Thursday 25 April 2024

મારાં જીવનનો અવિસ્મરણીય દિવસ.......🌻🪴🪩🏡💫✨❤️


              જેમનાં પુસ્તકો સતત મારી કલમની મઠારતા રહ્યા છે.....જેમને વાંચવું એટલે જાણે જાત જોડે વાત કરવી.... જેમને વાંચવા એટલે માંહ્યલાને સમૃદ્ધ કરવો... એવાં મારાં પ્રિય લેખક  ડો. ગુણવંતભાઈ શાહ અને અવંતિકાબેનને તેમનાં નિવાસ્થાન "ટહુકો" એ મળવાનું થયું. એક નોખી માટીનાં જીવને મળીને જાતમાં કંઈક ઉમેરાયું હોવાનું અનુભવ્યું. અઢળક વાતો, ભાવભર્યો આવકાર, પોતાનાપણું , સીધે સીધો પ્રકૃતિ સાથે સંવાદ થતો હોય એવી અનુભૂતિ, આટલું બધું ભાથું લઈને હું આવી. જાણે કોઈક  ઋણાનુબંધ જેવો સંબંધ ...!! મને માત્ર ચાર જ વસ્તુ અભિભૂત કરી શકી છે.... પ્રકૃતિ, બાળકો, શ્રી ગુણવંત શાહના શબ્દો અને પ્રેમ. જ્યાં અભિભૂત થવાની અનુભૂતિ થાય તેની સાથે હોઈએ ત્યારે સહજ આંખમાંથી ભાવના અશ્રુ ખરી પડે અને થોડીક વાર માટે "મૌન"નું સંવાદ ખીલે, પછી જ કંઈક બોલાય.... ઘણું બધું ઘણું બધું શીખવાનું મળ્યું, માણવાનું મળ્યું, અનુભૂતિના વિશ્વને પામવાનું બન્યું. અને એક નિતાંત પ્રસન્નતા સાથે "ટહુકે"થી પાછું ફરવાનું બન્યું ....!!!


       મારાં પુસ્તક "મેઘધનુષ" માં પહેલાં પાને જ્યારે તેમને થોડાંક શબ્દો લખ્યાં ત્યારે મારાં માટે તે સર્વશ્રેષ્ઠ સંભારણું બની ગયું અને મારાં પુસ્તક મેઘધનુષને એક નવી ઊંચાઈ મળી .

શ્રી ગુણવંત શાહ...--" મેઘધનુષ એટલે વાદળનું સ્વપ્નુ"......

No comments:

Post a Comment