Wednesday 30 September 2020


ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

દંભ- જાત ને છેતરવા માટે નો એક ઓથાર💫✍️


            વ્યવસાયલક્ષી શિક્ષણ શું અનુભવલક્ષી જ્ઞાન આપી શકે? જે ચિત્રહાર દુનિયા બતાવે તે ફાઈલ નાં સ્વરૂપમાં સન્મુખ થઈ શકે? કમાતા શીખવે તેવું જ્ઞાન ખપે કે જીવતા શીખવે તેવું જ્ઞાન પરવડે?જીવનમાં આવતી ભૂકંપો જેવી પરિસ્થિતિઓમાં, જે પોતાના અસ્તિત્વને જડમાંથી હચમચાવી નાખે તેમાં ટકી રહેતા અને ઉગરતા શીખવે તેવા શિક્ષણની પણ શું આવશ્યકતા નથી? ઘણુંય ભણેલાં વ્યક્તિઓ શું સહકાર, હુંફ, સંગાથની અપેક્ષામાં વલખાતા જીવન ટૂંકાવી દેતા જોવા નથી મળતા? તો શું ખૂટે છે? જીવનના પ્રારંભમાં સ્વ ને મજબુત બનાવવાની, જીવનનીલડાઈઓ માટે તૈયાર થવાની, ને હિંમતથી જીવનની દરેક પરિસ્થિતિ સામે હામ જીલવાની ક્ષમતા કેળવવાની જરૂર છે કે માત્ર ફર્સ્ટ ક્લાસના સર્ટીફીકેટ?પ્રેમની પરિભાષા અને માત્ર કવિતા સ્વરૂપમાં જ વાંચવાની તે લખવાની માનસિક આદત બનાવી દેવી છે કે માણસાઈ ને ધરમૂળમાંથી હચમચાવી નાંખનાર રેપ જેવા બનાવોને નજર અંદાજ ન કરતા ન કરતા રાવણ દહન કરવા સમાજે ભેગા મળીને ઊભા થવાની જરૂર છે? ઠેરઠેર છેતરપિંડીના કેસ જે પોલીસને ચોપડે નથી નોંધાતા ને ક્યારેય નોંધાવવાય નથી.તે પોતાનામાં રહેલા શેતાનને દૂર કરી ,માણસ માણસ પર વિશ્વાસ કરી શકે તેવાં સમાજની રચના કરવી છે કે માત્ર દંભ ના ઓઢા હેઠળ સમાજની આડ પાથરી માનસિક અસામાજીક પ્રવૃત્તિઓમાં જ રચ્યાપચ્યા રહેવું છે?.. કોઈના ઘરે દુઃખદ બનાવ બને છે , સોસાયટીમાં કોઈ પતિ પોતાની પત્નીને નિર્દય રીતે મારી રહ્યો છે તે ચીસો સંભળાય છે,સાસુ સસરા વહુ ને સતત માનસિક શારીરિક ત્રાસ આપી રહ્યા છે તમને અહેસાસ છે,  દેખાય છે છતાં તેમના ઘરનું એ ફોડે આપણે શું? શું આ માણસો સમાજમાં નથી આવતાં? આવા નિષ્ઠુર, દંભી સભ્ય સમાજ નાં અસ્તિત્વનો કોઈ અર્થ ખરો!!! કોઈપણ ધર્મ ,કોઈપણ જાતિ,કોઈપણ સમાજ જો માણસાયત ના શીખવી શકે તો તે બધા જ માત્ર દંભી જ છે. નાસ્તિક માણસ પણ જો કોઈની મદદે આવી શકતો હોય કોઈ મુશ્કેલી જોઈને મનમાં દયાભાવ ઉભરાતો હોય અને શક્ય એટલી મદદ હિંમત થી કરી જાણતો હોય તો તેનાથી વધારે ધાર્મિક માણસ આ દુનિયામાં કોઈ નથી.

           "દુનિયા સ્વાર્થી થઈ ગઈ છે"સૌના મોઢે થી સાંભળીએ છે. દુનિયા શાની બનેલી છે? માણસોની. તો શું તમે માણસ નથી? શું તમે દુનિયાનો હિસ્સો નથી? તો તમારાથી શરૂઆત કરો ને. કમ સે કમ તમે સ્વાર્થી ન થાવ. કમ સે કમ તમે માનવતા દાખવો. કમ સે કમ તમે સાચા અર્થમાં "માણસ" બનવાની હિંમત કેળવો.


