Monday, 8 August 2022

તાલુકા કક્ષાના  કલા મહોત્સવમાં નિર્ણાયક તરીકે......📑✍️😊💫🌷

મેઘધનુષી ક્ષમતાઓથી તરબતર... બાળદેવોને પોખવાનો મોકો મળ્યો એનો આનંદ......🌸

Tuesday, 2 August 2022

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ... "શિક્ષકજયોત " મેગેઝિનનાં ઓગષ્ટ -2022 અંકમાં મારો લેખ .....✍️💫

બાળેશ્વરોનું મંદિર એવી શાળાનું ભાવાવરણ...🌴🌷

             "વાતાવરણ" અને "ભાવાવરણ"માં ફરક એટલો જ છે કે એક આવરણ બાહ્ય છે. અને બીજું આંતરિક ભાવોથી એક ઓરા રચતુ અને તે ભૂમિ પર પગ મુકતાં દરેકને સ્પર્શતું, સ્પંદિત થતું, અને આનંદીત, પ્રફુલ્લિત કરી દેતું એક જીવંતાવરણ. શાળા માત્ર સરસ મજાનાં રંગોથી રંગાયેલી દીવાલો, ભૌતિક સુવિધાઓથી નથી બનતી. તે તો મકાન છે. બાળેશ્વરોને આવવું ગમે, ભણવું ગમે, વિહરવું ગમે, તેવાં મંદિરીયા જેવી શાળા ત્યારે જ બને જ્યારે શિક્ષકોને બાળકો માટે લાગણી ,ભાવ , હૂંફ, પોતાનાપણું, આત્મીયતાથી છલોછલ વ્હાલનું ઝરણું ક્યાંક સતત વહેતું હોય. બાળકેન્દ્રી અભિગમથી જ્યાં શિક્ષણ કાર્ય થતું હોય ને ત્યાંનું ભાવાવરણ કોઈને પણ અભિભૂત કરી જાય તેવું હોય છે,સ્પર્શી જાય તેવું હોય છે. અને તે શાળામાં બાળકો પણ હોંશે હોંશે ભણવા આવશે. તેમને બોલાવવા નહી જવું પડે કે કરગરવું નહીં પડે, શોધવાં નહી જવા પડે.

કોક હૈયામાં ભારોભાર છલકાતું હેત હશે...
        તે શિક્ષક થકી જ શાળાની ભોમ પર રોનક હશે...

બાળ હૈયા સુધીની લિફ્ટ બની હશે
        તે લાગણીની છોળો......!!

તેથી જ તે શાળામાં સતત ઉજવાતો
      શિક્ષણ નો ઉત્સવ હશે.....!!

                કોરાટે મૂકેલ લાગણી અને સ્મિત વિહોણો ચહેરો લઈને શાળાએ પહોંચતાં શિક્ષકો બાળકોની સહજ નિર્દોષ ઉર્જા પણ નીચોવી લે છે. પ્રાર્થનામાં બેઠેલ બાળકોના મોઢા સ્ટ્રેસવાળા ઉતરેલા અને ઉર્જાવિહિન ભાસે તો સમજવું કે તે શિક્ષકનાં મનોભાવનું પ્રતિબિંબ છે. એક સુંદર અને સહજ સ્મિત સાથે શાળામાં અને વર્ગમાં પ્રવેશતો શિક્ષક ઉત્સાહ અને ઊર્જાનો ધોધ બાળકોમાં ટ્રાન્સફર કરે છે. અને તે ચોક્કસથી પડઘાય છે બાળકની હોશમાં, ઉત્સાહમાં, પ્રસન્નતામાં.

              બાળક એ ઈશ્વરની એવી કૃતિ છે કે સાચાં શિક્ષકમાં બાળકની નિર્દોષતા, સહજતા, પ્રસન્નતા, ઉત્સાહનું પ્રત્યારોપણ થાય છે. શરત માત્ર એટલી જ કે શિક્ષકને બાળકના ભવિષ્ય માટે ચિંતા હોવી જોઈએ. તેને ભણાવવાની, બાળકોના જીવન બનાવવાની નિયત હોવી જોઈએ. માત્ર વધુ નહીં તો શાળા સમયમાં બાળ હિતમાં કાર્ય કરવાની, તેમને ભણાવવાની હોશ હોવી જોઈએ.

