Tuesday, 2 August 2022

ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં જુલાઈ-૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀




ભણેલા અભણ ...એટલે!!



          વાંછટ ઘરમાં આવતી હોય તો વાંછટિયુ લગાવાય, વરસાદ બંધ કરવાં જવાનાં વિચારો કરવા ન મંડી પડાય. એ જ રીતે સમસ્યા હોય તો તે સમસ્યાના ઉકેલની દિશામાં વિચારોનું હોકાયંત્ર સેટ કરવું જોઈએ. માત્ર સમસ્યાનાં રોદણાં રડ્યા કરવાથી, તેને બહાનાઓના સ્વરૂપે એક ઢાલ બનાવીને કન્ફર્ટ ઝોનમાં બેસીને જીવ્યા કરવાથી વિચારો, મગજ, જીવનદ્રષ્ટિ ઘરડી થઈ જાય છે. અને ઉત્તરોત્તર મૃત્યુ પામેલ વિચાર શક્તિ સાથે જીવતાં એજ્યુકેટેડ સર્કિટો સિવાય કંઈ જ બચતું નથી.

               તમારામાં તર્ક બુદ્ધિનો વિકાસ ન થયો હોય, કોઈપણ ઘટના કે બનાવને એઝ ઈટ ઇસ જૂની ઘરેડમાં સ્વીકારી લેવાને બદલે તર્ક શક્તિથી એકવાર ચકાસી પછી અપનાવવાની ટેવ ન પડી હોય ,તમારામાં જિજ્ઞાસાવૃત્તિની રતિભર હાજરી ન હોય, મેઘ ધનુષ કે આગિયો જોઈને મન અને આંખોમાં કુતુહલતાની રંગોળી ન રચાતી હોય, "વિસ્મય" નાં ભાવનો લોપ થઈ ગયો હોય, તો સૂકું સૂકું ભણેલું, પૈસા કમાવા માત્ર ભણેલું, માત્ર નામ કમાવવા ભણેલું, કોઈ કામનું નથી. તે માત્ર જીવાડે છે. સાચાં અર્થમાં જીવતાં જીહવળતા, જીવનનો અર્થ મર્મ પામવાં મન મગજને તૈયાર કરતાં નથી શીખવતાં. આનંદ પૈસાથી મળે, પ્રસન્નતા પામવા શું કરી શકાય? તે શીખવે તે સાચું શિક્ષણ. ચોપડીનું ગોખીને માર્ક્સ લવાય, નવું વિચારવાની વૃત્તિ, મનમાં પ્રશ્નો ઉદ્ભવે અને તેનાં જવાબ શોધવા મથામણ કરવાની વૃત્તિ, સારું કમાતાં કમાતાં જીવન સાથે ઓળઘોળ થઈને જીવાય કઈ રીતે? તે "આર્ટ ઓફ લિવિંગ" શીખવાની વૃત્તિ કેળવાય એ જ સાચું શિક્ષણ છે. માણસ માત્ર ગોખણીઓ રોબોટ કે જ્ઞાનનો કૂવો, જેનામાં માનવતા,તત્પરતા, જિજ્ઞાસાના છાંટારુપી ભેજ પણ ન હોય, મૂલ્યોની ગેરહાજરી સાથે ડિગ્રીઓની ભરમાર હોય, તો ચોક્કસ તેની અધોગતિ થવાની....


શિક્ષણ તો દિપકની જ્યોતની માફક ઉર્ધ્વગામી હોવું જોઈએ...


મિત્તલ પટેલ
સાંપા પ્રાથમિક શાળા
 દહેગામ
ગાંધીનગર
mitalpatel56@gmail.com
Mitalparibhasha.blogspot.com

Thursday, 28 July 2022

My article in Gurjar garjana news paper 📰🗞️....

