Sunday 24 May 2020

read me on pratilipi ✨💫✍️☕☕

"પરપીડનવૃતિ -એક સામાજિક દુષણ", read it on Pratilipi :
https://gujarati.pratilipi.com/story/bwtx3rtftopv?utm_source=android&utm_campaign=content_share
Read, write and listen to unlimited contents in Indian languages absolutely free

Saturday 23 May 2020

🌼🌿   મારી રેગ્યુલર કોલમ.."અંતરના ઝરુખે"નો લેખ...💫❣️⚖️✍️

પરપીડનવૃતિ -એક સામાજિક દુષણ

          આપણી આજુબાજુ દરેક પ્રકારના માણસો જોવા મળે છે. આપણે તેમની વચ્ચે રહી ,ટકી રહી આગળ વધવાનું છે.આમાં ઘણા બધા સંઘર્ષ ,ઘણા બધા લોકોની જડવૃતિથી તેથી થોડું હેરાન પણ થવું પડે.... પણ સતત વહેતા રહેતાં આ બધા કચરાને ,તેમની નકારાત્મકતાની ગંદકીને વહેવડાવી આગળ વધતાં રહેવાનું છે... આમાં જીવનમાં સૌથી વધુ આપણને નડતા, સૌથી વધુ આપણા વ્યક્તિઓને કાયમ માટે  કનડગત કરતાં રહેતાં,વૈશ્વિક દુષણ કહી શકાય તેવાં પરપીડનવૃતિ ધરાવતાં માણસો છે. જાણે તેમનાં મગજનો ઓરડો... વર્ષોથી અંધકારમય ખંડેર જેવો જેમાં પોઝિટિવિટી નું એક પણ કિરણ પ્રવેશી શક્યું ન હોય... તેવા માણસો એક મોટું સામાજિક દૂષણ છે.

          શ્વાસ બંધ થવાને માત્ર મરણ નથી કહી શકાતું... જેનામાં સંવેદના સંપૂર્ણપણે મરી પરવારી છે. માનવતાનો દાટ આ લોકોએ જ વાળ્યો છે ને સતત સમાજમાં રહી ઉધઈની માફક માનવતાને કોરી રહ્યા છે.. બીજા માટે સતત ધૃણા, કાવતરા, તકલીફ આપવાનાં બહાના.. સતત શોધતા રહે છે. જેમની આત્મા સંપૂર્ણપણે મરી પરવારી છે.. તે પણ જીવતા મડદા  જ છે... તેમને કપટ ના કારખાના કહી શકાય. દુર્યોધન કે ધૃતરાષ્ટ્રને તો સ્વયં ભગવાન કૃષ્ણ પણ ગમ્યાં ન હતાં..  આવા પરપીડનવૃતિ ધરાવતા દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, શકુની જેવા લોકો આપની આસપાસ પણ હોય છે. જે કપટ કરી આપણને નીચા પાડવા,સતત મોકા જ શોધતા રહે છે. આ વચ્ચે આપનું મનોબળ ટકાવવું કઈ રીતે  તે યક્ષ પ્રશ્ન છે....!! તેમનું સુખ પૈસા ,વૈભવ કશામાં નથી હોતું... બીજાની તકલીફમાં ,દુઃખમાં હોય છે. વાસ્તવમાં તેઓ નાનપણથી માનસિક રીતે ખૂબ જ રીબાયા હોય છે. જેથી મોટા થતાં આ વિકૃતિ જન્મ લે છે અને તે તેમના સ્વભાવનો એક ભાગ બની જાય છે.

                આવાં વ્યક્તિઓને કંઈ રીતે ટેકલ કરી શકાય...?? પોતાના  "સ્વ"ને કંઈ રીતે તેમનાંથી બચાવી શકાય?? હકારાત્મકતા થી તેમની વચ્ચે કઈ રીતે જીવી શકાય?? તે માટે વિચાર મંથન કરી... મિસરી તારવી... અમલમાં મુકવું ખૂબ જરૂરી છે. આ પ્રકારના પરપીડનવૃતિ ધરાવતા લોકો ને સ્પષ્ટ અને એકદમ મક્કમપણે પોતાનો વિચાર રજુ કરી તેમની નકારાત્મકતાને નકારતાં અને સાચી વસ્તુ નો પક્ષ લઈ તેના પડખે મક્કમપણે ઉભા રહેતાં શીખવાનું છે. ચાહે ગમે તે થાય પોતે તેમનાં ખોટા દમનને સ્વીકારશે નહીં.... ને સહન નહીં કરે. તેનો તેમને અહેસાસ કરાવી દેવો જરૂરી છે. શાબ્દિક અને અશાબ્દિક રીતે. વાઘ બનીને જીવશો તો નાના મોટા શિકારીઓ તો આમ જ ડરીને ચાલ્યા જશે. ને જ્યારે એમને એવો અહેસાસ થઇ જાય કે આની આગળ હવે વધુ ઉપજશે નહીં.... તે હવે મારી તાનાશાહી વધું ચલાવી લેશે નહીં... ત્યાર પછી તેઓ તમને વધુ નુકસાન પહોંચાડી શકશે નહીં.

                ઘોર અંધેરા દિવાલો ને રંગ તો લગા સકતે હૈ...
                       પર   પ્રકાશ કા તેજ લિસોટા.. વો રંગ મિટા ભી સકતા હૈ....

