Monday, 26 October 2020

જીસીઈઆરટી શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત હોમ લર્નિંગ કાર્યક્રમમાં બાયસેગમાં મારી પ્રસ્તુતિ પબ્લિસ થઈ ચૂકી છે. જેની લીંક હું આપ સૌ સાથે શેર કરું છું. જેમાં ધોરણ 8 માં એકમ 9 પ્રાણીઓમાં પ્રજનન નો મારો લેસન સમાવિષ્ટ છે આ લીંક તેના પ્રથમ ભાગની છે.

https://youtu.be/QVY4pNXeKeI

Friday, 23 October 2020

     આવતા બુધ (28/10/20) અને ગુરુ (29/10/20) ના દિવસે મારો તાસ ડીડી ગિરનાર ચેનલ પર  પ્રસારિત થનાર છે....

ધોરણ.    -8
વિષય      -વિજ્ઞાન
સમય.      - [28/ 10 /20] ના રોજ 2: 30 કલાકે
                 [29/ 10/ 20] ના રોજ 2:45 કલાકે

   💫 તે જોઈ તમારો કીમતી અભિપ્રાય ચોક્કસથી આપજો...💫☺️




https://m.facebook.com/story.php?story_fbid=3653380158052702&id=100001422602254

ટૂંક સમયમાં ડીડી ગિરનાર ચેનલ પર આવી રહી છું........And also on ...BISAG AND E-CLASS

Thursday, 15 October 2020

     

સંબંધો સાચવવાનો..ય  થાક લાગે છે...
         એક ઓથાર હેઠળ જીવવાની ભાતી....
જાતને ભૂલીન જીહવળવાનોય..થાક લાગે છે...
 
કમોસમી વરસાદ હોય તોય શું!!
એ વ્યવહારને અવસર બનાવું તોય શું!!

પડછાયો થઇ પૂજાવાનોય.. થાક લાગે છે..
         તૂટી ને ફરી ફરી જોડાવાનોય... થાક લાગે છે...

                 વર્ષો વર્ષ જીવ્યા હોઈએ તો ય માત્ર વર્ષો વિતાવ્યા હોય એવું લાગે. ને ક્ષણોને જીવવાને બદલે ઓછાપામા હંમેશા ખોવાયેલ રહ્યા હોય એવું લાગે તો ચોક્કસ તમે થાકનો અનુભવ કરશો. સબંધો આખી જિંદગી માત્ર સાચવવામાં મથ્ય હોઈએ પણ સંબંધોને "જીવવામાં" ક્યારેય લક્ષ ન આપ્યું હોય તો જીવનના એક ચોક્કસ તબક્કે તમે ચોક્કસ થાકશો. જો તમે હતાશાને કાયમ છુપાવીને રાખતા હશો.. ગુસ્સો, તણાવ, આક્રોશ, પ્રેમાવેશ, લાગણીનો ઉભરો... ને કાયમ મનમાં દબાવી દેતા હો... કોઈ મિત્ર કે આત્મીયજન સાથે ક્યારેય ખુલ્લા મને રડી લેવાનું કે ખુલ્લા મને હસી લેવાની ક્ષણો ન વીતાવતા હો, કોઈની સમક્ષ વ્યક્ત ન થતાં હો.. તો માનસિક થાકની ચરમસિમા ચોક્કસ વહેલી આવશે.નજીકનાં આત્મીયજનો  માટે ઘણી બધી વાર કૃતજ્ઞતાનો ભાવ ઊભરાયો હોય પણ ક્યારેય "કદર" નું નામ આપી શબ્દ ભાવથી વ્યક્ત ન કર્યો હોય. તે વ્યક્તિની હયાતી માં તેનું પોતાનાં જીવનમાં સ્થાન અને મહત્વ ની તેને અનુભૂતિ કરાવી સંગાથે જીવનને એક ઉત્સવની જેમ ન ઉજવી શક્યા હો, તો તેની ગેરહાજરીમાં એકલતાનો થાક ચોક્કસ અનુભવશો.

