Saturday, 1 January 2022
Educational Innovation Festival 💫2021-22...✨🍁
"નવું સર્જન" ત્યારે જ શક્ય છે જ્યારે "મૌલિકતા" અને "સેલ્ફ કોન્ફિડન્સ"નાં ગુણો બાળકમાં વિકસે...... આજે 'વિજ્ઞાન ભણવું' એટલે માત્ર માર્ક્સ કે ટકા લાવી દેવા તેટલાં થી નહીં ચાલે... નવું સર્જન કરવાની, દુનિયામાં આવી રહેલ નવાં નવાં પડકારોને માત આપીને પ્રગતિ કરવાની, દેશની સમસ્યાઓને પોતાનાં આગવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને એંગલથી તેનો ઉકેલ શોધવાની ક્ષમતા કેળવવી પડશે...
" Performing arts" ની જેમ "performing science" હોય છે. જ્યારે બાળક વિજ્ઞાનને સાંભળીને કે જોઈએ નહીં, પરફોર્મ કરીને ભણે છે, ત્યારે તેનાં જીવનની દરેક ઘટનાને વૈજ્ઞાનિક અભિગમથી જોવાનો અને મુલવવાનો એક એટીટ્યુડ અને એંગલ તેમનામાં સહજપણે ડેવલપ થાય છે.
વિજ્ઞાન જ્યારે અભિવ્યક્તિ બની જાય છે. બાળક નાટક સ્વરૂપે ભજવીને કે વાર્તા સ્વરૂપે રજૂ કરીને વિજ્ઞાન ભણે છે, ત્યારે વાસ્તવિક જીવનનાં અનુભવો સાથે વિજ્ઞાનને કનેક્ટ કરી શકે છે અનુસંધાન સાધી શકે છે. વિજ્ઞાન ચોપડીમાંથી નીકળીને વિદ્યાર્થીના સમગ્ર જીવનમાં, તેનાં વ્યવહારમાં, અભિગમમાં આવી જાય છે ત્યારે તે વિજ્ઞાનને સાચા અર્થમાં આત્મસાત કરી શકે છે.
Such a great experience of innovation festival.....no words to explain the "work satisfaction"....which I feel...😀
મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ
Saturday, 25 December 2021
Thursday, 23 December 2021
આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......
મુશ્કેલી પડે જો હમપે.. ઈતના કર્મ કર....✨💫✍🏻
"મુશ્કેલીઓ" કોઈને ગમે ખરી?? આ પ્રજાતિ સૌથી અળખામણી છતાંય જીવનના સૌથી કિંમતી અને સચોટ પાઠ તે જ શીખવી જતી હોય છે.
રખોપું ન રાખું હું....
ઝાંઝવા જેનાં પોત રે....
હે કૃષ્ણ! તારાં જ સ્વાંગમાં
રાચતાં તારાં જ મરજીવિયા જોને આજ રે...
અક્ષરસહ જેને વ્યાખ્યાયિત કરવું ભલે અઘરું હોય, પણ ભાવસહ તેને અભિવ્યક્ત કરવું અનિવાર્ય બની જાય છે.જ્યાં સુધી તમારાં મનોભાવનું અને તકલીફનું આંકલન નથી કરી શકતા ત્યાં સુધી અદ્રશ્ય વિચારોના કુરુક્ષેત્રમાં જાતે ને જાતે વધુને વધુ ફસાતાં જશો.
ગીતા પરમો ધર્મ:
ગીતા સરીખો ન કોઈ ધર્મ છે ન કોઈ ધર્મ વિદ્. જ્યારે બધેથી તમે હારી જાઓ છો ત્યારે આપની આત્માને, મનને, વિચારોને જ્યાં વિસામો મળે છે તે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા. જ્યાં પહોંચ્યા પછી બધાં પ્રશ્નો શૂન્ય થઈ જાય છે. બધી પીડા નગણ્ય બની જાય છે. અને એક જળકમળવત્ સ્થિરતા આપણાં જીવને પ્રાપ્ત થાય છે. જ્યાં પહોંચ્યા પછી ડગલું, ટકવું, મેળવવું, સંચરવુ, એ બધું પોકળ બની જાય છે. એક સ્થિર વિચાર, મનની સ્થિતિ જે પ્રસન્નતાથી છલોછલ છે તે પ્રાપ્ત થાય છે.
મુશ્કેલીઓ આપણી ખામીઓથી આપણને અવગત કરે છે. આપણી ભૂલો તરફ આપણું ધ્યાન દોરે છે. અથવા અંગુલી નિર્દેશ કરી આપણી જ ભૂલો સુધારવા સમય અને સંજોગ આપે છે. આપણને માણસને ઓળખવાના દ્રષ્ટીકોણમાં પરિવર્તન લાવે છે. ફરિયાદોને નિર્મૂળ કરી શક્યતાઓને શોધવાનો ,ચકાસવાનો દ્રષ્ટિકોણ કેળવે છે. અહમના છાંટાનો છેદ ઉડાડી, અહર્નિશ નિર્મમ બનતાં શીખવે છે.
મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
Wednesday, 22 December 2021
મુંબઈથી પબ્લિસ થતાં સર્જનહાર મેગેઝીનનાં ડિસેમ્બર- 2021 અંકમાં મારો લેખ...
"જળકમળવત્ બનીને જીવવું એટલે તકલીફને તકલીફ આપવી"....☕🌊✨💫🥰
કેટલીકવાર દુનિયાની નજરમાં પારાવાર તકલીફમાં હોય તેવી વ્યક્તિને આપણે મળીએ તો તે તકલીફોની વચ્ચોવચ પણ ખૂબ જ જિંદાદિલ, નિખાલસ અને પ્રસન્નતાથી તરવરતો આપણને જોવાં મળે છે.. અને કેટલીક વાર જીવનમાં ,જેની પાસે બધું જ હોય તો પણ તે સતત ફરિયાદો કરતો, વક્રદ્રષ્ટિથી સૌને નિહાળતો, રોદણાં રડતો અને સતત વ્યથિત રહેતો જોવાં મળે છે. ક્યારેય વિચાર્યું છે આવું કેમ?? તકલીફ હોવી અને તકલીફની અનુભૂતિ કરવી બંને અલગ વસ્તુ છે. હાં, નાની-મોટી, ઓછી, વધારે તકલીફ દરેક વ્યક્તિને હોય જ. તમે સળિયા વગરની જેલ જોઈ છે?? જો સળિયા વગરની જેલ હોય તો કેદીઓ ક્યારનાય ભાગી છૂટે. મુક્ત થઈ જાય. કદાચ સ્વચ્છંદી થઈ જાય. એવું જ માણસનું છે. તકલીફરુપી સળિયા ન હોય તો જીવનમાં તે સ્વચ્છંદી થઈ જાય. માણસને માણસની, માણસને ઈશ્વરની, માણસને માણસાયતની કિંમત ન સમજાય.
સસ્તી ખુશી અને મૂલ્યવાન ખુશીમાં ફરક પંકાય છે,
તકલાદીપણુ જ્યારે માણસનાં સુખમાં વર્તાય છે...
હાસ્ય રેલાવતી રેલગાડીઓ જેવી આંખ્યું,
જ્યાં ભાળે ત્યાં પ્રસન્નતા ની સરવાની પ્રસરાય છે...
આજે ભવિષ્યનું પ્લાનિંગ કરવાવાળા અને ભૂતકાળનું માપન કરવાવાળા વ્યક્તિઓ છે. સીધુ સાદુ તકલીફ વિહોણું જીવન ભૂતકાળમાય ન હતું, હમણાય નથી અને હવે પછીનાં સમયમાં પણ નહીં હોય. પણ તકલીફને જોવાનો, તેમનો સામનો કરવાનો અને તેમાંથી રસ્તા કાઢવાનો સૌનો દ્રષ્ટિકોણ ,રીતો અને પચાવવાની તાકાત બદલાઈ છે. પહેલાં પણ જનરેશન ગેપને કારણે સંઘર્ષની પરિસ્થિતિ હતી. અને તેને સંવાદથી, સમજથી, મોટાઈથી એકબીજા સાથે સહકારની ભાવનાથી ઉકેલવામાં આવતી. "હું" જ મારી જીંદગી એંજોય કરી લઉ. કોઈ જવાબદારી ન લઉ.કશાની પણ જવાબદારીથી ન બંધાઉ. એવી માનસિકતા, એવાં એટીટ્યુડવાળા યંગ જનરેશન અને મોટી ઉંમરના લોકો પણ જોવા મળી રહ્યા છે. આ પ્રકારના સામાજિક બદલાવ સ્વાર્થના બીજને અંકુરિત થવા વાતાવરણ પૂરું પાડે છે. આજનાં જમાનામાં તમને જો ટકી રહેવું હશે, સાચાં અર્થમાં સુખી રહેતાં શીખવું હશે તો ,સ્વાર્થ પ્રેરિત માનસિક આઘાતોને ઝડપથી પચાવતા અને તેને હળવાશથી ફૂંક મારીને ફેંકી દેતા શીખવું જ પડશે. "તકલીફ તો રહેવાની" એ હકીકત છે. અને તેમાંથી "તકલીફ આપણને કેટલી પડવાની"તે આપણાં EQ લેવલ અને મજબૂત તૈયાર કરેલ લાગણીતંત્ર પર આધારિત છે.
કોઈ રોજ તહેવાર ઉજવે છે,
કોઈ વહેવારમાં પણ સ્વાર્થ ઉજવે છે...
વહેમ રાખી જીવતો નહીં કે સૌ કોઈ છે સાથે તારી,
બધા અહીં તો પોતાનાં જ સંતાપ ઉજવે છે
મિત્તલ પટેલ
" પરિભાષા"
mitalpatel56@gmail.com
Subscribe to:
Posts (Atom)