               એક સાચા વ્યક્તિનું મૌન તેના સારાપણાનું..., સાત્વિકપણાનું, ઈશ્વરે જે વિચારો ની, ભાવનાઓની સમૃધ્ધિ આપી છે તેનું અપમાન છે. રસ્તા પર ઢોળાયેલ થોડુ તેલ જો મેઘ ધનુષ ની પ્રતીતિ આપી શકતું હોય તો જીવનમાં ઉતારેલ થોડી સારપ પણ માનવતાની મહેક ને પૃથ્વી પર ચિરંજીવ રાખવા સક્ષમ છે. "આત્મનિર્ભર " જો આ સંદર્ભમાં વિચારીએ તો પોતાના વિચારો...અને પોતાના કર્મો માટે પોતાની આત્મા પર નિર્ભર રહેતાં શીખો. જબરજસ્તી ઠોકી બેસાડેલ બીજાનાં ડીસ્ટ્રક્ટિવ વિચારો, પોતાના મનસૂબા માટે તમારી ખભા પર બંદૂક રાખી કરવામાં આવેલ કૃત્ય, તમારી ઓરીજનાલીટીને ઢાંકી દેતાં ને દંભી પડ ચડાવવાનો પ્રયત્ન કરતાં બીજાનાં નકારાત્મક વિચારોને હાવી ન થવા દો. પોતાના જીવનની ધૂરા પોતાના હાથમાં રાખી આત્મનિર્ભર થવાની વાત છે. સતત કોહવાટ ફેલાવતાં આવાં લોકોથી બને તો દુર જ રહેવું. સૌથી બહેતર છે. છતાં જો સંપર્કમાં રહેવું જ પડે તેમ હોય તો પોતાના વિચારો,ને વર્તન પર તેમની છાયા પણ ન પડવા દેશો. તેમના શબ્દો, વર્તન સંપૂર્ણપણે ઈગ્નોરન્સ જ તમને તેમનાથી થતી ઇફેક્ટને સંપૂર્ણપણે અટકાવી શકશો. છતાં નડતરરૂપ થાય તો મક્કમપણે પોતાના પક્ષે ઊભા રહીં નનૈયો તેમને ભણાવતાં શીખો.

ખુદ હી હમસફર બનો... ખુદ કા હરદમ...
          ક્યોકી દુસરો કે તાવીજ બનને સે અચ્છા હૈ.. ખુદ હી ખુદ કા મૌતાજ બનના.....

મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com

Wednesday 20 May 2020

           ખડિયા પાસે અંધારું જઈને પૂછે છે કે...:"સળગવું તારું લીપણ કરે છે મારાં પોત પર.... તું મને રંગે છે કે... મને તારા માં તરબોળ કરે છે!! અને હા આ ઓળઘોળ થવાનો સંબંધ આપણો.... શું પેલી દીવેટ નાં વાંકે છે..????"

મિત્તલ પટેલ
"પરિભાષા"

on you tube channel 🎤🎧🎥📽️☕☕💫

https://m.youtube.com/watch?v=_wrl3HtSBaI

Sunday 17 May 2020

"મારી રેગ્યુલર કોલમ.."અંતરના ઝરુખે"નો લેખ...

🚦"સતત શીખવાડતી રહે તેનું જ નામ જિંદગી...⚖️
      અને સતત શીખતો રહે તેનું જ નામ માણસ..."🎭💫✍️", read it on Pratilipi :
https://gujarati.pratilipi.com/story/o5wtqqyo7tnc?utm_source=android&utm_campaign=content_share
Read, write and listen to unlimited contents in Indian languages absolutely free

મારી રેગ્યુલર કોલમ.."અંતરના ઝરુખે"નો લેખ...

🚦"સતત શીખવાડતી રહે તેનું જ નામ જિંદગી...⚖️
      અને સતત શીખતો રહે તેનું જ નામ માણસ..."🎭💫✍️

             ક્યારેય રેલની પટ્ટી એક સીધી રેખામાં જોઈ છે...!! ક્યારેય પંખીને એક સીધી રેખામાં ઉડતું જોયું છે..!! જો તે સીધી રેખામાં ઉડતું હોય તો તેને આ અપાર આભમાં વિહરતું જોવાનો આનંદ આવે ખરો!!  જરાક કલ્પના કરી જુઓ.. લય અને તાલ વગરના સીધા રાગના સંગીત કે ગીતની!! તેમાં તો ક્યાંક થોડો ઠરહાવ હોય, ક્યાંક ઉઠાવ... ક્યાંક થોડો વધારે થોભાવ... આવું જ જિંદગીમાં પણ હોય છે.. અને તેમાં જ તેની આલ્હાદકતા, મધુરતા છે. હમણાં જે સમય છે તે લાંબા થોભાવનો છે. લાંબા ઠહેરાવ નો છે. બહુ લાંબો સમય દોડ્યા પછી થોડા નિરાંતનો છે. હા ચોક્કસ તે નિરાંત કદાચ પીડાદાયી તકલીફદાયી ને મુશ્કેલી ભર્યો હોઈ શકે.. પણ યાદ કરો તમારા દોડધામભર્યા જીવનને. તેમાં તમે તમારી તીવ્ર પીડા ,મુશ્કેલીને પણ તમે દોડમાં ઓગાળી દેતાં.... તેને સંવેદી નહોતા શકતા. હમણાંની જે પણ પીડા છે તે ફરજિયાત પણે તમારે અનુભવવી પડશે. સંવેદવી પડશે કારણ કે તમે બીજા કામમાં મન પરોવી કે દોડમાં દોડતા રહી તેને ઈગ્નોર નહીં કરી શકો તેને કારણે આ તકલીફ તમને વધારે તીવ્ર લાગશે... અથવા તીવ્રતાથી અનુભવાશે... જ્યારે સુખ કે દુઃખ તમે ટ્રાન્સફર કરો છો...ડીકોડ કરો છો ત્યારે સુખ વધુ અનુભવાય અને દુઃખ ઘટે છે. આ સમયમાં આ માધ્યમો કદાચ સીમિત થઈ ગયા છે.

                સખત તડકામાં ચાલતાં તળિયા બળે ત્યારે જ.... આપણને ચંપલ ની કિંમત સમજાય છે‌. ત્યાં સુધી તો આ બ્રાન્ડ ના ચંપલ આ લેબલ વાળા ચંપલ હું પહેરું.... થોડું ઓછું મને ન ખપે... આ જે. "હું" છે તે બહુ ભારે છે. આ સમય એ આ "હું" ને જરા નાનો કરવાની તદ્દન કુદરતી પ્રક્રિયા છે. વિજ્ઞાનની ભાષામાં અનુકૂલન સાધી ને જીવતાં શીખવાનો આ સમય છે. જે અનુકૂલન સાધી શકશે તે ટકી શકશે. શારીરિક, માનસિક ,સામાજિક ,આર્થિક રીતે.... અને જે અનુકૂલન સાધવામાં નિષ્ફળ નીવડશે તે નહીં ટકી શકે. આ વાયરસ સાથે પણ આપના શરીરને અનુકુલન સાધવુ પડશે. તેની સામે રક્ષણ મેળવવા રોગપ્રતિકારક શક્તિ કેળવી.. તેની સામે સ્વયં નિર્મિત એન્ટીબોડી બનાવી... કુદરતી વેક્સિનેશન પ્રક્રિયા દ્વારા.. શરીરે સ્વરક્ષણ કરવું પડશે.. તો જ કોઈ પણ માણસ આ વાયરસ કન્ટામિનેટેડ વાતાવરણમાં જીવી શકશે. કદાચ હમણાં બહુ પ્રચલિત શબ્દ છે તે "Heard immunity". અમેરિકામાં તો આવા લોકોને સર્ટીફીકેટ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

       ઓસડીયુ ક્યાં વહેંચે કુદરત....!!
              " દવા" નાં "ખાનાં" ની ચાવી.... ખિસ્સામાં મૂકી..
      મન  મસ્તીમાં ઘૂમતી તે .....તો....
                મનેખને પારખવા નીકળેલી છે....!!

