Wednesday 2 February 2022




આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

ભુલાયેલી વિરાસત- "પત્ર-લેખન"...💫✍🏻📨📃


   અભિવ્યક્તિના કંઈ કેટલાય માધ્યમો આવ્યાં અને ગયાં. શબ્દો સાથે શબ્દભાવ મનોભાવનું તાદ્રશ્ય ચિત્રણ બનાવી લાગણી , હ્રદની છલોછલ સંવેદનાઓની પીંછીથી રંગપુરણી કરીને, સામેવાળી વ્યક્તિ સુધી શબ્દોનાં માધ્યમથી પહોચતું સંબંધનું મેઘ ધનુષ એટલે પત્ર. 

        પત્ર લખવાની સાથે  એક સાયકોલોજીકલ અને સાયન્ટિફિક વિભાવના જોડાયેલી હોય છે.તે એ છે કે કેટલીકવાર વ્યક્તિનાં મનની ભીતર ઊંડે ઊંડે સામેવાળી વ્યક્તિનાં માટે એક્ઝેટલી ક્યાં ક્યાં ભાવ છે, તેમાં કેટલું ઊંડાણ છે,  તેમની લાગણીઓનું પોત કેટલા અંશે તરબતર છે, તે ખુદને જ એટલી સ્પષ્ટ પણે ખબર હોતી નથી. જ્યારે કાગળ પર કલમનું માધ્યમ મળે છે, ત્યારે આપોઆપ હૃદય જાતે અભિવ્યક્ત થાય છે, દિમાગથી થોડું અળગું રાખીને. માટે આ સંબંધમાં તર્ક, સ્વાર્થ એ બધું ગળાઈને કાગળ પર નીતરે છે. અને વ્યક્તિ અન્ય વ્યક્તિ માટેનાં ભાવ લાગણી કાગળ પર ઉતારે છે ત્યારે તે ભાવ, લાગણી પ્રેમનું દ્ઢીકરણ થાય છે.. કેમ કે અર્ધજાગ્રત મન ઉપર તે ફરીથી તાદ્રશ્ય છપાય છે. તેનો મન પર રંગ વધુ ઘેરો બને છે. સંવેદનાઓ વધુ ઘૂંટાઈને વધુ મજબૂત બને છે અને માનસિક ઈમોશનલ બોન્ડીગ વધુ મજબૂત બને છે આ તો જ્યારે પત્ર લખાય છે ત્યાં સુધીમાં આટલું બધું અનુભવાઈ જતુ હોય છે. આટલું બધુ જીવાઈ જતું હોય છે. પણ જ્યારે પત્ર સામેવાળાના કરકમળમાં પહોચે છે અને વંચાય છે ત્યારે દ્રષ્ટિ, દ્રષ્ટિકોણ, વિચાર, લાગણીતંત્ર,  સંવેદનાતંત્ર બધું જ એકરુપ  થઈને જાણે તે શબ્દોમાં નૃત્ય કરતું હોય તેવું ભાસે છે. તે વ્યક્તિ જે તે વ્યક્તિને તાદ્રશ્ય ફીલ કરી શકે છે. દૂર રહેવા છતાં નૈક્ટ્ય અનુભવી શકે છે. પુત્ર જો પિતાને, ભાઈ બહેનને કે મિત્ર મિત્રને તેનાં જન્મદિવસ કે અન્ય પ્રસંગે પોતાની લાગણી પત્રના માધ્યમથી અભિવ્યકત કરે તો તે આનંદ બંને માટે ચિરંજીવી બની રહે છે. અને તેમની વચ્ચેનો ઈમોશનલ બોડીંગ જળવાઈ રહે છે.

શબ્દો આકારે જ્યારે...
         મનને હૃદને, ભાવને....
તું અનુભવે તે વ્યક્તિનાં
         સંવેદનના એક એક તારને..

મિત્તલ પટેલ
" પરિભાષા"

No comments:

Post a Comment