Saturday, 9 September 2023

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......❣️🪄✍️

Friday, 8 September 2023

પાટનગર ગાંધીનગરનાં ન્યુઝપેપર "ગાંધીનગર સમાચાર"માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ" નો 6/09/23 બુધવારનો લેખ.....

Saturday, 2 September 2023

પાટનગર ગાંધીનગરનાં ન્યુઝપેપર "ગાંધીનગર સમાચાર"માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ" નો 30/09/23 બુધવારનો લેખ.....
💫☕🍁🪷🌺🪻

જે વ્યક્તિ નાની નાની ક્ષણોને ન માણી શકે, તેને મોટાં આનંદની ક્ષણો પણ પ્રસન્ન કરી શકતી નથી.....🖊️🤏🫸🫷🧏

ઊંચે જોઉં તો આભ આખું મારું લાગે,
            ક્ષણોની સાર્થકતા માટે વ્યોમ ...
આનંદનુ વ્યંજન લાગે.

સમગ્રતા થી જીવતો થયો ત્યારથી ,
           તડકામાં છાયડાનો સમન્વય લાગે....

મગ્ન થઈ જ્યારે જ્યારે જીવું ,
           સમગ્ર જીવન આનંદોત્સવ લાગે.....

             આપણે ક્ષણમાં, કામમાં,પ્રકૃતિમાં ઓળઘોળ નથી થઈ શકતાં. એટલે બધું જ ક્ષણિક બની જાય છે. પછી રૂટિન, પછી આકરું, પછી અસહ્ય લાગવા માંડે છે. જે ક્ષણને નથી જીવી શકતો, તે ક્ષણોનું પોટલું એવાં જીવનને કંઈ રીતે સાચું જીવી શકે!!! ‌ નાનાં બાળકને દિવસમાં એક વાર નિરખી લેવાનું સદભાગ્ય મળે, એટલે જાણે મંદિર જઈ આવ્યાં જેટલી શાંતા હૃદયને મળે છે!! જ્યાં આપણે પોતિકી "ઓળખ" અને "ઓળખપત્ર" વગર જઈ શકતા હોય, એવી પ્રકૃતિ, બાળક પ્રિયજન, પુસ્તક અને ઈશ્વર એ આપણી ઉર્જાના, ઉત્સાહના જિજીવિષાના ઉદગમસ્થાન છે. જેની સાથે ગાળેલી થોડીક ક્ષણો બ્રહ્માંડના આણું અણુથી આપણને કનેક્ટ કરાવે છે. સાચાં અર્થમાં જીવી લેવા તત્પર બનાવે છે.

              આભને "આભા" બનાવી, પ્રકૃતિને સંદર્ભ બનાવી, વહાલને પગરવ બનાવી, દુનિયામાં તરવરતા હશો તો "નિજાનંદ" નામની પુંજીને પામી શકશો.

            "સમતા ધારણ કરવી" એટલે દરેક બાળક પોતિકુ લાગે, દરેક ક્ષણ વ્હાલી લાગે, અન્ય સજીવો અને પોતાનામાં એકરૂપ એવાં "ઈશ્વરત્વ" ને જોઈ શકો. આખું બ્રહ્માંડ કુટુંબ લાગે અને છતાંય " સ્વ" નો "જાત" સાથેનો સંવાદસભર નિર્મળ સંબંધ તો ખરો જ. "હું મારામાં તો છું" સાથે સાથે "મારામાં " એવું પણ કંઈક છે, જે બધામાં છે. સર્વ વ્યાપી છે‌ અને તે જ સાચું છે. એવો ભાવ બધાં જ સજીવો પ્રત્યે અનુકંપા ,આવિર્ભાવ જન્માવે છે. પછી બધું જ સમ લાગવા માંડે છે . કોઈ ઊંચું, નીચું ,મોટું , નાનું, સારું, ખરાબ કઈ જ નથી રહેતું. "સૌ"થી "સ્વ"તરફ અને "સ્વ" થી "સૌ" તરફ ગતિમય થઈ જીવન ચાલતું હોય, ત્યારે ખોટી માયાજાળ, ખોટો અહમ, ખોટી દુશ્મનીને દૂર ફગાવી તમે સામે અરીસો રાખી, નિર્લેપ બની જીવી શકો. જીવનનો સાચો મર્મ ,સાચો હેતુ અને સૌથી ઉત્તમ એવાં "પુરુષોત્તમ"ની આભા મેળવી શકો છો.

‌ 

               જીવનને અંતે પોતાની જાતને હારેલું, થાકેલું, જીવન વ્યર્થ જતુ રહ્યું એવી લાગણી સાથે ન જીવવું હોય તો , જીવનની દરેક ક્ષણને જીવતાં શીખો, તમારા શ્રદ્ધાના વિષયને પકડી રાખો. શ્રદ્ધાના કેન્દ્રો ના હોય. શ્રદ્ધાનું એકમાત્ર કેન્દ્ર હોય.

               પ્રકૃતિને ક્યારેક નિરખવાનો, માણવાનો સમય કાઢતાં રહો. જોવું અને નીરખવામાં ફરક છે. વરસાદમાં નહાવાનો મોકો જરાય છોડવા જેવો નથી!! પોતાની જાત સાથે સંવાદ કરવાનો નિયમિત રાખો. પોતાનાં જીવનનું ક્ષેત્રફળ ને ચોક્કસ નકશો આપણી પાસે હોવો જોઈએ. તેની આછી પાતળી રૂપરેખા ચોક્કસ હોવી જોઈએ. અને તે માટે "ડાયરી લખવી" એ ઉત્તમ પ્રક્રિયા છે. જે તમને પોતાની જાતને સમજવામાં વધારે મદદ કરે છે. તમારે જીવન પાસેથી શું જોઈએ છે? તમે પોતાની જાતને જીવતે જીવ કેટલી ઊંચાઈ સુધી લઈ જવા માંગો છો? પોતાનામાં રોજ હકારાત્મક ઉમેરો કરતાં રહી જીવનની સાર્થક બનાવવા માંગો છો? એ બધું જ તમને ડાયરી લેખનથી મદદ મળશે. "બેલેન્સ્ડ લાઈફ"ની પરિભાષા સમજવા જેવી છે.તેમાં કારકિર્દી, શોખ, હેલ્થ, પરિવારની જવાબદારી બધું જ બેલેન્સ કરીને સંચરવું ખૂબ જ જરૂરી છે. કોઈપણ એક બાજુનું પલ્લુ નમે એટલે તમારું "ઇ- ક્યુ લેવલ" ઈમબેલેન્સ થાય છે. દરેક વ્યક્તિને આત્મીયતાથી મળો તેને આર્થિક સામાજિક કે અન્ય કોઈ વાડામાં બાંધ્યા વગર...

દો પલ કે જીવન સે.....
         એક ઉમ્ર ચુરાની હૈ...
જિંદગી ઔર કુછ ભી નહી.....
         ‌ તેરી મેરી કહાની હે......

મિત્તલ પટેલ 
" પરિભાષા"
9428903743

ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં ઓગસ્ટ-2023 નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀🎊✍️

Tuesday, 29 August 2023

My Research paper on NEP-2020 is selected at zone level ..Now i will represent my research paper at state level......📜..✍️😊