Wednesday, 30 September 2020
Sunday, 27 September 2020
આખેટ ✨💫 અશ્વિની ભટ્ટ
"અકથ્ય સંવેદન"
"રૂમાલ માં સુગંધ સંતાઈ""
"ક્યાંક ક્યાંક ઝરણાનું પાણી અટવાઈને, કાળમીંઢ પથ્થરોમાં પડેલા મોટા ગબ્બામાં ભરાઈ રહ્યા હતાં".
"જીવનમાં કેટલાય પ્રસંગો અને પરિસ્થિતિઓ એવી હોય છે જ્યારે માણસે તેના કિલર ઈન્સ્ટીન્ક્ટ પર આધાર રાખવો જોઈએ . તેની સૌજન્યશીલતા કે વિવેક પર નહીં"
"પુરુષ ધૂંઆધાર હોવો જોઈએ.." "ધૂંઆધાર માણસો ના પ્રશ્નો પણ એવા જ જટીલ હોય
છે" "mysterious"ઇસ ધ પ્રોપર વર્ડ ફોર ઈટ".."એવાં માણસો નાં વ્યક્તિત્વ પણ તેવા જ હોય! નોન ટ્રાન્સપરન્ટ..."
"તું intuition માં... અંતઃસ્ફુરણા માં માને છે? અંતરમાંથી ઉઠતા સંવેદને તમે ક્યારેય કશું માર્ગદર્શન આપ્યું છે?.."
"તું વધુ પડતો નમ્ર અને સાલસ છે. ક્યારેક તેનાથી અનર્થ સર્જાય છે .આ જમાનામાં તેનાંથી વધું કશુંક જોઈએ..."
"પ્રેમની કોઈ માત્રા ન હોય, પ્રેમ તો સો ટકા જ હોઈ શકે તેમાં કોઈ બીજી ટકાવારી ન હોય..."
"સંગેમરમરથી મઢેલા દહાલના થળા પર એક અનુપમ ગઝલ રચાઈ.. જેના કોઈ શબ્દો ન હતાં. જેના રદીફ અને કાફિયા માં એક જ શબ્દ હતો.. ઇશ્ક"
"પુરુષ અને પ્રકૃતિ, આત્મૈકય અને આસક્તિ"
"ઝઝૂમવું તે જ તો માણસ હોવાનું તાત્પર્ય છે. તે જ તો તેનું સત્વ છે..."
"અપાર સુખની પળો શાશ્વત નથી હોતી. એકાએક જ તેનો અંત આવે છે"
"જે સ્પંદનો નું સંગીત સર્જાઇ રહ્યું હતું, તેને આસવાનો નશો ચડી રહ્યો હતો..."
"કોઈ અસ્ફુટ શક્તિ, કોઈ અગમ ઉર્જા, કોઈ અલૌકિક એન્કાઉન્ટરની મર્યાદામાં તે જકડાઈ ગઈ હતી"
"પુરુષ ખડક જેવો હોવો જોઈએ..જે "પૈસાને " એક લક્ષ્ય તરીકે નહીં પણ એક સાધન તરીકે જોઈ શકે...જે મુસીબતમાં પણ એવો જ હોય અને વિજયની પળોમાં પણ "સ્વ " ગુમાવતો ન હોય.."
"માણસ નું વક્તવ્ય ,તેનો દેખાવ, તેની રહન-સહન, એ તેનું વ્યક્તિત્વ નથી... તેનું વ્યક્તિત્વ તેના વાસ્તવ- દર્શન પ્રત્યેનાં અભિગમ થી છતું થાય છે... અને એ અભિગમ વાસ્તવ ના અનુભવ વગર અશક્ય છે.."
✨ કેટલાક નવા શબ્દ પણ મળ્યા..
"સ્પંદનો નું સંગીત"
"નિર્વાચ વાતચીત"
"આશ્રવ"
"અભિસંગની ઉષ્મા"
"નશાર્ત"
"નેપથ્ય"
Now reading part-3 of...."આખેટ"
થોડુંક ઈરીટેટીંગ કેરેક્ટર માલતી નું લાગ્યું....
આખેટ ✨💫 અશ્વિની ભટ્ટ
"અકથ્ય સંવેદન"
"રૂમાલ માં સુગંધ સંતાઈ""
"ક્યાંક ક્યાંક ઝરણાનું પાણી અટવાઈને, કાળમીંઢ પથ્થરોમાં પડેલા મોટા ગબ્બામાં ભરાઈ રહ્યા હતાં".