            જે જડવત્ છે. ક્યારેય બાંધછોડ નથી કરી શકતા. તેમની માટે આ સજ્જતા તાલીમ છે. જે પોતાના સ્વાસ્થ્યને સતત અવગણતા રહ્યા... પોતાની મહત્વાકાંક્ષાઓ ની દોડમાં પોતાની હેલ્થ માટે સમય કાઢવાનું ટાળતા રહ્યા.... હવે જ્યારે બધું જ સ્થગિત થઈ ગયું છે ત્યારે આજ વસ્તુ આપણી જીવાદોરી બની રહી છે. મેં જ વધુ કમાઈ લઉ, મે જ બધું ભેગું કરી લઉં, મે જ જલસા કરી લઉં, પોતાની આવકનો અમુક ભાગ જરૂરીયાત મંદને વહેચવાનું ક્યારેય શીખ્યા ન હતા... હમણાં જે  વિપરીત પરિસ્થિતિ છે... લોઅર મિડલ ક્લાસના એક મોટો વર્ગ ની...તેમને સહાયતા કરવાનું,માનવતા દાખવી જીવવા માટે જરૂરી બે ટંક ખાવાનું મળી રહે તે માટે સમાજ એ સહિયારા પ્રયત્ન કરી મદદ કરવી જોઈએ. એ આપણા સૌની નૈતિક ફરજ છે. ભગવાને એક બહુ મોટા વર્ગને તેની જરૂરિયાત કરતાં ઘણું વધારે ઘણા લાંબા સમયથી આપેલ છે.... અને આપતી રહે છે. જેટલું વધુ એટલી તેની જરૂરિયાતો પણ વધતી રહી.. હવે આત્મચિંતન કરી આ બાબતને ફરીથી વિચાર-મંથન કરવાની જરૂર છે ..ખરેખર આ બે મહિના જેટલી વસ્તુઓ માં આપણે ચલાવી શક્યાં.. એટલી જ આપણી કુદરતી જરૂરિયાત છે. ને તે જ સાચી છે... બાકીના માંથી ઘણો ભાગ.. આપણે જરૂરિયાત મંદ માટે મદદ કરી શકીએ છીએ.... ને તે અતિશય અનિવાર્ય પણ છે હાલના સંજોગોમાં.... તો આજે સમાજ વ્યવસ્થાને દેશ વ્યવસ્થા જળવાઇ શકશે નહિતર અસામાજિક બનાવો ફાટી નીકળતા લગીરે ય વાર લાગશે નહીં....

      આ પરિસ્થિતિ આપણને સાચા અર્થમાં "માણસ" બનતા શીખવશે....

           દુનિયામાં એવું વારેવારે સાંભળવા મળતું તુ... અનુભવવા મળતું તું કે..."માનવતા મરી પરવારી છે"... એ "માનવતાને "ફરીથી જીવાડવા નો આ સમય છે. કોણ શું કરશે ?કોણ શું કરે છે ?કોણ શું વિચારે છે? કંઈ જ વિચાર્યા વગર અંતરમનને અનુસરીને મક્કમપણે નક્કી કરી.. સાચા અર્થમાં "માણસ" બનવા પ્રયત્ન કરો. પોતાનાથી બનતી મદદ જરૂરીયાત મંદને કરી એ પણ કોઈપણ પબ્લિસિટી કર્યા વગર... ફોટા પાડી બધાને બતાવવાની કોઈ જરૂર નથી‌... એક હાથે મદદ કરી અને બીજા હાથનેય ખબર ન પડે એવી રીતે કરવાની છે.ઈશ્વરનો પાડ માનો કે તમને આ મોટું માનવતાનું કાર્ય કરવાની ક્ષમતા, વિચાર અને મોકો મળ્યો છે.

           આ બધું ક્યારે કરી શકીશું!! જો આપને માનસિક રીતે stable હોઈશું ત્યારે.... અચાનક આ બધું શું થઇ ગયું... પીઝા ખાવાનું, ફરવાનું, મૂવી જોવાનું ,બધું સાવ બંધ ને સાવ નવી સંકલ્પનાથી lifestyle સેટ કરવાનું થોડું અઘરુ લાગી શકે પણ સાત્ત્વિક અને સાચી હશે... અનેક બીમારીઓથી આપણને બચાવનારી હશે. અમર થવાનું વરદાન તો આમ પણ આપણને કોઈ એ નહોતું આપ્યું તો હમણા કેમ તમે વિચલિત થઈ રહ્યા છો??જીવન લાંબુ થાય એના કરતા જેટલું પણ જીવન મળે તે સફળ થાય તેની જીજીવિષા જાગવી જોઈએ.
        "ભગવાન જે કરે તે સારા માટે જ કરે"એ વિધાન ભલે જુનું હોઈ પણ સનાતન સત્ય છે. પહેલી નજરે કે પહેલાં વિચારે એવું લાગે કે .. આ પરિસ્થિતિમાં શું સારું છે વળી?? બધું ખોટું જ થતું દેખાય... પણ કુદરતનો, પ્રકૃતિનો કે ઈશ્વરનો હેતુ  તે કરવાનો ચોક્કસપણે સારો જ હોય છે... તેમાં આપણા માટે કંઈક ને કંઈક સારું જ છુપાયેલું હોય છે ભલે તે હેતુ અદ્ર્શ્ય રહે. પરિસ્થિતિ આપણને પીડા આપી શકે. તકલીફ આપી શકે પણ સુવર્ણ બનવા તપવું પણ એટલું જ જરૂરી છે. જ્યારે જ્યારે અતિશયોક્તિ થાય છે.પ્રદૂષણની હોય કે અમાનવતાની કે પ્રકૃતિને નાથવાની... જ્યારે જ્યારે માણસ એમ સમજવા લાગે છે કે પોતે સર્વોપરી છે. ઈચ્છે તે કરી શકે છે.ચંદ્ર પર પહોંચી જઈ અવકાશના તત્વોને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી શકે છે. ભલેને તેમાં પ્રકૃતિને પારાવાર નુકસાન થાય. ટેકનોલોજી ના વિકાસ અને કોંક્રિટના જંગલો રચી પ્રગતિ કરીશું પછી ભલે ગમે તેટલા વૃક્ષો કપાઇ એ મહત્વાકાંક્ષાઓને કારણે....

