MOST BEAUTIFUL 😍 ❤️ ARUNACHALPRADESH
અરુણાચલનો અર્થ થાય છે- "ઉગતા સૂર્યની ભૂમિ" અથવા "અરુણનો અંચલ". અહીંની મુખ્ય ભાષા હિન્દી અને અસમિયા છે. પહેલા આ રાજ્યને પૂર્વોત્તર સીમાંત એજ્ન્સી (નોર્થ ઈસ્ટ ફ્રંટિયર એજન્સી) એટલે કે નેફાના નામથી ઓળખાતું હતું. રાજ્યના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વમાં ભૂટાન, તિબ્બત, ચીન અને મ્યાંમાર દેશોની આંતરરાષ્ટ્રીય સરહદો આવેલી છે. અરુણાચલ પ્રદેશની સરહદ નાગાલેન્ડ અને આસામને પણ મળે છે. આ રાજ્યમાં પહાડી અને અર્દ્ધ પહાડી વિસ્તાર છે. ભૌગોલિક દ્રષ્ટિથી પૂર્વોત્તર રાજ્યોમાં આ સૌથી મોટુ રાજ્ય છે.
ચીન લાંબા સમયથી અરુણાચલના મોટા ભાગ પર દાવો કરતું આવ્યું છે. 1962માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન અરુણાચલ પ્રદેશના અડધાથી વધારે ભાગ પર ચીની પીપલ્સ લિબરેશન આર્મીએ અસ્થાયી રીતે કબ્જો કરી લીધો હતો. બાદમાં ચીને એક તરફી યુદ્ધ વિરામ ઘોષિત કરી દીધું અને તેની સેના મૈકમહોન રેખાથી પાછી પાની કરી દીધી હતી. પણ ત્યાર બાદ પણ ચીની સેના સતત અરુણાચલની સરહદમાં ઘુસણખોરી કરવાની કોશિશ કરતું રહે છે.અરુણાચલ પ્રદેશમાં 25 જિલ્લામાં છે, ઈટાનગર રાજધાની છે.
પૂર્વમાં મ્યાનમારની સરહદે, લોહિત નદીના પ્રદેશમાં આવેલી દોંગની ખીણમાં ભારતવર્ષનું સૂર્યનું પ્રથમ કિરણ પડે છે. સવારે ૪-૩૦ વાગે... અને એટલે આ રાજ્યનું નામ પડયું છે, 'અરુણાચલ’
ઉત્તર-પૂર્વના 'સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખાતાં સાત રાજ્યોમાંનું સૌથી મોટું રાજ્ય તે અરુણાચલ પ્રદેશ અને આ સાતેય રાજ્યોમાં મુગટની જેમ ગોઠવાયેલ અંગ્રેજી 'સી’ આકારનું આ રાજ્ય, ઊગતા સૂર્યના પ્રદેશ તરીકે ઓળખાય છે,.ભૂપેન હઝારિકાના સંગીતે મઢાયેલ અને કલ્પના લાઝમી દ્વારા દિગ્દર્શિત ધારાવાહિક 'લોહિત કિનારે’ આજ પ્રદેશની કથાઓ પર આધારિત છે. પૂર્વ અરુણાચલના લોહિત જિલ્લામાં પરશુરામકુંડ આવેલ છે. જ્યાં પરશુરામે તેમનાં પાપ ધોયાં હતાં. આજે પણ ત્યાં મકરસંક્રાંતિએ મેળો ભરાય છે અને અનેક યાત્રાળુઓ ત્યાં સ્નાન કરવા જાય છે.
No comments:
Post a Comment