Sunday 27 September 2020

આખેટ   ✨💫 અશ્વિની ભટ્ટ

"અકથ્ય સંવેદન"

"રૂમાલ માં સુગંધ સંતાઈ""

"ક્યાંક ક્યાંક ઝરણાનું પાણી અટવાઈને, કાળમીંઢ પથ્થરોમાં પડેલા મોટા ગબ્બામાં ભરાઈ રહ્યા હતાં".

"જીવનમાં કેટલાય પ્રસંગો અને પરિસ્થિતિઓ એવી હોય છે જ્યારે માણસે તેના કિલર ઈન્સ્ટીન્ક્ટ પર આધાર રાખવો જોઈએ . તેની સૌજન્યશીલતા કે વિવેક પર નહીં"

"પુરુષ ધૂંઆધાર હોવો જોઈએ.." "ધૂંઆધાર માણસો ના પ્રશ્નો પણ એવા જ જટીલ હોય
છે" "mysterious"ઇસ ધ પ્રોપર વર્ડ ફોર ઈટ".."એવાં માણસો નાં વ્યક્તિત્વ પણ તેવા જ હોય! નોન ટ્રાન્સપરન્ટ..."

"તું intuition માં... અંતઃસ્ફુરણા માં માને છે? અંતરમાંથી ઉઠતા સંવેદને તમે ક્યારેય કશું માર્ગદર્શન આપ્યું છે?.."

"તું વધુ પડતો નમ્ર અને સાલસ છે. ક્યારેક તેનાથી અનર્થ સર્જાય છે .આ જમાનામાં તેનાંથી વધું કશુંક જોઈએ..."

"પ્રેમની કોઈ માત્રા ન હોય, પ્રેમ તો સો ટકા જ હોઈ શકે તેમાં કોઈ બીજી ટકાવારી ન હોય..."

"સંગેમરમરથી મઢેલા દહાલના થળા પર એક અનુપમ ગઝલ રચાઈ.. જેના કોઈ શબ્દો ન હતાં. જેના રદીફ અને કાફિયા માં એક જ શબ્દ હતો.. ઇશ્ક"

"પુરુષ અને પ્રકૃતિ, આત્મૈકય અને આસક્તિ"

"ઝઝૂમવું તે જ તો માણસ હોવાનું તાત્પર્ય છે. તે જ તો તેનું સત્વ છે..."

"અપાર સુખની પળો શાશ્વત નથી હોતી. એકાએક જ તેનો અંત આવે છે"

"જે સ્પંદનો નું સંગીત સર્જાઇ રહ્યું હતું, તેને આસવાનો નશો ચડી રહ્યો હતો..."
"કોઈ અસ્ફુટ શક્તિ, કોઈ અગમ ઉર્જા, કોઈ અલૌકિક એન્કાઉન્ટરની મર્યાદામાં તે જકડાઈ ગઈ હતી"
"પુરુષ ખડક જેવો હોવો જોઈએ..જે "પૈસાને " એક લક્ષ્ય તરીકે નહીં પણ એક સાધન તરીકે જોઈ શકે...જે મુસીબતમાં પણ એવો જ હોય અને વિજયની પળોમાં પણ "સ્વ " ગુમાવતો ન હોય.."

"માણસ નું વક્તવ્ય ,તેનો દેખાવ, તેની રહન-સહન, એ તેનું વ્યક્તિત્વ નથી... તેનું વ્યક્તિત્વ તેના વાસ્તવ- દર્શન પ્રત્યેનાં અભિગમ થી છતું થાય છે... અને એ અભિગમ વાસ્તવ ના અનુભવ વગર અશક્ય છે.."

✨ કેટલાક નવા શબ્દ પણ મળ્યા..

"સ્પંદનો નું સંગીત"
"નિર્વાચ વાતચીત"
"આશ્રવ"
"અભિસંગની ઉષ્મા"
"નશાર્ત"
"નેપથ્ય"

Now reading part-3 of...."આખેટ"

થોડુંક ઈરીટેટીંગ કેરેક્ટર માલતી નું લાગ્યું....

No comments:

Post a Comment