           ત્યારે ત્યારે પ્રકૃતિ સ્વબચાવ અર્થે કહો કે ...માણસને તેની મર્યાદા બતાવવા  પોતાનું કાલસ્વરુપ સમયાંતરે બતાવતી રહે છે... ને તેમાંથી માણસે બોધપાઠ લે તે ખૂબ જરૂરી છે. જેથી ફરીથી એ જ દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય... ભૂતકાળની ભૂલોમાંથી શીખીને તેને સુધારી ..સાચા માર્ગે આગળ વધવાની મહેચ્છા, મહત્વકાંક્ષા માણસ એ કેળવવી પડશે. એ પણ માનવતા ની મહેક ને આંચ ન આવે તે રીતે......

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com

Friday 15 May 2020

કર્ણલોક  -ધ્રુવ ભટ્ટ 💫💞☕

ધ્રુવ ભટ્ટનું દરેક પુસ્તક જીવનને વધુ સમજવા અને તેની આંટીઘૂટી ને પામવા મા મદદ કરે એવું નવું ને નવું શીખવી જાય છે......

          "માણસ ઈચ્છીને હંમેશા કોઈનું ખરાબ કરી શકતું નથી.... બુરાઈના અગોચર માંથી ભલાઈ નું ઝરણું ક્યારેક ને ક્યારેક અચાનક દડદડ કરતું વહી જ નીકળે છે"

        "આ બધું કરવા પળ પળ જિવાતા જીવનનો હિસાબ માંડવો પડે.. એ પ્રસંગો ,એ પળો, ભાવો અને એ અગણિત ઘટનાઓ તટસ્થતા પૂર્વક તપાસવા માટે આ પૃથ્વી પટ પર દૂર સુધી પથરાયેલી ધૂળના કણ ને ઉકેલવા જેટલી ધીરજ અને એટલી સમજણ જોઈએ. ક્યારેય કોઈથી એ થઈ શકશે કે કેમ તે જાણતો નથી આમ છતાં એક વાત જાણું છું કે ......નર્યા વર્તન પરથી માણસને માપવો તે ભૂલ છે........"

મિત્તલ પટેલ
" પરિભાષા"

Read my article on pratilipi

"મુંબઈથી પબ્લિશ થતાં .. " સર્જનહાર" મેગેઝીનનાં..... April-may -2020 અંકમાં મારો લેખ ..."ખોટું બોલવું એટલે... જાત ને છેતરવું...."", read it on Pratilipi :
https://gujarati.pratilipi.com/story/jx56svcvwpco?utm_source=android&utm_campaign=content_share
Read, write and listen to unlimited contents in Indian languages absolutely free

Thursday 14 May 2020

ખોટું બોલવું એટલે જાતને છેતરવું....

મુંબઈથી પબ્લિશ થતાં .. " સર્જનહાર" મેગેઝીનનાં..... April-may -2020 અંકમાં મારો લેખ ..."ખોટું બોલવું એટલે... જાત ને છેતરવું...."

💫✨✍️ખોટું બોલવું એટલે ...જાતને છેતરવું...💫💞🌺☘️

            આજના ફાસ્ટ યુગમાં મોટા મોટા કાર્યો, લક્ષ્યાંકને પહોંચી વળવા, નાની નાની બાબતમાં માણસ જૂઠું ખૂબ જ સહજતાથી બોલી દઈ ન ગમતી પરિસ્થિતિ માંથી ખૂબ સરળતાથી છટકી જાય છે. તે પોતે ઈચ્છે છે કે મારે ખોટું નથી બોલવું, તેનું અંતર આત્મા તેને ના પાડે જ છે.. તે અવાજને દબાવી દઈ માત્ર પોતાનાં નાના નાના કામ કઢાવવા, પોતાનું સ્ટેન્ડ જળવાઈ રહે તે લ્હાયમાં.. નાના મોટા લાભ મળી જાય તે લોભમાં, સજા કે શબ્દબાણથી બચવા જૂઠું બોલવું પોતાનો જન્મસિધ્ધ અધિકાર છે એવો વિચાર મનમાં રાખીને બોલતો હોય છે. અથવા સાચું બોલવાથી જે પરિણામ આવે તેનો સામનો કરવાની હિંમત તેનામાં હોતી નથી .જુઠ્ઠું બોલવા માટે સહેજ પણ ગિલ્ટ ફીલ નથી કરતો એવું તે બતાવે છે પણ એવું હોતું નથી.

ખોટું ક્યાં કોઈ કોઈની સાથે બોલે છે...
       તે પહેલા જાત જોડે બોલે છે પછી....
               બધે ખુદને જ વિસારે છે....

        માનસ અન્ય વ્યક્તિ સાથે નાનામાં નાની બાબત માટે જૂઠું બોલે છે તે પહેલા પોતાની જાત જોડે જૂઠું બોલે છે. સામેવાળી વ્યક્તિ તે ખોટું બોલવા માટે કદાચ તેને માફ પણ કરી દે પણ તેની જાત તેને ક્યારેય માફ નથી કરી શકતી... પોતે ઈચ્છવા છતાંય....

ખોટું બોલવું એ એક વ્યસન છે....

