Tuesday, 30 June 2026

એક યાદગાર અને ગૌરવપૂર્ણ ક્ષણ... 🌸📚


          ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના માનનીય શિક્ષણમંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ (માન. મંત્રીશ્રી કાર્યાલય)ને મારાં નવાં પુસ્તકો 'શિક્ષણની અટારીએથી' અને 'સફળતાથી સાર્થકતા તરફ' અર્પણ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગ મારા માટે ગૌરવ, આનંદ અને પ્રેરણાની અમૂલ્ય ક્ષણ બની રહ્યો.

         માનનીય મંત્રીશ્રી સાહેબે પુસ્તકને આપેલા સ્નેહભર્યા આવકાર, શુભાશિષ અને પ્રોત્સાહક શુભકામનાઓ બદલ હું હૃદયપૂર્વક તેમની આભારી છું. મારી લેખનયાત્રાને આપેલા આ સન્માન અને પુસ્તકના શબ્દોને આપેલા આદરથી મારી સર્જનયાત્રાને નવી ઊર્જા અને પ્રેરણા મળી છે.પુસ્તકના શબ્દોને મળેલો આદર અને મારી લેખનયાત્રાને મળેલું આ સન્માન નવી જવાબદારી સાથે આગળ વધવાની શક્તિ આપે છે.
         હૃદયપૂર્વક માનનીય મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. તેમની શુભેચ્છાઓ અને આશીર્વાદ મારી સર્જનયાત્રાને સતત પ્રેરણા આપતા રહે તેવી પ્રાર્થના.

મારાં પુસ્તકનાં શબ્દોને જાણે સુગંધ મળી...!!
શ્રેષ્ઠત્વની જાણે તેને કલગી મળી...!!
તોરણ જાણે બંધાયું પુસ્તકના બારણે...!!
મળેલા આવકાર અને ઉમળકાથી,
જાણે પુસ્તકને વાચા મળી...!!

– મિત્તલ પટેલ 'પરિભાષા'

મારા પુસ્તકો

વિજ્ઞાનના નાટકો--90/-
વિજ્ઞાનની વાર્તાઓ---65/-
વૈજ્ઞાનિક કવિતાઓ--75/-
23 પ્રેરણાત્મક બાળનાટકો--80/-
મેઘધનુષ--60/-
થનગનાટ--60/-
શિક્ષક -એક ધરોહર --270/-
પ્રેરણા- એક ઉદ્દીપક --350/-
જીવનને હું જોઉં છું--80/-
શિક્ષણની અટારીએથી--115/-
સફળતાથી સાર્થકતા તરફ--175/-

Wednesday, 24 June 2026

"નવું સર્જન" ત્યારે જ શક્ય છે જ્યારે "મૌલિકતા" અને "સેલ્ફ કોન્ફિડન્સ"નાં ગુણો બાળકમાં વિકસે...... આજે 'વિજ્ઞાન ભણવું' એટલે માત્ર માર્ક્સ કે ટકા લાવી દેવા તેટલાં થી નહીં ચાલે... નવું સર્જન કરવાની, દુનિયામાં આવી રહેલ નવાં નવાં પડકારોને માત આપીને પ્રગતિ કરવાની, દેશની સમસ્યાઓને પોતાનાં આગવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને એંગલથી તેનો ઉકેલ શોધવાની ક્ષમતા કેળવવી પડશે...

             " Performing arts" ની જેમ "performing science" હોય છે. જ્યારે બાળક વિજ્ઞાનને સાંભળીને કે જોઈએ નહીં, પરફોર્મ કરીને ભણે છે, ત્યારે તેનાં જીવનની દરેક ઘટનાને વૈજ્ઞાનિક અભિગમથી જોવાનો અને મુલવવાનો એક એટીટ્યુડ અને એંગલ તેમનામાં સહજપણે ડેવલપ થાય છે.

         વિજ્ઞાન જ્યારે અભિવ્યક્તિ બની જાય છે. બાળક નાટક સ્વરૂપે ભજવીને કે વાર્તા સ્વરૂપે રજૂ કરીને વિજ્ઞાન ભણે છે, ત્યારે વાસ્તવિક જીવનનાં અનુભવો સાથે વિજ્ઞાનને કનેક્ટ કરી શકે છે અનુસંધાન સાધી શકે છે. વિજ્ઞાન ચોપડીમાંથી નીકળીને વિદ્યાર્થીના સમગ્ર જીવનમાં, તેનાં વ્યવહારમાં, અભિગમમાં આવી જાય છે ત્યારે તે વિજ્ઞાનને સાચા અર્થમાં આત્મસાત કરી શકે છે.

Mital patel 
Sampa primary school,dehgam,gandhinagar