              રસ્તે નીકળતી ગાડી પણ જો સિગ્નલ પર આવતા ઉભી રહેતી હોય તો આપણે તો માણસ છે. દંભનો આંચળા ઉતારી સરળ, નિર્ભિક ,સહજ બની જીવી શકીએ. હા ભૂલોને પણ સ્વીકારી માણસ હોવાનો ઉત્સવ ઉજવીએ. શા માટે એવું સાબિત કરવા સતત મથીએ કે હું તો ભૂલ  કરી જ ન શકુ. ભૂલ નહીં કરો તો આગળના રસ્તા પર ફાનસ સળગાવી સાવચેતીપૂર્વક ચાલતા શીખશો કઈ રીતે? ભૂલો તો રસ્તે આવતાં બમ્પ જેવા છે તે બમ્પ પહેલા બોર્ડ મારેલું છે ચેતવણી સ્વરૃપ છે કે  go slow,bump ahead. પણ છતાંય ભૂલ થાય છે. થોડીક સફળતા મળતા માણસ અહમ માં રાચવા માડે છે. ભૂલો તેમને વિનમ્ર બનતા શીખવાડે છે.આ "હું"એ સૌથી મોટો દંભ છે.

              દરેક વ્યવહારમાં કેલ્ક્યુલેશન. હું સામેથી સ્માઈલ કેમ આપુ ? તે હસે તો જ હું હસુ... હું સામેથી વાત કેમ કરું? કેટલીકવાર તો spouse સાથે પણ મતભેદ થયો હોય તો હું સામેથી કેમ જઉ.. તે મનાવવા આવે તો જ. અરે..... તમે માણસ છો કે કેલ્ક્યુલેટર? દરેક વસ્તુમાં ગણતરી.

            ખુશી સામેથી વ્યક્ત ન કરી શકો?ભૂલ સામેથી ન સ્વિકારી શકો? સરળ બની, હસીને, સહજતાથી દંભ વગર મસ્ત જીવી ન શકો? નાની નાની વસ્તુઓમાં જડતા અને વધુ પડતી આસક્તિ ને લીધે સતત થતી કચકચને પડતી મૂકી રઘવાયા મુક્ત જિંદગી જીવી લેવાની પહેલ અવશ્ય કરી શકાય.


મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

Sunday 27 September 2020

આખેટ   ✨💫 અશ્વિની ભટ્ટ

"અકથ્ય સંવેદન"

"રૂમાલ માં સુગંધ સંતાઈ""

"ક્યાંક ક્યાંક ઝરણાનું પાણી અટવાઈને, કાળમીંઢ પથ્થરોમાં પડેલા મોટા ગબ્બામાં ભરાઈ રહ્યા હતાં".

"જીવનમાં કેટલાય પ્રસંગો અને પરિસ્થિતિઓ એવી હોય છે જ્યારે માણસે તેના કિલર ઈન્સ્ટીન્ક્ટ પર આધાર રાખવો જોઈએ . તેની સૌજન્યશીલતા કે વિવેક પર નહીં"

"પુરુષ ધૂંઆધાર હોવો જોઈએ.." "ધૂંઆધાર માણસો ના પ્રશ્નો પણ એવા જ જટીલ હોય
છે" "mysterious"ઇસ ધ પ્રોપર વર્ડ ફોર ઈટ".."એવાં માણસો નાં વ્યક્તિત્વ પણ તેવા જ હોય! નોન ટ્રાન્સપરન્ટ..."

"તું intuition માં... અંતઃસ્ફુરણા માં માને છે? અંતરમાંથી ઉઠતા સંવેદને તમે ક્યારેય કશું માર્ગદર્શન આપ્યું છે?.."

"તું વધુ પડતો નમ્ર અને સાલસ છે. ક્યારેક તેનાથી અનર્થ સર્જાય છે .આ જમાનામાં તેનાંથી વધું કશુંક જોઈએ..."

"પ્રેમની કોઈ માત્રા ન હોય, પ્રેમ તો સો ટકા જ હોઈ શકે તેમાં કોઈ બીજી ટકાવારી ન હોય..."