          એકદમ સાચી હકીકત એ છે કે ખોટું બોલવાની એકવાર આદત બની જાય ...ને પોતે પોતાની જાતને ખોટું બોલતા વાળે નહીં... અટકાવે નહીં તો લાંબા ગાળે તે નિવારી ન શકાય તેવું વ્યસન બની જાય છે... જે સતત તે વ્યક્તિને તેની પોતાની આત્માથી પોતાની જાતથી દૂર લઈ જાય છે... આખી દુનિયા તેના પર અવિશ્વાસ કરે તો ચાલે... પણ એકવાર પોતાની આત્માનો.. પોતાની જાતનો તમારા પરનો વિશ્વાસ ઉઠી ગયો... પછી ગમતું બધું મળી જાય તોય.. તમે તેણે માણી નહી શકો... તમે ખુશ ન રહી શકો...
  
             તમારી જાત તમારી સાથે હશે તો જ... તમે ખુશ રહી શકશો. જાત વગરનું બધું નકામું... આપણા આ જીવતરનો આપણો કાયમી સંગાથી એટલે આપણી પોતાની જાત. પોતાની આત્મા. પોતાના "સ્વ"સાથેનો આપણો સંગાથ. પોતાની આત્મા જોડે તમે જેટલા ચોખ્ખા, જેટલા પ્રમાણિક... તેટલા તમે વધુ સુખી.. તમે ભૂલ કરી હોય કે થઈ ગઈ હોય તે પણ તેની સમક્ષ સહજ પણે સ્વિકારી શકો. તમને ખૂદ માટે સારું ફીલ થતું હોય તો તેની સમક્ષ કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી શકો. સૌથી નિર્મળ, નિર્લેપ, નિઃસ્વાર્થી સંગાથ. જે પણ વ્યવહાર વર્તન તમે બાહરી જીવનમાં કરો છો... તે વ્યવહાર વર્તન પહેલા તમે તમારી જાત જોડે કરો છો... પછી બીજા જોડે. તેથી જ ક્યારેક અજાણતા પણ કોક ને  કારણ વગર ગમે તેમ બોલાઈ ગયું હોય તો અંદરથી ગીલ્ટ ફીલ થાય છે. જાત આપણને ડંખે છે. તમે અહમને ઓગાળી તે વ્યક્તિને સોરી કહી દો... તે ગીલ્ટનો ભાવ ગાયબ થઈ જાય છે.. મનમાં હળવાશ અનુભવાય છે. ખુશી પ્રસન્નતા મહેસુસ થાય છે..
 
         કુદરતના બનાવેલ માળખામાં રહી માણસ કુદરતના લયને સમજી તેના લયમાં લય પરોવી જીવતો હોય છે ને ત્યારે ક્યારેય તેને એકલતા, ફરિયાદો,, શંકાઓ, વિહવળતા, રુક્ષતા,અમાનવતા ની લાગણીઓ અને પરિસ્થિતિનો સામનો કરવો પડતો નથી. જ્યારે આપને કંઇ ખોટું કરવા જઇ રહ્યા હોઈએ છીએ ત્યારે તમારો અંતરાત્મા તમને જરૂર ડંખે છે. સ્ત્રી પણ આપણે જ્યારે તેના અવાજને દબાવી દઈને તેને અવગણીને કોઈ કાર્ય કરીએ છીએ ત્યારે પસ્તાવા ને દુઃખ સિવાય કંઈ જ મળતું નથી. ને પસ્તાવાનું આ ઝરણું તમને ભાર લઈને જીવવા પર મજબુર કરે છે.

પ્રસન્ન રહેવા હળવા અને સહજ થવું જરૂરી છે.

      આ હળવાશ અનુભવવા ભૂલો ને સ્વીકારવા સુધારવા ની તૈયારી સાથે બધા પ્રકારના ડર અહમ બાજુ પર મુકી વ્યક્ત થવું જરૂરી છે.

              તોફાનને પાર કરવા તેમાંથી પસાર થવું પડે.. ખોટું બોલી કિનારીએથી નીકળી જઈએ તો... આગળ જતા માત્ર કીનારીએ જ જીવાય છે. રસ્તો ક્યારેય મળતો નથી...

મિત્તલ પટેલ
 "પરિભાષા"

Sunday 10 May 2020

મારી રેગ્યુલર કોલમ.."અંતરના ઝરુખે"નો લેખ...

💫✍️માનસિક રીતે મજબૂત બનવાનો આ સમય છે .. પોલાદી મનોબળ ને કેળવવાનો આ સમય છે..💫✨🌺

    અચાનક પત્તાનો મહેલ ધરાર પડી ગયો હોય... ઘડિયાળ નો પાવર પૂરો થતાં કાંટા થંભી ગયા હોય... આગળના રસ્તા, આગળ નું જીવન, જીવન શૈલી પર ઉદગાર ચિન્હની જગ્યાએ સીધું પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું હોય.... તેવી મનો વિભાવના ની લાગણી હરકોઈ હમણાં ફીલ કરી રહ્યું છે... કારણો, ચિંતાઓ, કારકો, પરિણામો... બધુ બાજુ પર મુકી હવે સીધા સર્વાઇવલ કંઈ રીતે કરવું?? જીહવળવું કઈ રીતે??   તે  વિચારવાનું છે.... હા સર્વાઇવલ માત્ર શારીરિક રીતે જ નહીં માનસિક રીતે પણ. કોઈ પણ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે મુશ્કેલીઓ તકલીફોમાં સામનો કરી અડીખમ ચટ્ટાન ની માફક ઉભા રહી  પોતાની અને પોતાના પરિવારની મેન્ટલ સ્ટેબિલિટી જાળવી રાખવા પોતે માનસિક મનોબળ પોલાદી બનાવવું અને સતત જાળવી રાખવું ખૂબ જરૂરી છે. તે આવે છે હકારાત્મકતા અને આત્મવિશ્વાસથી.

"લડી લઈશું દરેક પરિસ્થિતિથી સાથે છીએ ને આપણે..
       જીરવી લઈશું તડકો છાયડો સાથે છીએ ને આપણે....

ખોવાણું કંઈ જ નથી મિલકત ભરી છે વ્હાલમાં....
       સાચવી લઈશું સપનાઓ સાથે છીએ ને આપણે...

કુંડાળું પાડી ને ભૂંસવુ આવડે છે એ ઈશ્વરને...
        તું તારે તર્યા કર દરિયો.... કિનારો ભીતરમાં છે..!

સુકવી લઈશું અશ્રુ.... સાથે છીએ ને આપણે...
       તેર તૂટશે તો ય ચૌદમી વાર જોડવા માંડીશું આપણે..."

