Wednesday, 24 June 2026

"નવું સર્જન" ત્યારે જ શક્ય છે જ્યારે "મૌલિકતા" અને "સેલ્ફ કોન્ફિડન્સ"નાં ગુણો બાળકમાં વિકસે...... આજે 'વિજ્ઞાન ભણવું' એટલે માત્ર માર્ક્સ કે ટકા લાવી દેવા તેટલાં થી નહીં ચાલે... નવું સર્જન કરવાની, દુનિયામાં આવી રહેલ નવાં નવાં પડકારોને માત આપીને પ્રગતિ કરવાની, દેશની સમસ્યાઓને પોતાનાં આગવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને એંગલથી તેનો ઉકેલ શોધવાની ક્ષમતા કેળવવી પડશે...

             " Performing arts" ની જેમ "performing science" હોય છે. જ્યારે બાળક વિજ્ઞાનને સાંભળીને કે જોઈએ નહીં, પરફોર્મ કરીને ભણે છે, ત્યારે તેનાં જીવનની દરેક ઘટનાને વૈજ્ઞાનિક અભિગમથી જોવાનો અને મુલવવાનો એક એટીટ્યુડ અને એંગલ તેમનામાં સહજપણે ડેવલપ થાય છે.

         વિજ્ઞાન જ્યારે અભિવ્યક્તિ બની જાય છે. બાળક નાટક સ્વરૂપે ભજવીને કે વાર્તા સ્વરૂપે રજૂ કરીને વિજ્ઞાન ભણે છે, ત્યારે વાસ્તવિક જીવનનાં અનુભવો સાથે વિજ્ઞાનને કનેક્ટ કરી શકે છે અનુસંધાન સાધી શકે છે. વિજ્ઞાન ચોપડીમાંથી નીકળીને વિદ્યાર્થીના સમગ્ર જીવનમાં, તેનાં વ્યવહારમાં, અભિગમમાં આવી જાય છે ત્યારે તે વિજ્ઞાનને સાચા અર્થમાં આત્મસાત કરી શકે છે.

Mital patel 
Sampa primary school,dehgam,gandhinagar