"જીવનમાં કેટલાય પ્રસંગો અને પરિસ્થિતિઓ એવી હોય છે જ્યારે માણસે તેના કિલર ઈન્સ્ટીન્ક્ટ પર આધાર રાખવો જોઈએ . તેની સૌજન્યશીલતા કે વિવેક પર નહીં"
"પુરુષ ધૂંઆધાર હોવો જોઈએ.." "ધૂંઆધાર માણસો ના પ્રશ્નો પણ એવા જ જટીલ હોય
છે" "mysterious"ઇસ ધ પ્રોપર વર્ડ ફોર ઈટ".."એવાં માણસો નાં વ્યક્તિત્વ પણ તેવા જ હોય! નોન ટ્રાન્સપરન્ટ..."
"તું intuition માં... અંતઃસ્ફુરણા માં માને છે? અંતરમાંથી ઉઠતા સંવેદને તમે ક્યારેય કશું માર્ગદર્શન આપ્યું છે?.."
"તું વધુ પડતો નમ્ર અને સાલસ છે. ક્યારેક તેનાથી અનર્થ સર્જાય છે .આ જમાનામાં તેનાંથી વધું કશુંક જોઈએ..."
"ક્યારેક વિવેક અને સૌજન્યશીલતા નબળાઈના પર્યાય લેખાય છે.."
"પ્રેમની કોઈ માત્રા ન હોય, પ્રેમ તો સો ટકા જ હોઈ શકે તેમાં કોઈ બીજી ટકાવારી ન હોય..."
"સંગેમરમરથી મઢેલા દહાલના થળા પર એક અનુપમ ગઝલ રચાઈ.. જેના કોઈ શબ્દો ન હતાં. જેના રદીફ અને કાફિયા માં એક જ શબ્દ હતો..... ઇશ્ક....."
"પુરુષ અને પ્રકૃતિ, આત્મૈકય અને આસક્તિ"
"સમય ઓછો પડે છે એમ કહેવું એ આત્મવંચના છે."
"ઝઝૂમવું તે જ તો માણસ હોવાનું તાત્પર્ય છે. તે જ તો તેનું સત્વ છે..."
"અપાર સુખની પળો શાશ્વત નથી હોતી. એકાએક જ તેનો અંત આવે છે"
"જે સ્પંદનો નું સંગીત સર્જાઇ રહ્યું હતું, તેને આસવાનો નશો ચડી રહ્યો હતો..."
"કોઈ અસ્ફુટ શક્તિ, કોઈ અગમ ઉર્જા, કોઈ અલૌકિક એન્કાઉન્ટરની મર્યાદામાં તે જકડાઈ ગઈ હતી"
"પુરુષ ખડક જેવો હોવો જોઈએ..જે "પૈસાને " એક લક્ષ્ય તરીકે નહીં પણ એક સાધન તરીકે જોઈ શકે...જે મુસીબતમાં પણ એવો જ હોય અને વિજયની પળોમાં પણ "સ્વ " ગુમાવતો ન હોય.."
"માણસ નું વક્તવ્ય ,તેનો દેખાવ, તેની રહન-સહન, એ તેનું વ્યક્તિત્વ નથી... તેનું વ્યક્તિત્વ તેના વાસ્તવ- દર્શન પ્રત્યેનાં અભિગમ થી છતું થાય છે... અને એ અભિગમ વાસ્તવ ના અનુભવ વગર અશક્ય છે.."
✨ કેટલાક નવા શબ્દ પણ મળ્યા..
"સ્પંદનો નું સંગીત"
"નિર્વાચ વાતચીત"
"આશ્રવ"
"અભિસંગની ઉષ્મા"
"નશાર્ત"
"નેપથ્ય"
Now reading part-3 of...."આખેટ"
થોડુંક ઈરીટેટીંગ કેરેક્ટર માલતી નું લાગ્યું....
Thursday, 24 September 2020
Wednesday, 16 September 2020
ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ
"અંતરાત્માને જીવનની દીવાદાંડી બનાવીએ તો ક્યારેય ભૂલા પડાય ખરું!!!"✨💫🌸⛳
ભીતર જાગતો આગિયો ને...
બહાર અજવાળાને શોધે...
સંગાથ સાચો સંગાથે ને...
કાઠે કાઠે દરિયો શોધે.....