"સંગેમરમરથી મઢેલા દહાલના થળા પર એક અનુપમ ગઝલ રચાઈ.. જેના કોઈ શબ્દો ન હતાં. જેના રદીફ અને કાફિયા માં એક જ શબ્દ હતો.. ઇશ્ક"

"પુરુષ અને પ્રકૃતિ, આત્મૈકય અને આસક્તિ"

"ઝઝૂમવું તે જ તો માણસ હોવાનું તાત્પર્ય છે. તે જ તો તેનું સત્વ છે..."

"અપાર સુખની પળો શાશ્વત નથી હોતી. એકાએક જ તેનો અંત આવે છે"

"જે સ્પંદનો નું સંગીત સર્જાઇ રહ્યું હતું, તેને આસવાનો નશો ચડી રહ્યો હતો..."
"કોઈ અસ્ફુટ શક્તિ, કોઈ અગમ ઉર્જા, કોઈ અલૌકિક એન્કાઉન્ટરની મર્યાદામાં તે જકડાઈ ગઈ હતી"
"પુરુષ ખડક જેવો હોવો જોઈએ..જે "પૈસાને " એક લક્ષ્ય તરીકે નહીં પણ એક સાધન તરીકે જોઈ શકે...જે મુસીબતમાં પણ એવો જ હોય અને વિજયની પળોમાં પણ "સ્વ " ગુમાવતો ન હોય.."

"માણસ નું વક્તવ્ય ,તેનો દેખાવ, તેની રહન-સહન, એ તેનું વ્યક્તિત્વ નથી... તેનું વ્યક્તિત્વ તેના વાસ્તવ- દર્શન પ્રત્યેનાં અભિગમ થી છતું થાય છે... અને એ અભિગમ વાસ્તવ ના અનુભવ વગર અશક્ય છે.."

✨ કેટલાક નવા શબ્દ પણ મળ્યા..

"સ્પંદનો નું સંગીત"
"નિર્વાચ વાતચીત"
"આશ્રવ"
"અભિસંગની ઉષ્મા"
"નશાર્ત"
"નેપથ્ય"

Now reading part-3 of...."આખેટ"

થોડુંક ઈરીટેટીંગ કેરેક્ટર માલતી નું લાગ્યું....

આખેટ   ✨💫 અશ્વિની ભટ્ટ

"અકથ્ય સંવેદન"

"રૂમાલ માં સુગંધ સંતાઈ""

"ક્યાંક ક્યાંક ઝરણાનું પાણી અટવાઈને, કાળમીંઢ પથ્થરોમાં પડેલા મોટા ગબ્બામાં ભરાઈ રહ્યા હતાં".

"જીવનમાં કેટલાય પ્રસંગો અને પરિસ્થિતિઓ એવી હોય છે જ્યારે માણસે તેના કિલર ઈન્સ્ટીન્ક્ટ પર આધાર રાખવો જોઈએ . તેની સૌજન્યશીલતા કે વિવેક પર નહીં"

"પુરુષ ધૂંઆધાર હોવો જોઈએ.." "ધૂંઆધાર માણસો ના પ્રશ્નો પણ એવા જ જટીલ હોય
છે" "mysterious"ઇસ ધ પ્રોપર વર્ડ ફોર ઈટ".."એવાં માણસો નાં વ્યક્તિત્વ પણ તેવા જ હોય! નોન ટ્રાન્સપરન્ટ..."

"તું intuition માં... અંતઃસ્ફુરણા માં માને છે? અંતરમાંથી ઉઠતા સંવેદને તમે ક્યારેય કશું માર્ગદર્શન આપ્યું છે?.."

"તું વધુ પડતો નમ્ર અને સાલસ છે. ક્યારેક તેનાથી અનર્થ સર્જાય છે .આ જમાનામાં તેનાંથી વધું કશુંક જોઈએ..."

"ક્યારેક વિવેક અને સૌજન્યશીલતા નબળાઈના પર્યાય લેખાય છે.."

"પ્રેમની કોઈ માત્રા ન હોય, પ્રેમ તો સો ટકા જ હોઈ શકે તેમાં કોઈ બીજી ટકાવારી ન હોય..."

"સંગેમરમરથી મઢેલા દહાલના થળા પર એક અનુપમ ગઝલ રચાઈ.. જેના કોઈ શબ્દો ન હતાં. જેના રદીફ અને કાફિયા માં એક જ શબ્દ હતો..... ઇશ્ક....."

"પુરુષ અને પ્રકૃતિ, આત્મૈકય અને આસક્તિ"

"સમય ઓછો પડે છે એમ કહેવું એ આત્મવંચના છે."

"ઝઝૂમવું તે જ તો માણસ હોવાનું તાત્પર્ય છે. તે જ તો તેનું સત્વ છે..."

"અપાર સુખની પળો શાશ્વત નથી હોતી. એકાએક જ તેનો અંત આવે છે"

"જે સ્પંદનો નું સંગીત સર્જાઇ રહ્યું હતું, તેને આસવાનો નશો ચડી રહ્યો હતો..."
"કોઈ અસ્ફુટ શક્તિ, કોઈ અગમ ઉર્જા, કોઈ અલૌકિક એન્કાઉન્ટરની મર્યાદામાં તે જકડાઈ ગઈ હતી"
"પુરુષ ખડક જેવો હોવો જોઈએ..જે "પૈસાને " એક લક્ષ્ય તરીકે નહીં પણ એક સાધન તરીકે જોઈ શકે...જે મુસીબતમાં પણ એવો જ હોય અને વિજયની પળોમાં પણ "સ્વ " ગુમાવતો ન હોય.."

"માણસ નું વક્તવ્ય ,તેનો દેખાવ, તેની રહન-સહન, એ તેનું વ્યક્તિત્વ નથી... તેનું વ્યક્તિત્વ તેના વાસ્તવ- દર્શન પ્રત્યેનાં અભિગમ થી છતું થાય છે... અને એ અભિગમ વાસ્તવ ના અનુભવ વગર અશક્ય છે.."

✨ કેટલાક નવા શબ્દ પણ મળ્યા..

"સ્પંદનો નું સંગીત"
"નિર્વાચ વાતચીત"
"આશ્રવ"
"અભિસંગની ઉષ્મા"
"નશાર્ત"
"નેપથ્ય"

Now reading part-3 of...."આખેટ"

થોડુંક ઈરીટેટીંગ કેરેક્ટર માલતી નું લાગ્યું....

Thursday 24 September 2020

"ધ સિક્રેટ -------(રહસ્ય)---અદભુત રહસ્યો પરથી પડદો ઉઠાવતું પુસ્તક"📗💫✨🧬

              રોન્ડા બર્ન દ્વારા લખાયેલ આ અદભુત શબ્દ ગુચ્છ રુપી પુસ્તક કોઈપણ વ્યક્તિનાં જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની શકે તેમ છે. આ પુસ્તક તમારાં જીવનને જોવાનો આખો નજરીયો બદલી નાખે, તમારાં માનસ ને એક ઉચ્ચતમ લેવલ સુધી પહોંચાડવા સક્ષમ છે. તમારાં વિચાર કરવાની દિશા, દ્રષ્ટિકોણ, વ્યક્તિને મૂલવવાની, તેને જજ કરવાની, પરિસ્થિતિ સાથે તાલમેલ સાધવાની આખી પ્રક્રિયાને જડમૂળમાંથી બદલી નાખવા સક્ષમ છે.

          પહેલી નજરમાં નામ પરથી આ પુસ્તક કોઈ થ્રિલર નોવેલ હોય એવું લાગે.. પણ હકીકતમાં નોવેલ નથી. તમે તેના દરેક વાક્યને જીવનસૂત્ર બનાવી શકો, આ પુસ્તક માત્ર વાંચી જવા માટે છે જ નહીં. તે થોડું વાંચીને સતત મનન કરવા માટે છે. અને તમે નહીં ઈચ્છો તો પણ તમારી જાણ બહાર તમારું મન આપોઆપ તેનું મનન કરવા મજબૂર બની જ જશે.

          કેટલીક વાર આપણને લાગે છે કે જેવું દેખાય છે તેવું હોતું નથી અને જેવું હોય છે તે ક્યારેય દેખાતું નથી. બધાં લોકો અને દરેક પરિસ્થિતિ ઓથાર રાખીને જીવે છે. પણ હકીકતમાં જેવું જોવાનું વિઝયુલાઈઝ તમે કર્યું હશે... શબ્દો દ્વારા ઉચ્ચારીને કે વિચાર દ્વારા એવો ભાવ રાખી ને તેવી જ પરિસ્થિતિ નું અવતરણ થાય છે એ આ પુસ્તક વાંચતાં સહજ રીતે સમજાશે.
   