           
       આ પરિસ્થિતિ જેટલી બહારથી દેખાય છે. મહામારી સ્વરૂપે... તેના કરતાં ભીતરથી મનેખને તોડી નાંખતી એટલે છે કેમકે લોકો મરવાના ડરથી ગભરાતા નથી તેટલાં નોકરી-ધંધા પડી ભાગવાને લીધે, બીજી કોઈ આવક નથી, બચેલા રૂપિયા પુરા થઇ જશે પછી ઘર કઈ રીતે ચાલશે??... બાળકોની સ્કૂલની ફી કઈ રીતે ભરશે..??.. એ બધા સીધીલીટીના પ્રશ્નો મનોબળ ને હચમચાવી દેતા... થોડા હેબતાઈ જાય છે.. ખેતી કરતા કે કાયમી નોકરી છે તેમને આ લાગુ નથી પડતું પણ ક્યારેક વિચારી જોજો આવા લોકો કેટલાં ??૨૦ ટકાથી ૩૦ ટકા... બીજા વીસ ટકા અપર મિડલ ક્લાસ જેમની આવક બંધ થતાં બહુ ઝાઝો ફરક નહીં પડે... પણ બાકીના નાના મોટા ધંધા વાળા. બીજા રાજ્યોના ગામડાઓમાંથી નાના-મોટા કામ ધંધો કરવા શહેરમાં આવતા લોકો, શાકભાજી લારીવાળાઓ હોય કે નાની મોટી રેસ્ટોરન્ટ ધાબાઓ માં કામ કરતા કારીગરો... કે બિલ્ડિંગ મકાનો ચણતાં, કડિયા કામ કરતા મજૂરો , શહેરોમાં બધાને ઘેર જઈ  કામ કરી ગુજરાન ચલાવતા કામવાળાઓ, વેલ્ડીંગ ગેરેજ નાના-મોટા દુકાનમાં મોલમાં કામ કરતા માણસો.. અને કેટલીયે કંપનીઓ બંધ થતાં નોકરીમાંથી છૂટા કરાયેલાં માણસો.. આ બધા નું પ્રમાણ બહુ મોટું છે... જે રોજનું કમાઈને રોજ પોતાનું પેટ ભરે છે દર મહિને કોઈ ફિક્ષ્ આવક નથી મળતી પણ પેટ તો ફિક્સ ખાવાનું માંગે જ છે ને.. રોજ.. પોતે ભૂખ્યા ય રહીએ બાળકોની ભૂખ ક્યાં બાપથી સહન થાય!! આ છે આંતરિક સ્થિતિ આ lockdown સમયની......

         આજે આખું વિશ્વ માત્ર બે જ ઈશ્વરીય માણસોથી ટકેલ છે ડોક્ટર અને પોલીસ. તેઓ પોતાનો જીવ જોખમમાં નાખી આપણને સાચવીને સાચી દેશસેવા કરી રહ્યા છે ગમે તેટલો આભાર વ્યક્ત કરવો ખૂબ જ ઓછો પડે.તેઓ પણ માનસિક રીતે ટકી રહે નેગેટિવ દુશ્મનો ને વાયરસની ભયંકરતા સામે હારી ન જાય.. તે માટે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે થાળી વગાડવાનું ને દીવા પ્રગટાવવા નું કાર્ય કરવાનું સૂચન કર્યું કેમ! તેમને ખબર છે કે આ સમયમાં... લોકોનું ડોક્ટરોનું, પોલીસોનું ,મનોબળ ટકાવી રાખવુ ખૂબ જરૂરી છે... ધે આર નોટ અલોન,વી આર વિથ ધેમ..... આપણે બધા એક જ ડાળના પંખી છીએ..... જો આ બેમાંથી એક પણ પીલ્લર હટી ગયો કે હાલી ગયો..તો આખી દુનિયા નો મહેલ પડતા જરાય વાર નહીં લાગે....કારણ કે જ્યારે મહામારી uncontrolled થઈ જાય છે કોઈ સારવાર કરવા વાળું કે લોકોને તો ટોળે વળતાં રોકવાવાળુ  કોઈ રહેતું નથી તોઆર્થિક રીતે માનસિક રીતે પડી ભગવાને લીધે લોકો મરવા મારવા કે લૂંટફાટ કરવા પર આવતા વાર નથી લાગતી...માટે આ હદ સુધી કોઈ પણ દેશને પહોંચતા અટકાવવા મજબૂત પીલ્લરો ડોક્ટરો ને પોલીસ છે કોઈ વકીલ કે એન્જિનિયર  કે સી.એ કે મંત્રી આ પરિસ્થિતિમાંથી કાઢવા સક્ષમ નથી... સિવાય કે આ ઈશ્વરીય દૂતો.... અમદાવાદમાં તો દિવસ રાત કોરોના પેશન્ટ ની સારવાર કરતા ડોકટરો સાથે સોસાયટી દ્વારા અમુકવાર અમાનવીય વર્તન થતું જોઈને હૃદય દ્રવી ઉઠે...
          તમે ઓળખતા ડોક્ટર ને એ થેન્ક્યુ મેસેજ મોકલી શકો... whatsapp માં ફોરવર્ડ થતાં પિક્ચર્સ કે સ્માઈલી નહીં જાતે ટાઈપ કરી હૃદયથી લખાયેલ બે શબ્દ...thank u for doing everything for us..we are  always with you... જે કદાચ તેમની નૈતિક તાકાત ટકાવી રાખવામાં મદદરૂપ થઈ શકે..