             એક "શાશ્વત વસ્તુ" જે જીવન પર્યંત ,કદાચ જીવન પછી પણ જીવ સાથે બંધાતા ઋણાનુબંધ સ્વરૂપે મેળવવાં ઈશ્વર શિક્ષક તરીકે જન્મ આપે છે. જે પૈસાથી નથી ખરીદી શકાતી, નથી પ્રયત્નો કરીને મેળવી શકાતી. માત્ર બાળકોની સાથે જીવીને તેને પામી શકાય છે. પણ તે માટે આપણે એવોર્ડો, દંભ, દેખાડો "હું " પણું થી પર જઈ, બાળહિતમાં વિચારી શકવા પોતાની જાતને કેળવવી પડે. એવોર્ડ મેળવવાનો હેતું માત્ર શિક્ષકના કાર્યને પ્રોત્સાહન આપવાનો હોવો જોઈએ.ને શિક્ષકે પણ તે જ દ્રષ્ટિકોણથી જોવું જોઈએ. નહીં કે"હું"બહુ મોટો માણસ છું, બહુ હોશિયાર માણસ છું,"મે" બાળકો માટે આટલું બધું કાર્ય કર્યું, એ અહમ્ આવી જાય એટલાં હદ સુધી આસક્તિ રાખી એવોર્ડાધિન શિક્ષણ કાર્ય કરવું. એ તો અહમ્ ને પોષવાનો શિરસ્તો છે. કામ કર્યું છે તો બૂમો પાડીને કહેવાની જરૂર નથી. એ તો દેખાય જ જશે. અને તે શિક્ષક ની ફરજ પણ છે."માત્ર બાળકોને કેન્દ્રમાં રાખીને જ અને બાળકો પ્રત્યર્થે જ કાર્ય કરવું"એ શિક્ષણ સાથે જોડાયેલ દરેક વ્યક્તિ ની નૈતિક જવાબદારી છે.

                 શિક્ષક તો પ્રોત્સાહનનો મુખ્ય સ્ત્રોત છે. બાળકમાં ઉમંગની છોળોનું વાવેતર કરતો ખેડૂત છે. સવારે પ્રાર્થના સભાથી જ "તમને આટલું પણ નથી આવડતું".."બધા બગડી ગયાં છો".."ડફોળ છે તું".."આવડતું તો છે નહીં કશું" જેવાં કે આનાથી પણ વધુ બાળ હૃદયને ઠેસ પહોંચાડતાં વાક્યો જાહેરમાં બોલવામાં આવે ત્યારે બાળ હૈયું હતાશાની અનુભૂતિ કરે છે. તેમનો ભણવાનો ઉત્સાહ સવારથી જ ઓસરી જાય છે. પ્રાર્થના સભા તો બાળકોને ભણવા માટે માનસિક રીતે તૈયાર કરવાનો, બાળકમાં 'આઈ કેન ડુ' વાળો અભિગમ વિકસે, તે માટે ઉમંગના, હકારાત્મકતાના દોરાથી બાળમનડાનું પોત‌ ગુથવાનો અવસર છે. પ્રાર્થના સભામાં નકારાત્મક વાક્યોનો મારો ચલાવતાં શિક્ષકો જાણે અજાણે બાળકોને ભણવાથી વિમુખ કરી દે છે. ભણવું એક જડ અને ફરજિયાત કરવાની પ્રક્રિયા છે. એવું ઠસાવી દે છે. શું આવાં ભાવાવરણમાં બાળક ખીલી શકે ખરો? ખુલી શકે ખરો? વિકસી શકે ખરો? તમારા અંતરમનને પૂછી જોજો.. આવી નકારાત્મકતાની ખેતી કરવી, શાળા અને બાળકો માટે કેટલાં અંશે વ્યાજબી છે? નાનું અમથું પણ સારું કાર્ય કરનાર બાળકને જો જાહેરમાં શાબાશીના બે શબ્દોથી નવાજવામાં આવે ને તો માત્ર તે જ નહીં, અન્ય બધાં બાળકો વધુને વધુ સારું કાર્ય કરવા પ્રેરાશે. બાળકને આપણે હકારાત્મક શિક્ષણ તરફ વાળવો છે કે તેનાથી વિમુખ તે શિક્ષકે નક્કી કરવાનું છે. અને તે દિશામાં સતત પ્રોત્સાહન આપી તેઓને આગળ લઈ જવાના છે.

              શિક્ષકનાં શબ્દો અને વર્તન બાળકોમાં આજીવન પડઘાય છે. માટે શબ્દો અને વર્તનમાં હકારાત્મકતા, હૂફની ભીનાશ અને બાળ હિતમાં કાર્ય કરવાની તલાવેલી સ્પંદાવી જોઈએ. શિક્ષક જીવંતતાથી છલોછલ અત્તર જેવો હોવો જોઈએ. જે બાળકોના સંપર્કમાં આવતાં બાળકો વધુને વધુ જીવંત બની જાય અને આવાં લાઈવ ભાવાવરણમાં જ બાળકોનો સર્વાંગી વિકાસ શક્ય બને છે.

શિક્ષક ક્યારેય પ્રસિદ્ધિનો પૂજારી ન હોવો જોઈએ.