LEARN TO READ "BETWEEN THE LINES"✍️💫

              માણસ કંઈ કેટલુંય કહી જાય અને છતાંય તમે તેનો "મર્મ" ન સમજી શકતાં હોવ, માત્ર "અર્થ" જ સમજો કે " તે શું કહેવા માંગે છે, પણ તે કહેવા પાછળનો તેનો મર્મ શું હશે તે સમજી ન શકતાં હોવ તો આ "બીટવીન ધ લાઈન્સ" સાંભળી લેવાની કળા તમારે ચોક્કસથી કેળવવી જોઈએ. મોટેભાગે દુનિયામાં જે શાશ્વત વસ્તુઓ છે, સાશ્વત ભાવ છે, શાશ્વત સંવેદન છે, તે બે વાક્ય વચ્ચેનાં વહેતાં આછા આછા અવશિષ્ટમાં જ હોય છે. જે તમારાં સંબંધનો સેતુ મજબૂત કરવામાં, આત્મીયતાને એક લેવલથી ઊંચે લઈ જવામાં મદદ કરે છે. શબ્દાતીત ભાવને પામી શકો તો જ અનરાધાર વરસાદની જેમ માણસના માનસમાં વહેણની જેમ ભળી શકો. ભેળસેળિયું તરતું ય નથી અને તરાવી શકતું ય નથી.

  રસ્તે રમતું સતોડીયુ ને...

           સ્પંદન બને પરબીડિયું

  તું સાંભળ મને ...

        બસ સાંભળી રેજે...
  શબ્દો તરતાં... બનશે ને ...

      ભાવ... સરવૈયું...

             મૌન એટલે હૃદયના ભાવને સમજાવવા જતાં શબ્દોની મર્યાદા પૂરી થઈ જાય પછી, શબ્દાતીત ઊર્મિનો ઉભરો સાવ પુર બની ધસી આવે અને આંખો નદી બની કહી જઈ સઘળું,ત્યારે સંવાદની ચરમસીમાં, લગોલગ જીવાયાનું પ્રમાણપત્ર, સ્નેહની પીંછીથી સાવ સહજપણે આમ જ લખાઈ જતું ભાળી શકાય છે.

          કેટલીક વાર કેટલીક વ્યક્તિ પોતાની "પીડા" પણ એક્ઝેટલી શબ્દોમાં વર્ણવી કે કહી શકવા સક્ષમ નથી થઈ શકતો.

" ડૂમા"ની કોઈ ભાષા હોય ખરી!!

         તેની તો અનુભૂતિ હોય. ઘેરાયેલાં વાદળામાં વરસી પડવાનો જાણે ડૂમો ભરાયો હોય!!! તે અકડામણ ફીલ થાય. ઝાડવા પાનખરમાં પાંદડા ખેરવે ત્યારે તેનું રુદણ પવનમાં વિલીન થઈ જતું અનુભવી શકાય. કોઈ ભૂખ્યું સ્વમાની માણસ જીવવાનાં સ્વાર્થ ખાતર ભીખ માંગે ત્યારે તેના સ્વમાન જાળવીને મદદ કંઈ રીતે કરવી, એ ત્યારે જ કરી શકાય જ્યારે તેનાં શબ્દોમાં રહેલી વિવશતા સભર સ્વમાન અને સ્વિકૃતિની અપેક્ષાના ભાવને કળી શક્યા હોઈયે. ઈશ્વરનો અંશ દરેક વ્યક્તિમાં સરખો હોય છે, તેવો "સમતા"નો ભાવ કેળવાય ત્યારે જ એ શક્ય બને છે....

મિત્તલ પટેલ
" પરિભાષા "

Friday, 22 July 2022

🍀💫GCERT...., GANDHINAGAR 🍀💫   

                     ORGANISED....

      ✨ SRG ORIENTATION WORKSHOP.....✨

 • FOR NEP -2020 AND SCIENCE EDUCATION

💫  STEM CELL LAB TRAINING BY AIF [AMERICAN INDIAN FOUNDATION]

💫  TRAINING FOR NCF DEVELOPMENT ACCORDING TO NEP 2020

💫.  GROUP WORK DONE BY DEEP UNDERSTANDING OF LEARNING OUTCOMES AND ACCORDINGLY CONTENT DEVELOPMENT...

💫 DONE TEACHERS TRAINING MODULE WRITING WORK.....

JUST ENJOYED A PROCESS OF LEARNING AND TEACHING......😊🌟💫

Saturday, 16 July 2022

જયહિન્દ સાપ્તાહિકમાં પ્રકાશિત  થયેલ  મારી  એક  રચના. 
સંપાદક યશવંતભાઈ શાહ  તથા કૌશિક શાહ (USA)  સૌજન્યથી... આનંદ અને આભાર.

મમત છોડીને થોડીક ક્ષણો
           "સમત્વ"માં... આવ...તું...