            અહીં તમે લોક એન્ડ કી મોડલ યાદ આવી શકે છે. તમારા જીવનમાં કૃતજ્ઞતાની, હકારાત્મકતાની, આંતરદ્રષ્ટિ રૂપી ચાવી તમને મળી ગઈ હોય અને ખુશી આનંદ પ્રસન્નતા જીવન તથા આંતરિક શાંતિ નું લોક ખુલી ગયું હોય તેવું ફીલ થશે. ખરેખર તો તમારી આંતરિક આનંદ ,આંતરિક શાંતિ, તથા અંતર્દૃષ્ટિ મેળવવાની દિશામાં જવું જોઈએ તે પછી બાહ્ય વસ્તુઓ તો આપોઆપ મળશે.તમારી નિરાશામાંથી ક્ષણવારમાં બહાર નીકળી શકવાની ચાવી તમને આ પુસ્તકમાંથી મળી શકે છે.તમે બીજાને મદદ કરો છો પણ હકીકતમાં તમે પોતાને મદદ કરો છો એની તમને અનુભૂતિ થશે. તો જીવનની દરેક ક્ષણને પોઝિટિવ ફિક્વન્સી પર સેટ કરવા પુસ્તક અવશ્ય વાંચો.

મિત્તલ પટેલ
 "પરિભાષા" 
અમદાવાદ
mitalpatel56@gmail.com

Wednesday 16 September 2020


ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

"અંતરાત્માને જીવનની દીવાદાંડી બનાવીએ તો ક્યારેય ભૂલા પડાય ખરું!!!"✨💫🌸⛳

    

     ભીતર જાગતો આગિયો ને...
              બહાર અજવાળાને શોધે...
      સંગાથ સાચો સંગાથે ને...
                કાઠે કાઠે દરિયો શોધે.....

         કેટલીક વાર જ્યારે આપણે જીવનનાં મહત્વનાં નિર્ણયો લેવાના હોય છે ત્યારે ભીતરથી એક અવાજ આપણને કંઈક જાણે કહેતો હોય, કોઈક દિશામાં આપણને દોરતો હોય, કદાચ સાચી દિશા બતાવતો હોય એવો અનુભવ આપણને જીવનમાં ક્યારેક ને ક્યારેક અવશ્ય થાય છે. કેટલીકવાર આ અવાજને આપણે માત્ર આપનો ભ્રમ સમજી તેને અવગણી મગજ જે કહે તે કરીએ છીએ. ત્યારે કેટલીકવાર તે નિર્ણય લેવા બદલ પસ્તાવુ પણ પડે છે. દુનિયા અને તેમાં આપણી જીવન યાત્રા દરમિયાન બનતી ઘટનાઓ અને પરિસ્થિતિ અકળ અને ગૂઢ હોય છે. ક્યારેક આપણને જીવનમાં થનારી ઘટનાઓનો પૂર્વાભાસ પણ થતો હોય છે. ભીતરથી કોક આપણને કંઈક કરતાં રોકી રહ્યું હોય એવું લાગે જેમ કે કેટલીકવાર કોઈ સારા પ્રસંગમાં વારંવાર વિઘ્નો આવે તો સમજવું કે કોઈક ગુઢ ચેતના આપણને કંઈક દિશા સૂચન કરી રહી છે. પણ જ્યારે આપને તેને અવગણી કુદરત સાથે જબરજસ્તી કરી કોઈક કાર્ય કરાવવા ની ચેષ્ટા કરીએ છીએ ત્યારે તેમાં આપણું હિત કયારેય સમાયેલું હોતુ નથી.

             જ્યારે પણ તમારે જીવનમાં કોઈક મહત્વનો નિર્ણય લેવાનો હોય તો અંતરાત્માને ચોક્કસ પ્રશ્ન પૂછજો કે શું આ મારા માટે યોગ્ય છે?? જો તમારું મન નિર્લેપ અને ચોખ્ખું હશે તેના પર દંભ ના આવરણ નહીં જામ્યા હોય તો તમે ચોક્કસ અંતરાત્માનો અવાજ સાંભળી શકશો.

‌             અંતરનાદ જીવનના ભલભલા મોટા તોફાનો સામે લડવાની તાકાત પેદા કરે છે. તે તમારામાં મક્કમ પોતાના ધ્યેય માટે ઝઝૂમવાની હિંમત પેદા કરે છે. અંતરનાદ ભીતરમાં થી ઉઠતો એક એવો નાદ છે કે જીવનમાં હર તબક્કે સાચી પસંદગી તમને કરાવી ઉત્તરોઉત્તર પ્રગતિ ના પંથે તમને ખેંચી જાય છે. અને ભૂલો કરતા અને ખોટી પસંદગી કરતાં અટકાવે છે. શ્રેષ્ઠ માણસ બનાવામાં મદદ કરે છે. જીવનનો સાચો મર્મ સમજાવી, જીવનનાં મૂળભૂત હેતુ સાથે તમારો પરિચય કરાવી જીવનને સાર્થક બનાવવામાં મદદ કરે છે.