           તે તો બાળહૈયાનો પુજારી છે. તેનો ભગવાન છે. તેનાથી ઊંચું પદ કયું હોઈ શકે..!!

મિત્તલ પટેલ
સાંપા પ્રાથમિક શાળા
 દહેગામ, ગાંધીનગર
 ૯૪૨૮૯૦૩૭૪૩
ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં જુલાઈ-૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀




ભણેલા અભણ ...એટલે!!



          વાંછટ ઘરમાં આવતી હોય તો વાંછટિયુ લગાવાય, વરસાદ બંધ કરવાં જવાનાં વિચારો કરવા ન મંડી પડાય. એ જ રીતે સમસ્યા હોય તો તે સમસ્યાના ઉકેલની દિશામાં વિચારોનું હોકાયંત્ર સેટ કરવું જોઈએ. માત્ર સમસ્યાનાં રોદણાં રડ્યા કરવાથી, તેને બહાનાઓના સ્વરૂપે એક ઢાલ બનાવીને કન્ફર્ટ ઝોનમાં બેસીને જીવ્યા કરવાથી વિચારો, મગજ, જીવનદ્રષ્ટિ ઘરડી થઈ જાય છે. અને ઉત્તરોત્તર મૃત્યુ પામેલ વિચાર શક્તિ સાથે જીવતાં એજ્યુકેટેડ સર્કિટો સિવાય કંઈ જ બચતું નથી.

               તમારામાં તર્ક બુદ્ધિનો વિકાસ ન થયો હોય, કોઈપણ ઘટના કે બનાવને એઝ ઈટ ઇસ જૂની ઘરેડમાં સ્વીકારી લેવાને બદલે તર્ક શક્તિથી એકવાર ચકાસી પછી અપનાવવાની ટેવ ન પડી હોય ,તમારામાં જિજ્ઞાસાવૃત્તિની રતિભર હાજરી ન હોય, મેઘ ધનુષ કે આગિયો જોઈને મન અને આંખોમાં કુતુહલતાની રંગોળી ન રચાતી હોય, "વિસ્મય" નાં ભાવનો લોપ થઈ ગયો હોય, તો સૂકું સૂકું ભણેલું, પૈસા કમાવા માત્ર ભણેલું, માત્ર નામ કમાવવા ભણેલું, કોઈ કામનું નથી. તે માત્ર જીવાડે છે. સાચાં અર્થમાં જીવતાં જીહવળતા, જીવનનો અર્થ મર્મ પામવાં મન મગજને તૈયાર કરતાં નથી શીખવતાં. આનંદ પૈસાથી મળે, પ્રસન્નતા પામવા શું કરી શકાય? તે શીખવે તે સાચું શિક્ષણ. ચોપડીનું ગોખીને માર્ક્સ લવાય, નવું વિચારવાની વૃત્તિ, મનમાં પ્રશ્નો ઉદ્ભવે અને તેનાં જવાબ શોધવા મથામણ કરવાની વૃત્તિ, સારું કમાતાં કમાતાં જીવન સાથે ઓળઘોળ થઈને જીવાય કઈ રીતે? તે "આર્ટ ઓફ લિવિંગ" શીખવાની વૃત્તિ કેળવાય એ જ સાચું શિક્ષણ છે. માણસ માત્ર ગોખણીઓ રોબોટ કે જ્ઞાનનો કૂવો, જેનામાં માનવતા,તત્પરતા, જિજ્ઞાસાના છાંટારુપી ભેજ પણ ન હોય, મૂલ્યોની ગેરહાજરી સાથે ડિગ્રીઓની ભરમાર હોય, તો ચોક્કસ તેની અધોગતિ થવાની....


શિક્ષણ તો દિપકની જ્યોતની માફક ઉર્ધ્વગામી હોવું જોઈએ...


મિત્તલ પટેલ
સાંપા પ્રાથમિક શાળા
 દહેગામ
ગાંધીનગર
mitalpatel56@gmail.com
Mitalparibhasha.blogspot.com

Thursday, 28 July 2022

My article in Gurjar garjana news paper 📰🗞️....

LEARN TO READ "BETWEEN THE LINES"✍️💫

              માણસ કંઈ કેટલુંય કહી જાય અને છતાંય તમે તેનો "મર્મ" ન સમજી શકતાં હોવ, માત્ર "અર્થ" જ સમજો કે " તે શું કહેવા માંગે છે, પણ તે કહેવા પાછળનો તેનો મર્મ શું હશે તે સમજી ન શકતાં હોવ તો આ "બીટવીન ધ લાઈન્સ" સાંભળી લેવાની કળા તમારે ચોક્કસથી કેળવવી જોઈએ. મોટેભાગે દુનિયામાં જે શાશ્વત વસ્તુઓ છે, સાશ્વત ભાવ છે, શાશ્વત સંવેદન છે, તે બે વાક્ય વચ્ચેનાં વહેતાં આછા આછા અવશિષ્ટમાં જ હોય છે. જે તમારાં સંબંધનો સેતુ મજબૂત કરવામાં, આત્મીયતાને એક લેવલથી ઊંચે લઈ જવામાં મદદ કરે છે. શબ્દાતીત ભાવને પામી શકો તો જ અનરાધાર વરસાદની જેમ માણસના માનસમાં વહેણની જેમ ભળી શકો. ભેળસેળિયું તરતું ય નથી અને તરાવી શકતું ય નથી.

  રસ્તે રમતું સતોડીયુ ને...

           સ્પંદન બને પરબીડિયું

  તું સાંભળ મને ...

        બસ સાંભળી રેજે...
  શબ્દો તરતાં... બનશે ને ...

      ભાવ... સરવૈયું...

             મૌન એટલે હૃદયના ભાવને સમજાવવા જતાં શબ્દોની મર્યાદા પૂરી થઈ જાય પછી, શબ્દાતીત ઊર્મિનો ઉભરો સાવ પુર બની ધસી આવે અને આંખો નદી બની કહી જઈ સઘળું,ત્યારે સંવાદની ચરમસીમાં, લગોલગ જીવાયાનું પ્રમાણપત્ર, સ્નેહની પીંછીથી સાવ સહજપણે આમ જ લખાઈ જતું ભાળી શકાય છે.

          કેટલીક વાર કેટલીક વ્યક્તિ પોતાની "પીડા" પણ એક્ઝેટલી શબ્દોમાં વર્ણવી કે કહી શકવા સક્ષમ નથી થઈ શકતો.

" ડૂમા"ની કોઈ ભાષા હોય ખરી!!

         તેની તો અનુભૂતિ હોય. ઘેરાયેલાં વાદળામાં વરસી પડવાનો જાણે ડૂમો ભરાયો હોય!!! તે અકડામણ ફીલ થાય. ઝાડવા પાનખરમાં પાંદડા ખેરવે ત્યારે તેનું રુદણ પવનમાં વિલીન થઈ જતું અનુભવી શકાય. કોઈ ભૂખ્યું સ્વમાની માણસ જીવવાનાં સ્વાર્થ ખાતર ભીખ માંગે ત્યારે તેના સ્વમાન જાળવીને મદદ કંઈ રીતે કરવી, એ ત્યારે જ કરી શકાય જ્યારે તેનાં શબ્દોમાં રહેલી વિવશતા સભર સ્વમાન અને સ્વિકૃતિની અપેક્ષાના ભાવને કળી શક્યા હોઈયે. ઈશ્વરનો અંશ દરેક વ્યક્તિમાં સરખો હોય છે, તેવો "સમતા"નો ભાવ કેળવાય ત્યારે જ એ શક્ય બને છે....

મિત્તલ પટેલ
" પરિભાષા "

Friday, 22 July 2022

🍀💫GCERT...., GANDHINAGAR 🍀💫   

                     ORGANISED....

      ✨ SRG ORIENTATION WORKSHOP.....✨

 • FOR NEP -2020 AND SCIENCE EDUCATION

💫  STEM CELL LAB TRAINING BY AIF [AMERICAN INDIAN FOUNDATION]

💫  TRAINING FOR NCF DEVELOPMENT ACCORDING TO NEP 2020

💫.  GROUP WORK DONE BY DEEP UNDERSTANDING OF LEARNING OUTCOMES AND ACCORDINGLY CONTENT DEVELOPMENT...

💫 DONE TEACHERS TRAINING MODULE WRITING WORK.....

JUST ENJOYED A PROCESS OF LEARNING AND TEACHING......😊🌟💫

Saturday, 16 July 2022

જયહિન્દ સાપ્તાહિકમાં પ્રકાશિત  થયેલ  મારી  એક  રચના. 
સંપાદક યશવંતભાઈ શાહ  તથા કૌશિક શાહ (USA)  સૌજન્યથી... આનંદ અને આભાર.

મમત છોડીને થોડીક ક્ષણો
           "સમત્વ"માં... આવ...તું...

  થઈ શકે તો ઈશ્વરને સાવ...
            આમ જ ન વગોવ ...તું...

તે કર્યું છે તે જ તને મળશે
શેષ જે વધશે તે જ તારાથી છૂટશે...

ખોખલાપણામાંથી એટલે જ...
          સરભર થઈ બતાવ તું.....

અતિ થી ઇતિ સુધી..
      સમભાવ જન્માવ તું....

"તૃપ્તિ"ની પરિભાષા...
         ભૂખ્યાને પૂછજે...

 મંદિરમાં નહીં માણસમાં...
        ઈશ્વર શોધી બતાવ તું....!!

મિત્તલ પટેલ "પરિભાષા" (અમદાવાદ)