        હવે આમાંથી ઉગરવું કંઈ રીતે??? પરિસ્થિતિ આપણને નહીં ઉગારે... આપણે ખુદને ઉગારવાનું છે પોતાને..!! અથવા પ્રયત્ન કરવાનો છે.... શારીરિક રીતે જોઈએ તો કોઈપણ પ્રકારની બિમારી થી બચવાનો એક ઉપાય છે રોગપ્રતિકારક શક્તિ. આપણી સેના.... યોગા પ્રાણાયામને જીવનનો compulsory એક ભાગ બનાવવાનો સમય આવી ગયો છે ને નાની નાની બાબતોમાં એલોપેથીની દવા લેવા દોડી જતા આપણને આયુર્વેદ તરફ વળવાનો સમય આવી ગયો છે...ખૂદ પીએમ જો આપણને આયુર્વેદ એપને download કરવાનું સજેસ્ટ કરતા હોય તો સમજી લો કે આયુર્વેદનું મહત્વ કેટલું છે... યોગ અને આયુર્વેદ તમને માત્ર આ મહામારી થી કાયમી રક્ષણ આપવા સક્ષમ છે....
        આ થઇ માત્ર આજે નહીં કોઈ પણ પ્રકારના રોગનાં જંતુઓ સામે કાયમી આપણું રક્ષણ કરતી સેના... પણ તેના તેના સેનાપતિ વગર નકામી...... તે સેનાપતિ છે.. *માનસિક મનોબળ*... ... તેના માટે વાણી અને વર્તનમાં સકારાત્મકતા જાળવી રાખવી ખૂબ જરૂરી છે.. યોગ અને પ્રાણાયામ તેમાં પણ અકસીર છે.. સ્ટ્રેસને ઘટાડી માનસિક રીતે મજબૂત રાખે છે. ... હા બહાર નીકળવાનું બંધ હતા બહારનું ખાવાનું બંધ થશે તેનાથી સ્વાસ્થ્ય સુધરશે... પોલ્યુશન ઓછુ થશે.. પ્રકૃતિ નુ મહત્વ સમજાશે... પોતાના goalને rebuilt કરવાનો મોકો મળશે એ પણ હકીકત છે.. સ્વચ્છતા અભિયાન જે પણ નથી શીખવી શક્યું.. તે આપણને પ્રકૃતિ શીખવાડશે... જ્યાં ત્યાં થુંકવાની ટેવ, કચરો ફેંકવાની ટેવ.. સુધારી મેનર્સ શીખવાડશે... ઓછી જરૂરિયાતોમાં જીવતાં શીખવાડશે.... પોતાનું કામ જાતે કરતા શીખવાડશે... બીજા પરની ડિપેન્ડન્સી ઘટાડી સ્વાશ્રયી બનાવશે... પ્રકૃતિની વિરુદ્ધ થઈને જીવી લઉ મને કંઈ નહીં થાય!! આવો એટીટ્યુડ છોડવાનો સમય હવે આવી ગયો છે...
          હવે સેના છે તેના સેનાપતિ છે.....તો સારથી....છે...*આર્થિક બાબત*.... આ પરિસ્થિતિ કાયમી નથી આ પરિસ્થિતિ પણ ચાલી જશે એ બાબત યાદ રાખવા જેવી છે .આપણી ચિંતા ના કરતા ઈશ્વરને વધુ હોય છે એ શ્રદ્ધા રાખવી જરૂરી છે... બસ થોડા મહિના સરવાઈવ કરવાનું છે.. ઓછી જરૂરિયાતો માં જીહવળવાનુ છે.. હા પણ બિચારા બનીને નહીં... પોતાના બાળકોને એ વર્તનથી દર્શાવજો કે આવી મુશ્કેલ પરિસ્થિતીમાં પણ જરૂરિયાતો મિનિમમ કરીને પણ ખુશ રહી શકાય છે. ઘરમાં ખુશનુમા વાતાવરણ જાળવી રાખી ચિંતા વ્યથાઓને જિંદાદિલી ના રંગો માં ડુબાડી જીવી બતાવવાનો આ સમય છે. જેથી તમારા બાળકો પણ તેમની જીંદગીમાં આવતા આવા કોઈ સમયને, આવી કોઈ મુશ્કેલીને મક્કમતાથી, મજબૂતાઈથી સામનો કરવા સક્ષમ બને.

       Who r u???
        Nothing
દરેકને આ બાબત પ્રકૃતિ હાલ શીખવી રહી છે..

     આપણે નદી થઈને જીવવાનું છે. જે પર્વતરૂપી અજ્ઞાનતા, અહમ આસક્તિ ,માલિકીપણુ, પંડિતપણુ જેવા ઘન સ્વરૂપ ગુણોમાંથી બહાર નીકળી.... દરિયા રૂપી પ્રકૃતિમાં પ્રવાહી થઈને ભળી જવાનું..શીખવે છે...

મિત્તલ પટેલ
 "પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com

Sunday 3 May 2020

Now on pratilipi.."સારથી ને સથવારે"

"સારથી ને સથવારે", read it on Pratilipi :
https://gujarati.pratilipi.com/story/v34ofgtg5i9k?utm_source=android&utm_campaign=content_share
Read, write and listen to unlimited contents in Indian languages absolutely free

Friday 1 May 2020

પ્રકૃતિ સાથે પ્રેમ થઈ જાય તેવું પુસ્તક..
💫🌈🥀અકૂપાર🌿🌼🌠🌾🌳--ધ્રુવ ભટ્ટ

 "પહેલા વરસાદે જ આ રમ્ય ભુલોક વરસાદી સ્નાન કરીને લીલો શણગાર સજવા માંડશે.... તેની રમ્ય માંથી રમ્યતર થવા તરફની ગતિનો હું સાક્ષી હોઈશ....."

"ગરુડ એટલે ગિરનાર માથે મૂકેલું વાયરલેસ ટેશન"

"ભેજ રૂપે સરકતું પાણી પથ્થરો ભીંજવતું નીચે સુધી ઝમે છે... અદ્રશ્ય લાગે તેવું આ ઝમણ એક ગોળાકાર ખાડામાં ભરાઈને પોતાની લીલા સંકેલી લે છે. ચોમાસામાં તો અહીં ધોધ પડતા હશે પરંતુ અત્યારે થતું ઝમણ... એ નો ખાડો છલકાવીને હીરણમા ભળવાં જેટલું જળવંત પણ નથી."