થાક ક્ષણોને "જીવ્યાનો " નહીં...
        ક્ષણોને "વિતાવ્યા" નો લાગે છે....

         કામ કરવાં કરતાં કામ ન કર્યાનો થાક વધુ લાગે છે. નૈમિત્તિક કાર્યો સાચી નિષ્ઠાથી કરવાનો તો માત્ર મીઠો આત્મસંતોષ જ મળે છે. જો તમે તમારી નોકરી થી થાકી ગયા નો અનુભવ થાય તમારી દિનચર્યા થી, જવાબદારી નિભાવતા સતત ભારનો અનુભવ કરતા હો તો એનો અર્થ એ છે કે તમે તમારાં જીવનનાં આ કર્મસ્થળના અને નૈમિત્તિક કાર્યો પૂરેપૂરી નિષ્ઠાથી અને પૂરા મનથી, પોતાનું ૧૦૦% ડેડીકેશન આપીને નથી કરી રહ્યા. તેમાં હજી ઉણપ છે. જો તમે દિનભર માં જે પણ કાર્ય હાથમાં લો છો તેને સાચાં અર્થમાં જીવો. પૂરા મનથી જીવંતતા થી કરો, ઉત્સાહથી કરો, તમારા કામને તમે માણો, એન્જોય કરો, તો દિવસના અંતે પણ તમે ઉત્સાહથી તરબતર અને પ્રસન્નતાથી થનગનતા હશો. આ કાર્યથી જે આત્મસંતોષ તમને મળશે તેની લાલી અને આભા તમારા ચહેરા પર સ્પષ્ટ જોવા મળશે. અને યાદ રાખજો જો તમે આ રીતે જીવ્યા હશો તો જીવનના કોઇપણ મુકામે તમે ક્યારેય થાકનો અનુભવ નહીં કરો.

           દુનિયામાં આપણે ઘણા બધા માણસો થી જોડાયેલાં હોઈએ છે. લાગણીથી, કામકાજથી , કે સામાજિક રીતે. આ સંબંધોને પણ આપણે અલગ-અલગ કેટેગરીમાં વહેચી દીધા છે.સામાજિક રીતે જોડાયેલા હોઈએ તેમની જોડે સામાજિક સંબંધો  રાખવાનાં,પ્રસંગમાં હાજરી આપવાની 
ક્યારેક ફોન કરી ખબર અંતર પૂછવાની , સાજામાદા હોય તો ખબર કાઢવા જવાનું. કામકાજના સ્થળે હોય તેમની જોડે માત્ર પ્રોફેશનલ સબંધ... કામ હોય તો જ અને તેટલી જ વાત કરવાની, કો-ઓર્ડિનેશન થી ફોર્માલિટી વાળા સંબંધ રાખી દિવસનો 50% સમય  વ્યતીત કરવો.લાગણીથી બંધાયા હોઈએ  તેવા બાળકો ,પતિ-પત્ની ,માતા-પિતા ,ભાઈ-બહેન સાથે જ થોડો સમય લાગણી ભર્યો વ્યવહાર કરવાનો, નહીંતર એમાંથી પણ મોટા ભાગનો સમય મોબાઈલ મહારાજને પધરાવી દેવાનો. આ બધામાંથી ભાગ્યે જ કોકની સાથે આપણે આત્મીયતાથી જોડાયેલા હોઈએ છે. એમાંય પાછું આપની અપેક્ષા મુજબનું વર્તન ન કરે કે લાગણીનો પડઘો ન મળે તો તે આત્મીયતા પણ દુઃખદાયી નીવડે ને પાછાં "માણસ" મટીને "રોબોટ" બની જાઓ ને ફિટ કરેલા ડેટા મુજબ વ્યવહાર કરો, સંબંધો સાચવો ને જિંદગી પુરી. ભલે પોતાની સાચી જાત જે જીવંતતા થી ભરેલી છે તેને કાયમ  દબાવીને રાખી છે ક્યારેક તો ઉભરો ઠાલવશે ને આ રોબોટિક લાઈફ થી થાકી જશે. આ થાક "જીવ્યાનો" નથી.... "ન જીવાયાનો" છે.