કેટલીક વાર જ્યારે આપણે જીવનનાં મહત્વનાં નિર્ણયો લેવાના હોય છે ત્યારે ભીતરથી એક અવાજ આપણને કંઈક જાણે કહેતો હોય, કોઈક દિશામાં આપણને દોરતો હોય, કદાચ સાચી દિશા બતાવતો હોય એવો અનુભવ આપણને જીવનમાં ક્યારેક ને ક્યારેક અવશ્ય થાય છે. કેટલીકવાર આ અવાજને આપણે માત્ર આપનો ભ્રમ સમજી તેને અવગણી મગજ જે કહે તે કરીએ છીએ. ત્યારે કેટલીકવાર તે નિર્ણય લેવા બદલ પસ્તાવું પણ પડે છે. દુનિયા અને તેમાં આપણી જીવન યાત્રા દરમિયાન બનતી ઘટનાઓ અને પરિસ્થિતિ અકળ અને ગૂઢ હોય છે. ક્યારેક આપણને જીવનમાં થનારી ઘટનાઓનો પૂર્વાભાસ પણ થતો હોય છે. ભીતરથી કોક આપણને કંઈક કરતાં રોકી રહ્યું હોય એવું લાગે જેમ કે કેટલીકવાર કોઈ સારા પ્રસંગમાં વારંવાર વિઘ્નો આવે તો સમજવું કે કોઈક ગુઢ ચેતના આપણને કંઈક દિશા સૂચન કરી રહી છે. પણ જ્યારે આપને તેને અવગણી કુદરત સાથે જબરજસ્તી કરી કોઈક કાર્ય કરાવવા ની ચેષ્ટા કરીએ છીએ ત્યારે તેમાં આપણું હિત કયારેય સમાયેલું હોતુ નથી.
જ્યારે પણ તમારે જીવનમાં કોઈક મહત્વનો નિર્ણય લેવાનો હોય તો અંતરાત્માને ચોક્કસ પ્રશ્ન પૂછજો કે શું આ મારા માટે યોગ્ય છે?? જો તમારું મન નિર્લેપ અને ચોખ્ખું હશે તેના પર દંભ ના આવરણ નહીં જામ્યા હોય તો તમે ચોક્કસ અંતરાત્માનો અવાજ સાંભળી શકશો.
અંતરનાદ જીવનના ભલભલા મોટા તોફાનો સામે લડવાની તાકાત પેદા કરે છે. તે તમારામાં મક્કમ પોતાના ધ્યેય માટે ઝઝૂમવાની હિંમત પેદા કરે છે. અંતરનાદ ભીતરમાં થી ઉઠતો એક એવો નાદ છે કે જીવનમાં હર તબક્કે સાચી પસંદગી તમને કરાવી ઉત્તરોઉત્તર પ્રગતિ ના પંથે તમને ખેંચી જાય છે. અને ભૂલો કરતા અને ખોટી પસંદગી કરતાં અટકાવે છે. શ્રેષ્ઠ માણસ બનાવામાં મદદ કરે છે. જીવનનો સાચો મર્મ સમજાવી, જીવનનાં મૂળભૂત હેતુ સાથે તમારો પરિચય કરાવી જીવનને સાર્થક બનાવવામાં મદદ કરે છે.
મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ
Thursday, 10 September 2020
Thursday, 3 September 2020
ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ
🤹 પોતાનાં વિચારો જબરજસ્તી બીજા પર થોપવાની વૃત્તિ..💫🤔🤨🧐
કેટલાક લોકો ખરેખર ખૂબ સારાં માણસ હોય છે પણ માત્ર આ એક દુર્ગુણ ને કારણે તે સૌનાં અળખામણા બની જતાં હોય છે.તેમનો કોઈને હર્ટ કરવાનો ઇરાદો બિલકુલ હોતો નથી પણ પોતાની પસંદ, પોતાનાં ગમા-અણગમા, પોતાનાં અનુભવ જેવાં જ સામેવાળાના પણ હોવાં જોઈએ તેવું દ્ઢપણે એમનાં મનમાં ઘર કરી ગયું હોય છે.સામેવાળી વ્યક્તિ કઈ પણ કહે જો તે તેના વિચાર સાથે મેચ ન થતી હોય તો ખૂબ આક્રમક રીતે તેની પાસે પ્રુવ કરવાની કોશિશ કરે છે કે હું વિચારું છું એ જ બેસ્ટ છે અને તારે એ જ કરવું જોઈએ. જે પોતાને ગમતું હોય છે ,વિચાર્યું હોય છે તે સામેની વ્યક્તિ પર જબરજસ્તી થોપવાની કોશિશ કરે છે. સામેવાળી વ્યક્તિ સતત પ્રતિકાર કરે તો પણ. અને આવાં માનસ ધરાવતાં માણસો તેના સંપર્કમાં આવતાં લોકોને ટોર્ચર ફીલ કરાવનારા બની રહે છે.
