આ પુસ્તક વાંચતા મનમાં સહજ ઉદ્ભવેલ ભાવ...
આ દુનિયામાં ઠગ કોણ નથી...???
કોક બીજાને ઠગે.. તો કોક પોતાની જાતને...
ક્યારેક ને ક્યારેક તો આ ઠગ વૃત્તિ દેખા દે જ છે
કોઈ શબ્દથી ઠગે.. તો કોઈ ભાવથી...
તો કોઈ પ્રવૃત્તિ થી...
પણ શરૂઆત તો પોતાની જાતને ઠગવા થી જ થાય છે...
હકીકતમાં કુદરત થી મોટો ઠગ આ દુનિયામાં કોઈ નથી..!
આપણે સૌ તો માત્ર તેની કઠપૂતળી છે.... અને આપણે કોઈને ઠગી શકીએ છીએ એ આપણાં મનનો વહેમ છે..!!! સુખ નું મૃગજળ બતાવી આખી જિંદગી દોડાવ્યા કરે..... એ સૌથી મોટો ઠગ એટલે કુદરત.
"અપરિગ્રહ "નો ભાવ કેળવી શકીએ તો જ આ ઠગ વૃત્તિમાંથી મુક્ત થઈ શકીએ છીએ..!!
મિત્તલ પટેલ
"પરિભાષા "
No comments:
Post a Comment