           તો દરેક સંબંધ અને આપણી સાથે સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ સાથે આત્મીયતાથી કેમ  ન જીવી લઈએ!! સોસાયટીમાં વોચમેન હોય કે ઓફિસમાં સહકર્મચારી કે રસ્તે મળતું અજાણ્યું બાળક સરસ સ્માઈલ આપી, ક્યારેક ખબર અંતર પૂછી, આત્મીયતાથી જોડાઈને સાચા અર્થમાં કનેક્ટ કેમ ન થઈએ...!! જ્યારે તમે કોઈપણ અન્ય વ્યક્તિ સાથે પૂરેપૂરી આત્મીયતાથી કનેક્ટ થાઓ છો ત્યારે તમે પોતાની આત્મા સાથે, પોતાની જાત ને કનેક્ટ થતી અનુભવી શકો છો. અને તેની ખુશી તમારામાં સતત પ્રતિબિંબિત થતી રહે છે. જો તમે ડોક્ટર છો તો પેશન્ટ સાથે આત્મીયતાથી વર્તો. જો તમે એક શિક્ષક છો તો બાળકો સાથે આત્મીયતાથી જીવો. જો તમે વકીલ છો તો પોતાના દરેક કેસ સાથે આત્મીયતાથી જોડાવ.

          જો તમે "માણસ " છો તો દરેક "માણસ" સાથે "માનવતા"થી જોડાવ. તો "થાક" નામની વસ્તુનું અસ્તિત્વ તમારી જિંદગીમાં ક્યારેય નહીં હોય. કારણ કે તમે જીવન માત્ર વિતાવતા નથી દરેક ક્ષણને ,દરેક સંબંધને "જીવો" છો.

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

           

 