  થઈ શકે તો ઈશ્વરને સાવ...
            આમ જ ન વગોવ ...તું...

તે કર્યું છે તે જ તને મળશે
શેષ જે વધશે તે જ તારાથી છૂટશે...

ખોખલાપણામાંથી એટલે જ...
          સરભર થઈ બતાવ તું.....

અતિ થી ઇતિ સુધી..
      સમભાવ જન્માવ તું....

"તૃપ્તિ"ની પરિભાષા...
         ભૂખ્યાને પૂછજે...

 મંદિરમાં નહીં માણસમાં...
        ઈશ્વર શોધી બતાવ તું....!!

મિત્તલ પટેલ "પરિભાષા" (અમદાવાદ)

Thursday, 30 June 2022


ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં જૂન -૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀


બદલાતાં જતાં  મૂલ્યોની પરિભાષા....💫✍️🌸🍂🍀




           શું ભણાવી ગણાવીને નોકરીએ લગાવી દેવું, લાખો રૂપિયા કમાતા કરી દેવું, એટલે શ્રેષ્ઠ શિક્ષણ આપી દીધું એવું કહેવાય? બાળકને જીવનનો સાચો દ્રષ્ટિકોણ આપવો, જીવનમાં આવતી તકલીફો, મુશ્કેલીઓનો સામનો કરવાનો દ્દઢ મનોબળ વિકસાવવું, તેમનામાં જૂજુગ્સાના બીજ રોપવા, માણસાયતના મૂલ્યોનું સિંચન કરવું, તે પરિભાષા પણ શિક્ષણમાં જ સમાવિષ્ટ છે. આજે ડિપ્રેશન, એકલતા ,તણાવને કારણે થતાં આત્મહત્યાના કિસ્સાઓ સમાજમાં ઘટશે ને ,ત્યારે સાચું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે એમ કહેવાશે.પણ શું આજે શિક્ષક પોતે પણ પોતાના જીવનમાં આવતા ચઢાવ-ઉતારનો સ્વસ્થતાથી સામનો કરવા, પ્રોબ્લેમ ,તકલીફો તરફ નહીં, તેનાં ઉકેલ તરફ દૃષ્ટિકોણ  કેળવવાની વૃત્તિ, સ્વભાવ કેળવી શકે છે? પરિવર્તન સંસારનો નિયમ છે.એ મુજબ  મૂલ્ય શિક્ષણની પરિભાષા પણ બહુ ઝડપથી બદલાઈ રહી છે. પ્રમાણિકતા, સત્ય,નીતિથી કામ કરવું વગેરે મૂલ્યોનું શિક્ષણ પ્રત્યક્ષ ,અપ્રત્યક્ષ રીતે આપવું. પણ તેની સાથે સાથે આજે અસત્ય, જુઠાણા, અપ્રમાણિકતાનો સામનો કંઈ રીતે કરવો, પોતે સાચાં હોય ત્યારે હજાર જણનાં વિરોધ વચ્ચે પણ પોતાનું સ્ટેન્ડ લઈ clearly પોતાનો મત કઈ રીતે રજૂ કરવો, ચૂપચાપ ખોટું સહન કરી લઈ રિબાયા રહેવાની જગ્યાએ સાચું મોઢે મોઢ દંભ વગર કહી દઈ, સ્વાર્થ ખાતર ચાપલૂસી પગચંપી ની પ્રક્રિયાથી દૂર કઈ રીતે રહેવું તે પણ આજના જમાનામાં મૂલ્ય શિક્ષણ માં સમાવિષ્ટ છે. મૂલ્યો આપણાં જીવનને ઘડે છે. અને "ઘડતર" સાચાં જીવનનું "ચણતર" કરે છે. ચણતરની મજબૂતી મુલ્યોનો વાસ્તવિક જમાનામાં કેટલો અનુબંધ છે ,જમાના પ્રમાણે કેટલા અપડેટ થયા છે તેના પર છે.


