Monday 3 May 2021

💫 ઘમ્મર વલોણું (ભાગ 2)
              -પન્નાલાલ પટેલ

"અસતને કાળજામાં ભંડારી રાખીએ તો ઊધઈ જેમ લાકડું કોરી ખાય એ રીતે... મનેખને ભીતરથી કોરી ખાય..."

"અનિષ્ટની પાછળ ઈષ્ટ છુપાયેલું જોતો હોય એ રીતે જ વિચારતો હતો... અને હૃદયથી પણ માનતો હતો કે ભગવાન ખોટું કરે છે એ પણ સારા માટે જ!!"

"જ્યાં સુધી તમારો સંબંધ સત્ય ઉપર સ્થપાય નહીં ત્યાં સુધી ગમે તેવો પ્રેમેય અધુરો બલ્કે ભ્રમ જ ગણાય....!"

"તારાં પિતાની જેમ તું જો ઊંડો ઉતરીશ તો તમારા બે ના પ્રેમની વચ્ચેનો તફાવત પણ સમજાશે. એ માણસની માટી જ પ્રેમમાં બંધાયેલી છે ને એ હિસાબે તારી સાથે એને -લોહી કરતાંય પ્રેમની જ નરી સગાઈ છે..."

"સામાને જીવનભર દુઃખ થાય એવી વાત શું કામ કોઈ સમજુ માણસ કરે બચ્ચા...? ઈલાજ જ જ્યાં ન હોય પછી..!"

"સમાજની કે માનવજાતની ક્યાં વાત ?.. ખુદ વ્યક્તિમાં પણ સંવાદ ક્યાં છે...! "

"આ કંઈ પોચા પોચા દાળિયા નથી... પ્રેમ એ તો લોઢાના ચણા છે..."

"એકબીજાથી વાત કરીને ભલે એમણે પાકી ગાંઠ ન પાડી હોય બાકી જીવ એમનાં ગંઠાઈ ગયા છે...."

મિત્તલ પટેલ
" પરિભાષા"

No comments:

Post a Comment