‌ મિત્તલ પટેલ
‌" પરિભાષા"
‌ અમદાવાદ

Thursday 10 September 2020

ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

"તમે પ્રાર્થના કેવી રીતે કરો છો??"...🙏🌷⛪🕌🕍🤔


   બે હાથ જોડી સ્વાંગ રચતા પણ
             માનવો સહુ ભાળ્યા... હે ઈશ!!
   
 તું છું મારામાં  ને સૌ માં ....તેથી જ...
        "એકતારો" બની સાંભળ્યાં... હે ઈશ!!

નિહાળે સઘળે તોય તું ભીતર...
          ભીતર તોય સઘળે વિહરતો..

આતમ ને પરમાતમ નો સંવાદ સમ પ્રાર્થના..
           પરમ આનંદની છે તે ફલશ્રુતિ.. હે ઈશ!!


       આપણાં સૌનાં જીવનમાં ઉતાર-ચઢાવ ની હારમાળારૂપી સંજોગો આવતાં હોય છે. ક્યારેક બહારથી ખૂબ જ સ્વસ્થ અને ખુશ દેખાતી વ્યક્તિ ભીતરમાં ભયંકર એકલતા અને હતાશા નો સામનો કરી રહી હોય છે. સર્વાઈવ કરવાં તે મરણિયા પ્રયાસો કરી રહી હોય એવું પણ હોય છે. જીવન તેને જે ઘટનાઓ,  અન એક્સપેક્ટેડલી બદલાતાં પોતીકાં માણસો ના આઘાતો, લાગણી અને સંવેદનાને ચુર ચુર કરી નાખે તેવી પરિસ્થિતિઓ તેની સામે મૂકે છે. તેની સામે તે લગભગ એકલો ઝઝૂમતો હોય છે. તે પણ મોઢા પર હસતું માસ્ક રાખીને અને રૂટિન વ્યવસાયિક અને પારિવારિક જવાબદારીઓ નિભાવવાની સાથે. આ સમયે તેને માનસિક તાકાતની જરૂર પડે છે. દઢ મનોબળ ની જરૂર પડે છે. અને પ્રાર્થના મનને શાતા આપતું, પ્રસન્નતા બક્ષતું ઔષધ છે. ભીતર ભલે ગમે તેટલી ઊથલપાથલ ચાલતી હોય પણ મનને સ્થિર ,સ્વસ્થ અને સ્પિરિચ્યુઅલ પાવર થી ભરપુર રાખતું અદ્વિતીય અને અદભુત સંવેદન છે.
   
             પ્રાર્થના તમને તમારા "સ્વ" સાથે સંવાદ સાધવા માં મદદ કરે છે ,તમારી જાતને ઓળખવામાં , તમારી જાતને પ્રેમ કરવામાં ,તમારી જાતને તમારો સાચો મિત્ર બનાવી આપવામાં મદદ કરે છે.

          પ્રાર્થના એ આતમનો પરમાતમ સાથેનો સીધો ઓડિયો કોલ છે.બંને ક્યાંય મંદિરમાં કે કોઈ મૂર્તિ માં નહીં દરેક વ્યક્તિ, દરેક જીવની ભીતર છે તો મંદિરમાં જઈને જ પ્રાર્થના થાય એવું કોઈ equation હોઈ શકે ખરું!!