"શીખીને બોલવું અને માનતા હોઈએ એટલે બોલવું એમાં ફરક છે"

"ખડકાળ,કાળા તળવાળી... મનમોહીની હીરણ જાણે ગામને બાથ ભીડવા મથતી હોય તેમ સાસણને ઘેરીને વહે છે... ઉપરવાસથી તેનું પારદર્શક જળવહેણ વિસાવદર તરફ જતી રેલ્વેના પૂલ તળેથી વહીને સાસણને અડે. ત્યાંથી સાસણ ફરતે અર્ધપરિક્રમા કરીને મેદરડા જતા માર્ગ નીચેથી સરકતી સાગર તરફ વહી જાય છે.". "હજી તો જળવંત છે એટલે વહી રહી છે"
"વન સાથે કે રંગો સાથે વાત કરવાનું કથન મને સ્પર્શ્યું"

"મનુવંશે પોતાની પ્રાકૃતિક અવસ્થાથી અસંતુષ્ટ થઈ ને "હોવા"માંથી "બનવા"નો માર્ગ નહોતો લીધો તે સમયના અંશો તે માનવીના લોહીમાં હોવા જ જોઈએ"

"હું અહીં પ્રવેશ્યો તે સમયે મને લાગતું હતું કે આ જંગલ ના કહેવાય આજે મને ખાતરી છે કે આ જંગલ નથી. હું એને અરણ્ય પણ નથી કહી શકતો... ન તો આ 'અટવી"છે.. ન તો 'વન'.. અરે 'વિપિન'.  'ગહન'  'ગૂહિન'.  'કાનન'. 'ભિરુક'. 'વિક્ત'. 'પ્રાન્તર' ‌... ભાષા પાસે વનનાં જેટલા પણ પર્યાયવાચક હશે... તેમાંનાં એક પણ શબ્દ પાસે આ પ્રદેશના પૂર્ણ સ્વરૂપને વર્ણવવાનું સામર્થ્ય નથી..."

    "હા આ ગીર છે.. માત્ર ગીર.. રૈવતાચલની પરમ મનોહર પુત્રી.. જગતના તમામ ભૂભાગો થી અલગ આગવું અને પોતીકું વાતાવરણ ધરાવતી, હંમેશા જીવતી, સદા સુહાગન, સદા મોહક ગીર"....
💫💞 ✍️☕

આ શબ્દો વાંચતા.. જાણે કોઈ અછાંદસ કવિતા વાંચતી હોઉં એવું ફિલ થઇ આવે....
કાઠીયાવાડી ભાષાની ખમક..."અટાણે".."ઈ"...."કાંઈ નો આવે"......... અને થોડા પ્રાદેશિક શબ્દો...."વૈઈડ"..."જળવંત".."ભરથરી"...... નવલકથા ને નવી જીવંતતા બક્ષે છે....

મિત્તલ પટેલ
"પરિભાષા"
પ્રકૃતિ સાથે પ્રેમ થઈ જાય તેવું પુસ્તક..
💫🌈🥀અકૂપાર🌿🌼🌠🌾🌳--ધ્રુવ ભટ્ટ

 "પહેલા વરસાદે જ આ રમ્ય ભુલોક વરસાદી સ્નાન કરીને લીલો શણગાર સજવા માંડશે.... તેની રમ્ય માંથી રમ્યતર થવા તરફની ગતિનો હું સાક્ષી હોઈશ....."

"ગરુડ એટલે ગિરનાર માથે મૂકેલું વાયરલેસ ટેશન"

"ભેજ રૂપે સરકતું પાણી પથ્થરો ભીંજવતું નીચે સુધી ઝમે છે... અદ્રશ્ય લાગે તેવું આ ઝમણ એક ગોળાકાર ખાડામાં ભરાઈને પોતાની લીલા સંકેલી લે છે. ચોમાસામાં તો અહીં ધોધ પડતા હશે પરંતુ અત્યારે થતું ઝમણ... એ નો ખાડો છલકાવીને હીરણમા ભળવાં જેટલું જળવંત પણ નથી."

"શીખીને બોલવું અને માનતા હોઈએ એટલે બોલવું એમાં ફરક છે"

"ખડકાળ,કાળા તળવાળી... મનમોહીની હીરણ જાણે ગામને બાથ ભીડવા મથતી હોય તેમ સાસણને ઘેરીને વહે છે... ઉપરવાસથી તેનું પારદર્શક જળવહેણ વિસાવદર તરફ જતી રેલ્વેના પૂલ તળેથી વહીને સાસણને અડે. ત્યાંથી સાસણ ફરતે અર્ધપરિક્રમા કરીને મેદરડા જતા માર્ગ નીચેથી સરકતી સાગર તરફ વહી જાય છે.". "હજી તો જળવંત છે એટલે વહી રહી છે"
"વન સાથે કે રંગો સાથે વાત કરવાનું કથન મને સ્પર્શ્યું"

"મનુવંશે પોતાની પ્રાકૃતિક અવસ્થાથી અસંતુષ્ટ થઈ ને "હોવા"માંથી "બનવા"નો માર્ગ નહોતો લીધો તે સમયના અંશો તે માનવીના લોહીમાં હોવા જ જોઈએ"

"હું અહીં પ્રવેશ્યો તે સમયે મને લાગતું હતું કે આ જંગલ ના કહેવાય આજે મને ખાતરી છે કે આ જંગલ નથી. હું એને અરણ્ય પણ નથી કહી શકતો... ન તો આ 'અટવી"છે.. ન તો 'વન'.. અરે 'વિપિન'.  'ગહન'  'ગૂહિન'.  'કાનન'. 'ભિરુક'. 'વિક્ત'. 'પ્રાન્તર' ‌... ભાષા પાસે વનનાં જેટલા પણ પર્યાયવાચક હશે... તેમાંનાં એક પણ શબ્દ પાસે આ પ્રદેશના પૂર્ણ સ્વરૂપને વર્ણવવાનું સામર્થ્ય નથી..."

    "હા આ ગીર છે.. માત્ર ગીર.. રૈવતાચલની પરમ મનોહર પુત્રી.. જગતના તમામ ભૂભાગો થી અલગ આગવું અને પોતીકું વાતાવરણ ધરાવતી, હંમેશા જીવતી, સદા સુહાગન, સદા મોહક ગીર"....
💫💞 ✍️☕

આ શબ્દો વાંચતા.. જાણે કોઈ અછાંદસ કવિતા વાંચતી હોઉં એવું ફિલ થઇ આવે....
કાઠીયાવાડી ભાષાની ખમક..."અટાણે".."ઈ"...."કાંઈ નો આવે"......... અને થોડા પ્રાદેશિક શબ્દો...."વૈઈડ"..."જળવંત".."ભરથરી"...... નવલકથા ને નવી જીવંતતા બક્ષે છે....

મિત્તલ પટેલ
"પરિભાષા"