Wednesday, 30 September 2020


ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

દંભ- જાત ને છેતરવા માટે નો એક ઓથાર💫✍️


            વ્યવસાયલક્ષી શિક્ષણ શું અનુભવલક્ષી જ્ઞાન આપી શકે? જે ચિત્રહાર દુનિયા બતાવે તે ફાઈલ નાં સ્વરૂપમાં સન્મુખ થઈ શકે? કમાતા શીખવે તેવું જ્ઞાન ખપે કે જીવતા શીખવે તેવું જ્ઞાન પરવડે?જીવનમાં આવતી ભૂકંપો જેવી પરિસ્થિતિઓમાં, જે પોતાના અસ્તિત્વને જડમાંથી હચમચાવી નાખે તેમાં ટકી રહેતા અને ઉગરતા શીખવે તેવા શિક્ષણની પણ શું આવશ્યકતા નથી? ઘણુંય ભણેલાં વ્યક્તિઓ શું સહકાર, હુંફ, સંગાથની અપેક્ષામાં વલખાતા જીવન ટૂંકાવી દેતા જોવા નથી મળતા? તો શું ખૂટે છે? જીવનના પ્રારંભમાં સ્વ ને મજબુત બનાવવાની, જીવનનીલડાઈઓ માટે તૈયાર થવાની, ને હિંમતથી જીવનની દરેક પરિસ્થિતિ સામે હામ જીલવાની ક્ષમતા કેળવવાની જરૂર છે કે માત્ર ફર્સ્ટ ક્લાસના સર્ટીફીકેટ?પ્રેમની પરિભાષા અને માત્ર કવિતા સ્વરૂપમાં જ વાંચવાની તે લખવાની માનસિક આદત બનાવી દેવી છે કે માણસાઈ ને ધરમૂળમાંથી હચમચાવી નાંખનાર રેપ જેવા બનાવોને નજર અંદાજ ન કરતા ન કરતા રાવણ દહન કરવા સમાજે ભેગા મળીને ઊભા થવાની જરૂર છે? ઠેરઠેર છેતરપિંડીના કેસ જે પોલીસને ચોપડે નથી નોંધાતા ને ક્યારેય નોંધાવવાય નથી.તે પોતાનામાં રહેલા શેતાનને દૂર કરી ,માણસ માણસ પર વિશ્વાસ કરી શકે તેવાં સમાજની રચના કરવી છે કે માત્ર દંભ ના ઓઢા હેઠળ સમાજની આડ પાથરી માનસિક અસામાજીક પ્રવૃત્તિઓમાં જ રચ્યાપચ્યા રહેવું છે?.. કોઈના ઘરે દુઃખદ બનાવ બને છે , સોસાયટીમાં કોઈ પતિ પોતાની પત્નીને નિર્દય રીતે મારી રહ્યો છે તે ચીસો સંભળાય છે,સાસુ સસરા વહુ ને સતત માનસિક શારીરિક ત્રાસ આપી રહ્યા છે તમને અહેસાસ છે,  દેખાય છે છતાં તેમના ઘરનું એ ફોડે આપણે શું? શું આ માણસો સમાજમાં નથી આવતાં? આવા નિષ્ઠુર, દંભી સભ્ય સમાજ નાં અસ્તિત્વનો કોઈ અર્થ ખરો!!! કોઈપણ ધર્મ ,કોઈપણ જાતિ,કોઈપણ સમાજ જો માણસાયત ના શીખવી શકે તો તે બધા જ માત્ર દંભી જ છે. નાસ્તિક માણસ પણ જો કોઈની મદદે આવી શકતો હોય કોઈ મુશ્કેલી જોઈને મનમાં દયાભાવ ઉભરાતો હોય અને શક્ય એટલી મદદ હિંમત થી કરી જાણતો હોય તો તેનાથી વધારે ધાર્મિક માણસ આ દુનિયામાં કોઈ નથી.

           "દુનિયા સ્વાર્થી થઈ ગઈ છે"સૌના મોઢે થી સાંભળીએ છે. દુનિયા શાની બનેલી છે? માણસોની. તો શું તમે માણસ નથી? શું તમે દુનિયાનો હિસ્સો નથી? તો તમારાથી શરૂઆત કરો ને. કમ સે કમ તમે સ્વાર્થી ન થાવ. કમ સે કમ તમે માનવતા દાખવો. કમ સે કમ તમે સાચા અર્થમાં "માણસ" બનવાની હિંમત કેળવો.


              રસ્તે નીકળતી ગાડી પણ જો સિગ્નલ પર આવતા ઉભી રહેતી હોય તો આપણે તો માણસ છે. દંભનો આંચળા ઉતારી સરળ, નિર્ભિક ,સહજ બની જીવી શકીએ. હા ભૂલોને પણ સ્વીકારી માણસ હોવાનો ઉત્સવ ઉજવીએ. શા માટે એવું સાબિત કરવા સતત મથીએ કે હું તો ભૂલ  કરી જ ન શકુ. ભૂલ નહીં કરો તો આગળના રસ્તા પર ફાનસ સળગાવી સાવચેતીપૂર્વક ચાલતા શીખશો કઈ રીતે? ભૂલો તો રસ્તે આવતાં બમ્પ જેવા છે તે બમ્પ પહેલા બોર્ડ મારેલું છે ચેતવણી સ્વરૃપ છે કે  go slow,bump ahead. પણ છતાંય ભૂલ થાય છે. થોડીક સફળતા મળતા માણસ અહમ માં રાચવા માડે છે. ભૂલો તેમને વિનમ્ર બનતા શીખવાડે છે.આ "હું"એ સૌથી મોટો દંભ છે.