           પ્રાથના તો પોતાની આંતરિક દ્રષ્ટિ ને જાગ્રત કરવાનું, આંતરિક તાકાત મજબૂત કરવાનું હથિયાર છે. પ્રાર્થના કોઈ સ્થળ, સમય કે પદ્ધતિની મહોતાજ નથી. ધર્મ, જાતિ, રિવાજોના વાડા તો આપણે બાંધ્યા છે. જો તે આપણને પ્રાર્થનાનો સાચો મર્મ સમજાવતાં હોય, દરેક પરિસ્થિતિમાં ટકી રહેવા સ્પિરિક્ચ્યુઅલ પાવર ની અનુભૂતિ આપતું હોય, "માનવતા " ની રોપણી આપણા સૌની અંદર સફળતાપૂર્વક કરી શકતું હોય,દયાભાવ સેવા નો ભાવ એકબીજાને મદદ કરવાની ભાવના નૈતિકતાનું નિરૂપણ  જો આપણામાં કરતું હોય તે જ ધર્મ સાચો. માણસને માણસ થી દૂર કરે, બીજા ધર્મનાં હોવાથી તે તૃચ્છ છે, પોતાનો ધર્મ શ્રેષ્ઠ, બાકીનાં ધર્મનાં માણસો નિમ્નકક્ષાના, બીજા ધર્મો ખોટા આ પ્રકારના વિચારમાં પ્રવૃત્તિઓ કરતા હોય તે ધર્મ માત્ર "વાડા" છે જે તમને ડરાવવા માટે છે . તમે મંદિર માં આટલાં રૂપિયાનું દાન કરશો તો તમને પુણ્ય મળશે.ઈશ્વરનાં નામે ઊભો કરાયેલો એક બિઝનેસ છે.ઈશ્વર ક્યારેય ડરાવવા માટે નથી હતો તેનો હર એક જીવને પ્રેમ કરે છે.

માણસ -માણસ ની વચ્ચે ભેદ કરાવે  તે ધર્મ નથી
        " સ્વ "ને "સૌ" માં અનુભૂત કરાવે તે ધર્મ છે.


મિત્તલ પટેલ
" પરિભાષા" 
અમદાવાદ

Thursday 3 September 2020

ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

🤹 પોતાનાં વિચારો જબરજસ્તી બીજા પર થોપવાની  વૃત્તિ..💫🤔🤨🧐

‌       કેટલાક લોકો ખરેખર ખૂબ સારાં માણસ હોય છે  પણ માત્ર આ એક દુર્ગુણ ને કારણે તે સૌનાં અળખામણા બની જતાં હોય છે.તેમનો કોઈને હર્ટ કરવાનો ઇરાદો બિલકુલ હોતો નથી પણ પોતાની પસંદ, પોતાનાં ગમા-અણગમા, પોતાનાં અનુભવ જેવાં જ સામેવાળાના પણ હોવાં જોઈએ તેવું દ્ઢપણે એમનાં મનમાં ઘર કરી ગયું હોય છે.સામેવાળી વ્યક્તિ કઈ પણ કહે જો તે તેના વિચાર સાથે મેચ ન થતી હોય તો ખૂબ આક્રમક રીતે તેની પાસે પ્રુવ કરવાની કોશિશ કરે છે કે હું વિચારું છું એ જ બેસ્ટ છે અને તારે એ જ કરવું જોઈએ. જે પોતાને ગમતું હોય છે ,વિચાર્યું હોય છે તે સામેની વ્યક્તિ પર જબરજસ્તી થોપવાની કોશિશ કરે છે. સામેવાળી વ્યક્તિ સતત પ્રતિકાર કરે તો પણ. અને આવાં માનસ ધરાવતાં માણસો તેના સંપર્કમાં આવતાં લોકોને ટોર્ચર ફીલ કરાવનારા બની રહે છે.


‌.            આવા વ્યક્તિ સ્વકેન્દ્રી હોય છે. પોતાનાં સતત વખાણ સાંભળવા ની ખેવના રાખતાં હોય છે. સહેજ તેમના ઓપિનિયન નો વિરોધી અભિપ્રાય આપો તરત તેઓ ધૂંધવાઇ જાય છે. આવું હોઈ જ ન શકે. હું જે વિચારું છું તેવું જ હોય. હું જે અનુભવું છું તેવું જ હોય. બધાની પસંદ મારાં જેવી જ હોય.બીજાની પસંદ ગમા-અણગમા ,અનુભવો તેનાથી અલગ હોઈ શકે છે તે વિચારવું પણ તેના માટે અસંભવ હોય છે. એટલી હદે તે વ્યક્તિ સ્વકેન્દ્રી બની ગયેલ હોય છે. કોઈ તેમનાં વખાણ ન કરે તો સામેથી પ્રશ્નો પૂછી પૂછીને પણ પોતાનાં વખાણ કરાવતાં રહે છે. 'જો આ ગીત મેં ગાયું મસ્ત અવાજ છે ને મારો?'  'શું તમને નથી લાગતું કે આ કામ મારાથી સરસ થયું છે?' આવી વૃત્તિ તેમની હોય છે એમાંય આખાબોલો કોઈ માણસ તેને મળી જાય અને સાચી વાત સ્પષ્ટ પણે કહી દે તો તરત તેનો અહમ્ ઘવાઈ જાય છે. અને પછી આક્રમક બનીને "તમને કંઈ ન સમજાય આમાં"એવો અહેસાસ તેને કરાવી દેવા તલપાપડ બની જાય છે.