મિત્તલ પટેલ
"પરિભાષા"
સાંપા પ્રાથમિક શાળા 
દહેગામ, ગાંધીનગર

Wednesday, 29 June 2022


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......🖊️📖


તું સુન તેરે મન કી...✍️💫




          કેટલીક વાર જીવનમાં સામા પ્રવાહે તરવાનું આવે ત્યારે મન સહેજ  દ્વિધામાં હોય એ સહજ છે. મન ત્યારે જ મક્કમ મનોબળથી પોતાનાં સ્થાન પર અટલ રહી શકે જ્યારે તેની જાતને ખબર હોય કે તેનો તે કાર્ય કરવાનો હેતું ઉમદા છે. અને ઉમદા હેતુ હેઠળ થતું કાર્ય સીધુ, સરળ ભાગ્યે જ હોય છે. અંતરાત્માના અવાજને અનુસરવું અને સતત અનુસરવું જીવનમાં દરેક પરિસ્થિતિમાં તે દરેક માટે શક્ય નથી‌ હોતું અને એ અવાજને સાંભળી શકવા સક્ષમ અંતઃ કર્ણ કેળવી શકે તો ય ઘણું!! પર્વત જેવી તકલીફો સાવ ક્ષુલ્લભ  લાગવા માંડે અને મન આપણને પર્વતો વચ્ચેથી રસ્તો કાઢી દરિયા સુધી, પોતાનાં ધ્યેય સુધી પહોંચાડી દે તેવી ક્ષમતા માત્ર આપણા અંતરમન પાસે જ છે. તે માટે પોતાની જાત સાથે એકદમ પ્રમાણિક રહીને જીવવું પડે. તમે પોતાનાં નાના નાના સ્વાર્થ માટે પોતાની જાતને સતત છેતરતા રહેતા હશો તો શ્રેષ્ઠ પામવું ક્યારેય શક્ય નહીં બને. કારણ કે તમારી જાત તમને ડંખશે. ગિલ્ટ ફીલ કરાવશે. હળવાશ નહિ અનુભવવા દે. પોતાનાં નિમિત્તિક કર્મ જો સાચાં મનથી તમે કરતાં હશો તો તમારે મંદિરમાં જવાની પણ જરૂર નહીં પડે. કારણ કે મંદિરમાં જે સહજ શાંતિ અને ઈશ્વર સાથે કનેક્ટ થવાની ફીલિંગ છે તે તમને તે કર્મમાંથી જ મળી રહેશે.


વાંછટ આવે ત્યારે....
       વરસાદની રોકવા ન જવાય....

વાંછટિયુ પોતાનાં મન પર નાંખી દેતા.....
        તોફાનો કંઈ કેટલાય સમી જાય છે!!




        " તત્" સુધી પહોંચવાનો રસ્તો કર્મ છે. કર્માધીન પ્રવૃત્ત થતું મન અને આત્મા એ "વિચાર પ્રેરિત" હોય છે. વિચારબીજ રોપવાનું કાર્ય અંતરમન કરે છે . અને બીજું બાહ્ય માધ્યમો કરે છે જેટલાં બાહ્ય દ્વેષભાવ, કપટ, સ્વાર્થ, બનાવટ, કૃત્રિમતાઓનાં ઘોંઘાટથી દૂર રહીશું, તેટલું મનને નિર્મળ રાખીને આપણાં અંતરમને આપણાં માટે જે શ્રેષ્ઠ છે, તે કરવાં માટે ક્રિયાશીલ બનવા દઈ શકીશું. તે આપોઆપ પ્રવૃત્ત થશે. આપણને શ્રેષ્ઠ તકો, શ્રેષ્ઠ સ્થાન અને જીવનમાં જે શ્રેષ્ઠ છે બધું જ આપશે.


મુંઝારો છોડીને તું કર કર્મ...
     જેનાં માટે તું નીમાયો છે...


વખત જતાં સમજાશે કે 'તું માત્ર નિમિત્ત છે'...
       તે ઈશ્વર જ એક તારો "તારો" છે...!!

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

Saturday, 18 June 2022

GCERT, SSA Gujarat  અને પાઠ્ય પુસ્તક મંડળ,ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તૈયાર  થયેલ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટેની સ્વ અધ્યયનપોથી વિદ્યાપ્રવેશ-બ્રીજકોર્સ (2022) વિજ્ઞાન વિષયમાં એક લેખક તરીકે કાર્ય કરી ગૌરવની લાગણી અનુભવું છું. બે વર્ષનાં લર્નિંગ લોસને ફુલફીલ કરી નવું શૈક્ષણિક વર્ષ ગુણવત્તાસભર બની રહે તે માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરેલ છે. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ઉપયોગી થશે એવી આશા રાખું છુ.