન સંપાદન કરાવતું શિક્ષણ એટલે પ્રવૃત્તિમય શિક્ષણ.

          વર્ગખંડમાં ક્યારેક માત્ર કથન પદ્ધતિથી ભણતાં બાળકોના મો અને આંખોના હાવભાવ નિહાળજો અને પ્રવૃત્તિ દ્વારા ભણતાં બાળકોના ચહેરાના હાવભાવ નું અવલોકન કરજો. પ્રવૃત્તિથી ભણતાં બાળકોમાં એકાગ્રતા, કુતુહલતા અને ઉમંગનો સમન્વય જોવા મળશે. ભણતર ક્યારેય બાળકો માટે બોજારૂપ ન બનવું જોઈએ. એન્જોયેબલ હોવું જોઈએ. એવું શિક્ષણ કોઈ જ કામનું નથી જે બાળકોની મૌલિકતાને ઢાંકી દે. શબ્દો અને વાક્યોની માયાજાળમાં બાળકને ગુંચવી દે. માર્ક્સ લાવવાની લાયમાં બાળક ચોપડીના જ્ઞાનની બહારનાં નવીન વિચારો ન પામી શકે. બાળક એ જ્ઞાનનું સર્જન કરવા સક્ષમ છે, શિક્ષકોએ તો માત્ર ઇન્ટરમિડીયેટ બનવાની જરૂર છે. ઇન્સ્ટ્રક્ટર નહીં. હન્ટર મેન નહી, માર્ગદર્શક બનવાની જરૂર છે. પ્રેરક અને સાથે સાથે ઉદ્દીપક બનવાની જરૂર છે. માત્ર વર્ગખંડ શિક્ષણ માટે જ નહીં શિક્ષકનું જીવન પણ બાળકો માટે ઉદ્દીપકનું કામ કરે તેવું હોવું જોઇએ. તેના વિચારો, વર્તન બાળકો માટે અનુકરણીય હોવા જોઈએ. શ્રેષ્ઠતાનું સિંચન કરે તેવું હોવું જોઇએ.


          ‌ પ્રવૃત્તિમય શિક્ષણ માટે સાધનો જ માધ્યમ થઈ શકે એવુ જરુરી નથી. બાળક વર્ગમાં આગળ આવી ખુદને રજુ કરતો હોય, પોતાના વિચારો વ્યક્ત કરતો હોય, નવી નવી આઈડીયાઓ વહેંચતો હોય, group discussion કરીને પ્રોજેક્ટ વર્ક કરતો હોય, નાટક ભજવીને કે કવિતા ગાઇને શિક્ષણ મેળવતો હોય,આંખ કાન નાક ચામડી બધી ઇન્દ્રિયોને involve કરીને જ્યારે બાળક ભણતો હોય, પ્રવૃત્તિ કરતો હોય ત્યારે તે શિક્ષણ ચિરંજીવી બની જાય છે. બાળક અલગ અલગ રંજકદ્રવ્ય ધરાવતા પર્ણો ભેગા કરી તેને સ્પર્શીને, નીહાળીને તે મુદ્દો શીખે. સુતરાઉ કાપડ સિન્થેટિક કાપડને જાતે સ્પર્શીને અલગ તારવતો હોય. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયાને એનિમેશન વિડીયો નિહાળીને ભણતો હોય. અંગ્રેજીમાં સંવાદ, ઉચ્ચાર ,સાંભળીને ભણતો હોય તો તે સંકલ્પનાઓનો બાળકોમાં સાચા અર્થમાં સમજણ, વિચાર કેળવાય છે. આત્મસાત થાય છે.

મિત્તલ પટેલ
"પરિભાષા"
પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા
 બાયડ, અરવલ્લી
Mitalparibhasha.blogspot.com
mitalpatel56@gmail.com

Friday 1 April 2022

"એક ભારત શ્રેષ્ઠ ભારત" કાર્યક્રમ અંતર્ગત  પ્રવૃતિઓ...

1) ગીત સ્પર્ધા....(song of Gujarat and chhatisgadh...made by me...😀)

2) નાટક.....(ગુજરાત અને સહભાગી રાજ્ય છત્તીસગઢ ના સાંસ્કૃતિક,સામાજિક , પરિવેશ, કલાકૃતિ,વગેરેને સમાવિષ્ટ કરતું નાટક....) written by me ..performed by students...

૬) પ્રોજેક્ટ વર્ક.....( Done by students with a guidence of Naimishaben...)

3) નિબંધ સ્પર્ધા....

૪) વકૃત્વ સ્પર્ધા...

૫) ચિત્ર સ્પર્ધા...

દેશના અલગ-અલગ રાજ્યોની સંસ્કૃતિ, કળાઓ, સમાજવ્યવસ્થા, વિશિષ્ટતાઓ માટે બાળકોમાં આદરભાવ જન્મે અને ભારત વિવિધતામાં એકતા ધરાવતો એક સમૃદ્ધ રાષ્ટ્ર છે. એ ભાવ મજબૂત બને તે હેતુથી ચાલતા કાર્યક્રમ "એક ભારત શ્રેષ્ઠ ભારત"... નું સપનું સાકાર બને તે યજ્ઞ માં એક આહુતિ....