Tuesday 28 April 2020

       જુનુ મહાભારત હાલ ચાલતું હોવાથી ધ્રુવ ભટ્ટની નોવેલ"અગ્નિકન્યા"વાંચતી વખતે સારોએવો અનુબંધ અને ભાવ સેતુ બંધાયો!! તેની અસરને લીધે આ પુસ્તક વાંચતી વખતે દ્રૌપદીની વાત આવે એટલે રૂપા ગાંગુલીનો ચહેરો નજર સમક્ષ આવે.....😊💫    .... અને તેનાં દ્રૌપદી ને પાંચાલી નામ કરતા મને "અગ્નિકન્યા "નામ વધુ સ્પર્શી ગયું...
       કૃષ્ણ:"મને શું મળ્યું તેનો વિચાર હું કરતો નથી... મારા કોઈ કર્મ સાથે હું મારી જાતને સાંકળતો નથી.. તમામ બંધનો થી દુર રહીને હું ફક્ત કર્મ જ કરું છું તેથી મારા માટે નિષ્ફળ- સફળ જેવું કશું જ નથી . માટે માત્ર એક જ વસ્તુ છે-"કર્મ"."

      ધ્રુવ ભટ્ટ નાં બીજા એક પુસ્તક "પ્રતિશ્રુતિ"... જેમાં મને ગમી ગયેલો સંવાદ
ભીષ્મપિતામહ અને કૃષ્ણ સંવાદ... ભીષ્મ:"મનુષ્યો બીજી વ્યક્તિને જોવા મૂલવવાની ચોક્કસ દ્રષ્ટિ કેળવી લે છે. પછી તે વ્યક્તિનું અન્ય કોઈ સ્વરૂપ તેમની આંખને દેખાતું નથી પોતે માને છે તેનાથી જુદું કોઈ હોઈ શકે તેવું માનવામાં તેમને પાપ કર્યા જેવું લાગે છે..."

     

No comments:

Post a Comment