સવારની આજુબાજુ એક સાંજનો ઓથારો હોય છે...
એટલે જ રોશની સાથે અંધકારનો એક વિસામો હોય છે...
સાવ સાદાઈથી કહીએ તો....સળગી ઉઠ્યાં પછી..
રાખને સળગાવવાનો....સૌનો ઓવારો હોય છે...
રંગમંચ પર નાટ્ય ભજવતાં નથી થાકવાનુ એ "મિત"
સદંતર "અંતર"માં અંતર રાખીને..ય
રોજ રોજ મરવાનું હોય છે....
વ્હાલું હોય વજૂદ તો ...
જીવી બતાવ.. તું ..પળવાર..ય
રાજીપો રાખવા..ય....,રાજી થઈ....
માત્ર રઝળવાનું હોય છે.......!!
દોરીની કિનારે બાંધેલ પથ્થરની
વિસાત શું??... તું જણાવ....
તોય ગાંઠ વાળીને .. બાંધી દઈ...
કાયમ વિઝવાનું હોય છે.....
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment