એક યાદગાર અને ગૌરવપૂર્ણ ક્ષણ... 🌸📚
ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના માનનીય શિક્ષણમંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ (માન. મંત્રીશ્રી કાર્યાલય)ને મારાં નવાં પુસ્તકો 'શિક્ષણની અટારીએથી' અને 'સફળતાથી સાર્થકતા તરફ' અર્પણ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગ મારા માટે ગૌરવ, આનંદ અને પ્રેરણાની અમૂલ્ય ક્ષણ બની રહ્યો.
માનનીય મંત્રીશ્રી સાહેબે પુસ્તકને આપેલા સ્નેહભર્યા આવકાર, શુભાશિષ અને પ્રોત્સાહક શુભકામનાઓ બદલ હું હૃદયપૂર્વક તેમની આભારી છું. મારી લેખનયાત્રાને આપેલા આ સન્માન અને પુસ્તકના શબ્દોને આપેલા આદરથી મારી સર્જનયાત્રાને નવી ઊર્જા અને પ્રેરણા મળી છે.પુસ્તકના શબ્દોને મળેલો આદર અને મારી લેખનયાત્રાને મળેલું આ સન્માન નવી જવાબદારી સાથે આગળ વધવાની શક્તિ આપે છે.
હૃદયપૂર્વક માનનીય મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. તેમની શુભેચ્છાઓ અને આશીર્વાદ મારી સર્જનયાત્રાને સતત પ્રેરણા આપતા રહે તેવી પ્રાર્થના.
મારાં પુસ્તકનાં શબ્દોને જાણે સુગંધ મળી...!!
શ્રેષ્ઠત્વની જાણે તેને કલગી મળી...!!
તોરણ જાણે બંધાયું પુસ્તકના બારણે...!!
મળેલા આવકાર અને ઉમળકાથી,
જાણે પુસ્તકને વાચા મળી...!!
– મિત્તલ પટેલ 'પરિભાષા'
No comments:
Post a Comment