. આવા વ્યક્તિ સ્વકેન્દ્રી હોય છે. પોતાનાં સતત વખાણ સાંભળવા ની ખેવના રાખતાં હોય છે. સહેજ તેમના ઓપિનિયન નો વિરોધી અભિપ્રાય આપો તરત તેઓ ધૂંધવાઇ જાય છે. આવું હોઈ જ ન શકે. હું જે વિચારું છું તેવું જ હોય. હું જે અનુભવું છું તેવું જ હોય. બધાની પસંદ મારાં જેવી જ હોય.બીજાની પસંદ ગમા-અણગમા ,અનુભવો તેનાથી અલગ હોઈ શકે છે તે વિચારવું પણ તેના માટે અસંભવ હોય છે. એટલી હદે તે વ્યક્તિ સ્વકેન્દ્રી બની ગયેલ હોય છે. કોઈ તેમનાં વખાણ ન કરે તો સામેથી પ્રશ્નો પૂછી પૂછીને પણ પોતાનાં વખાણ કરાવતાં રહે છે. 'જો આ ગીત મેં ગાયું મસ્ત અવાજ છે ને મારો?' 'શું તમને નથી લાગતું કે આ કામ મારાથી સરસ થયું છે?' આવી વૃત્તિ તેમની હોય છે એમાંય આખાબોલો કોઈ માણસ તેને મળી જાય અને સાચી વાત સ્પષ્ટ પણે કહી દે તો તરત તેનો અહમ્ ઘવાઈ જાય છે. અને પછી આક્રમક બનીને "તમને કંઈ ન સમજાય આમાં"એવો અહેસાસ તેને કરાવી દેવા તલપાપડ બની જાય છે.
. આ વૃત્તિ જન્મે છે ક્યાંથી?? બાળપણમાં મા-બાપ એ બાળકને વધુ પડતા લાડ લડાવ્યા હોય ને ખોટું હોય કે ખરું માત્ર તેનું ઉપરાણું લઇને ખોટા ને પણ છાવરવાની, ને સતત એનાં અહમને પંપાળવા ની વૃત્તિ કરી હોય તો તે બાળક મોટું થઈને" સ્વકેન્દ્રી "બની જાય છે.પોતાના વર્તનથી સામેવાળી વ્યક્તિને દુઃખ થાય છે, તેનાથી તેના અંગત લોકો તેનાથી દૂર થઈ જાય છે, પોતે એકલો થઈ જવા તરફ જઈ રહ્યો છે, તેનો અહેસાસ પણ તેને બહુ મોડેથી થાય છે.
. આ સ્વકેન્દ્રીપણાને લીધે લોકો તેની અવગણના કરવા લાગે છે. તેના સારા ગુણો ટેલેન્ટ માત્ર તેના એક દુર્ગુણ ને લીધે ઢંકાઈ જાય છે. માબાપ બાળકને ગમે તેટલો પ્રેમ કરતાં હોય પણ સાચા-ખોટા વચ્ચેનો ભેદ સમજાવે તે ખૂબ જરૂરી છે. બાળક ખોટું કરે તો તેને ખોટું કર્યું છે તેનો અહેસાસ પણ કરાવવો ખૂબ જરૂરી છે. તેની નાની મોટી સજા મળવી પણ જરૂરી છે. જેથી પોતે "માણસ" છે ભગવાન નહીં તેનો તેને અહેસાસ રહે. બાળકને બીજાના અલગ વિચારો અલગ ઓપીનિયન ને પણ રિસ્પેક્ટ આપતા શીખવવું ખૂબ જરૂરી છે. બાળકની "હા"મા સતત "હા" મેળવવાથી તમે તેને વધુ પ્રેમ કરો છો તેમ સાબિત નથી થતું. બાળકને તેની જિંદગીમાં "ના" પચાવવાની કેળવણી પણ આપવી ખૂબ જરૂરી છે. તેને જોઈએ તે બધું જ ક્યારેય મળવાનું નથી. બધું જ મળી જાય એનું નામ જિંદગી નથી.બધા જોડે આપણે આત્મીયતાથી મળી શકીએ ,જીવી શકીએ તેનું નામ જ જિંદગી છે. એવો તેને અનુભવ આપવો ખૂબ જરૂરી છે
. આવા લોકો સ્વાર્થી કે કપટી નથી હોતાં.. તેઓ એક માત્ર સ્વકેન્દ્રીપણાની બીમારી થી પીડાતાં હોય છે જો તેઓ વહેલી તકે આ કુંડાળામાંથી બહાર નીકળી જાય તો કંઈ કેટલાય સબંધો બગડતા અટકાવી શકે તેમ છે.
સ્વીકારી શકે જો તું કોકને
તેના પોત સાથે...
પ્રીત બાંધી શકીશ તું
તારી જાત સાથે...
ખુદને મળવું હોય તો
વિસરી જોજે જાત..
જોડાયેલ છે અહીં હર કોઈ
એક પરમ આતમ સાથે
મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail com