Wednesday 22 February 2023

આણંદથી પબ્લિસ થતા "ગુર્જર ગર્જના "ન્યુઝ પેપરમાં મારો લેખ..💫✍️

મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા.....✨✍️🎸

          કેટલીક વાર આપણે આપણી જિંદગીને માત્ર એક સાક્ષી બની વહી જતી જોઈ રહ્યાં હોઈએ છે. આપણાં હાથમાં કંઈ જ હોતું નથી. પરિસ્થિતિ પર કુદરત પોતાનો કંટ્રોલ કરી તેને બનાવતી અને આપની સમક્ષ મુકતી રહે છે. આપણે તેમાંથી બહાર પણ નીકળી નથી શકતાં, અને તેને નજરઅંદાજ પણ નથી કરી શકતાં. પણ સાક્ષી બની જોઈ રહેવા સિવાય કંઈ જ નથી કરી શકતાં. આ જીવનનો એક એવો pause છે જે આપણામાંથી "અહમ્"ની બાદબાકી કરવા ,"હું" પણું નાબૂદ કરવાં અને આસક્તિને નામશેષ કરવા અનિવાર્ય હોય છે. બધું જ આપણી ફેવરમાં હોય તો આપણે ક્યારેય "શાશ્વતને" પામી નથી શકતા. કસોટી એ અપરિપક્વતાને તપાવીને આપણાં "માનસ"માં પરિપક્વતા, "સ્વ" સુજને વિકસાવવાના યજ્ઞમાં આહુતિસમ પ્રક્રિયા છે.

              માણસને કઠોર, અસવેદનશીલ, પથ્થરસમ બનાવવા માટે બધા જ કારણો પૂરતા હોય, મોટાભાગના કિસ્સાઓમાં વ્યાજબીય હોય, ત્યારે માણસ રડીને ,દુઃખી થઈને, પીડામાં તપીને પણ સ્થિર રહી શકે. સંવેદનશીલતા પોતાની અકબંધ જાળવી શકે. પોતાની જીવંતતા અકબંધ રાખીને સર્વાઈવ કરી શકે .ગમે તેટલા મોટા દુઃખને પણ જીરવીને પોતાનું "સ્વ" ત્વ એઝ ઈટ ઇસ જાળવી શકે. જડતાને પોતાનામાં ઘૂસવા ના દે તો તે આ દુનિયાનો સૌથી સફળ વ્યક્તિ છે. દુઃખની સામે જડ બની જાવ એ તો બહુ ઇઝી છે. તમને કોઈનુ દુઃખ, પીડા કે પોતાનું દુઃખય ન સ્પર્શે. પણ એ જડતા શું કામની? તમને અમાનવ બનવા પ્રેરે તેવી શાંતિ શું કામની? "વહેતા રહેવું" એ કુદરતી છે. "જડતા" અ કુદરતી છે. "વહેતું પાણી" જેમ હંમેશા નિર્મળ હોય છે. તેમ વિપરીત પરિસ્થિતિમાં તરતો રહેનાર વ્યક્તિ કદાચ વધુ નિર્મળ થઈને બહાર આવે છે. જ્યારે જે પોતાની લાગણીને શુન્ય કરી નાખે છે, તે સંવેદનશુન્ય બનીને માત્ર પોતાનાઓને વધુને વધુ પીડા જ આપતો રહે છે. એ જડત્વ શું કામનું છે જે તમારામાના "તમને" મૃતઃપ્રાય કરી નાખે!!

વાંચા પોતાની લાગણીઓને આપી શકો છો,
              તો તમે જીવંત છો...!!

તમે કોઈના દુઃખમાં દુઃખી થઈ શકો છો ,
              તો તમે જીવંત છો..!!

પોતાની તકલીફ તો બધાને અડે....
બીજાની તકલીફમાં સંવેદનાની આહુતિ આપી શકો છો,
             તો તમે જીવંત છો..!!

મિત્તલ પટેલ
" પરિભાષા"

No comments:

Post a Comment