Thursday 23 December 2021

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

મુશ્કેલી પડે જો હમપે.. ઈતના કર્મ કર....✨💫✍🏻

"મુશ્કેલીઓ" કોઈને ગમે ખરી?? આ પ્રજાતિ સૌથી અળખામણી છતાંય જીવનના સૌથી કિંમતી અને સચોટ પાઠ તે જ શીખવી જતી હોય છે.

રખોપું ન રાખું હું....
     ઝાંઝવા જેનાં પોત રે....
હે કૃષ્ણ! તારાં જ સ્વાંગમાં
‌‌     રાચતાં તારાં જ મરજીવિયા જોને આજ રે...

        અક્ષરસહ જેને વ્યાખ્યાયિત કરવું ભલે અઘરું હોય, પણ ભાવસહ તેને અભિવ્યક્ત કરવું અનિવાર્ય બની જાય છે.જ્યાં સુધી તમારાં મનોભાવનું અને તકલીફનું આંકલન નથી કરી શકતા ત્યાં સુધી અદ્રશ્ય વિચારોના કુરુક્ષેત્રમાં જાતે ને જાતે વધુને વધુ ફસાતાં જશો.

ગીતા પરમો ધર્મ:

        ગીતા સરીખો ન કોઈ ધર્મ છે ન કોઈ ધર્મ વિદ્. જ્યારે બધેથી તમે હારી જાઓ છો ત્યારે આપની આત્માને, મનને, વિચારોને જ્યાં વિસામો મળે છે તે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા. જ્યાં પહોંચ્યા પછી બધાં પ્રશ્નો શૂન્ય થઈ જાય છે. બધી પીડા નગણ્ય બની જાય છે. અને એક જળકમળવત્ સ્થિરતા આપણાં જીવને પ્રાપ્ત થાય છે. જ્યાં પહોંચ્યા પછી ડગલું, ટકવું, મેળવવું, સંચરવુ, એ બધું પોકળ બની જાય છે. એક સ્થિર વિચાર, મનની સ્થિતિ જે પ્રસન્નતાથી છલોછલ છે તે પ્રાપ્ત થાય છે.

        મુશ્કેલીઓ આપણી ખામીઓથી આપણને અવગત કરે છે. આપણી ભૂલો તરફ આપણું ધ્યાન દોરે છે. અથવા અંગુલી નિર્દેશ કરી આપણી જ ભૂલો સુધારવા સમય અને સંજોગ આપે છે. આપણને માણસને ઓળખવાના દ્રષ્ટીકોણમાં પરિવર્તન લાવે છે. ફરિયાદોને નિર્મૂળ કરી શક્યતાઓને શોધવાનો ,ચકાસવાનો દ્રષ્ટિકોણ કેળવે છે. અહમના છાંટાનો છેદ ઉડાડી, અહર્નિશ નિર્મમ બનતાં શીખવે છે.

મિત્તલ પટેલ
 "પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com

No comments:

Post a Comment