‌.            આ વૃત્તિ જન્મે છે ક્યાંથી?? બાળપણમાં મા-બાપ એ બાળકને વધુ પડતા લાડ લડાવ્યા હોય ને ખોટું હોય કે ખરું માત્ર તેનું ઉપરાણું લઇને ખોટા ને પણ છાવરવાની, ને સતત એનાં અહમને પંપાળવા ની વૃત્તિ કરી હોય તો તે બાળક મોટું થઈને" સ્વકેન્દ્રી "બની જાય છે.પોતાના વર્તનથી સામેવાળી વ્યક્તિને દુઃખ થાય છે, તેનાથી તેના અંગત લોકો તેનાથી દૂર થઈ જાય છે, પોતે એકલો થઈ જવા તરફ જઈ રહ્યો છે, તેનો અહેસાસ પણ તેને બહુ મોડેથી થાય છે.



‌.           આ સ્વકેન્દ્રીપણાને લીધે લોકો તેની અવગણના કરવા લાગે છે. તેના સારા ગુણો ટેલેન્ટ માત્ર તેના એક દુર્ગુણ ને લીધે ઢંકાઈ જાય છે. માબાપ બાળકને ગમે તેટલો  પ્રેમ કરતાં હોય પણ સાચા-ખોટા વચ્ચેનો ભેદ સમજાવે તે ખૂબ જરૂરી છે. બાળક ખોટું કરે તો તેને ખોટું કર્યું છે તેનો અહેસાસ પણ કરાવવો ખૂબ જરૂરી છે. તેની નાની મોટી સજા મળવી પણ જરૂરી છે. જેથી પોતે "માણસ" છે ભગવાન નહીં તેનો તેને અહેસાસ રહે. બાળકને બીજાના અલગ વિચારો અલગ ઓપીનિયન ને પણ રિસ્પેક્ટ આપતા શીખવવું ખૂબ જરૂરી છે. બાળકની "હા"મા સતત "હા" મેળવવાથી તમે તેને વધુ પ્રેમ કરો છો તેમ સાબિત નથી થતું. બાળકને તેની જિંદગીમાં "ના" પચાવવાની કેળવણી પણ આપવી ખૂબ જરૂરી છે. તેને જોઈએ તે બધું જ ક્યારેય મળવાનું નથી. બધું જ મળી જાય એનું નામ જિંદગી નથી.બધા જોડે આપણે આત્મીયતાથી મળી શકીએ ,જીવી શકીએ તેનું નામ જ જિંદગી છે. એવો તેને અનુભવ આપવો ખૂબ જરૂરી છે


‌.             આવા લોકો સ્વાર્થી કે કપટી નથી હોતાં.. તેઓ એક માત્ર સ્વકેન્દ્રીપણાની બીમારી થી પીડાતાં હોય છે જો તેઓ વહેલી તકે આ કુંડાળામાંથી બહાર નીકળી જાય તો કંઈ કેટલાય સબંધો બગડતા અટકાવી શકે તેમ છે.


‌ સ્વીકારી શકે જો તું કોકને
‌            તેના પોત સાથે...

‌ પ્રીત બાંધી શકીશ તું
‌             તારી જાત સાથે...

‌ ખુદને મળવું હોય તો
‌              વિસરી જોજે જાત..

‌ જોડાયેલ છે અહીં હર કોઈ
‌              એક પરમ આતમ સાથે


‌ મિત્તલ પટેલ
‌" પરિભાષા"
‌ અમદાવાદ
‌mitalpatel56@gmail com


Wednesday 2 September 2020

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નાં મેગેઝીન "શિક્ષક જ્યોત" નાં સપ્ટેમ્બર-2020 અંકમાં મારો લેખ........
પટેલ મિતલબેન અમિતભાઈ

ગણિત વિજ્ઞાન શિક્ષક..

M.sc (Microbiology), B.ed

પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા

બાયડ, અરવલ્લી