              દરેક વ્યવહારમાં કેલ્ક્યુલેશન. હું સામેથી સ્માઈલ કેમ આપુ ? તે હસે તો જ હું હસુ... હું સામેથી વાત કેમ કરું? કેટલીકવાર તો spouse સાથે પણ મતભેદ થયો હોય તો હું સામેથી કેમ જઉ.. તે મનાવવા આવે તો જ. અરે..... તમે માણસ છો કે કેલ્ક્યુલેટર? દરેક વસ્તુમાં ગણતરી.

            ખુશી સામેથી વ્યક્ત ન કરી શકો?ભૂલ સામેથી ન સ્વિકારી શકો? સરળ બની, હસીને, સહજતાથી દંભ વગર મસ્ત જીવી ન શકો? નાની નાની વસ્તુઓમાં જડતા અને વધુ પડતી આસક્તિ ને લીધે સતત થતી કચકચને પડતી મૂકી રઘવાયા મુક્ત જિંદગી જીવી લેવાની પહેલ અવશ્ય કરી શકાય.


મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

Sunday, 27 September 2020

આખેટ   ✨💫 અશ્વિની ભટ્ટ

"અકથ્ય સંવેદન"

"રૂમાલ માં સુગંધ સંતાઈ""

"ક્યાંક ક્યાંક ઝરણાનું પાણી અટવાઈને, કાળમીંઢ પથ્થરોમાં પડેલા મોટા ગબ્બામાં ભરાઈ રહ્યા હતાં".

"જીવનમાં કેટલાય પ્રસંગો અને પરિસ્થિતિઓ એવી હોય છે જ્યારે માણસે તેના કિલર ઈન્સ્ટીન્ક્ટ પર આધાર રાખવો જોઈએ . તેની સૌજન્યશીલતા કે વિવેક પર નહીં"

"પુરુષ ધૂંઆધાર હોવો જોઈએ.." "ધૂંઆધાર માણસો ના પ્રશ્નો પણ એવા જ જટીલ હોય
છે" "mysterious"ઇસ ધ પ્રોપર વર્ડ ફોર ઈટ".."એવાં માણસો નાં વ્યક્તિત્વ પણ તેવા જ હોય! નોન ટ્રાન્સપરન્ટ..."

"તું intuition માં... અંતઃસ્ફુરણા માં માને છે? અંતરમાંથી ઉઠતા સંવેદને તમે ક્યારેય કશું માર્ગદર્શન આપ્યું છે?.."

"તું વધુ પડતો નમ્ર અને સાલસ છે. ક્યારેક તેનાથી અનર્થ સર્જાય છે .આ જમાનામાં તેનાંથી વધું કશુંક જોઈએ..."

"પ્રેમની કોઈ માત્રા ન હોય, પ્રેમ તો સો ટકા જ હોઈ શકે તેમાં કોઈ બીજી ટકાવારી ન હોય..."

"સંગેમરમરથી મઢેલા દહાલના થળા પર એક અનુપમ ગઝલ રચાઈ.. જેના કોઈ શબ્દો ન હતાં. જેના રદીફ અને કાફિયા માં એક જ શબ્દ હતો.. ઇશ્ક"

"પુરુષ અને પ્રકૃતિ, આત્મૈકય અને આસક્તિ"

"ઝઝૂમવું તે જ તો માણસ હોવાનું તાત્પર્ય છે. તે જ તો તેનું સત્વ છે..."

"અપાર સુખની પળો શાશ્વત નથી હોતી. એકાએક જ તેનો અંત આવે છે"

"જે સ્પંદનો નું સંગીત સર્જાઇ રહ્યું હતું, તેને આસવાનો નશો ચડી રહ્યો હતો..."
"કોઈ અસ્ફુટ શક્તિ, કોઈ અગમ ઉર્જા, કોઈ અલૌકિક એન્કાઉન્ટરની મર્યાદામાં તે જકડાઈ ગઈ હતી"
"પુરુષ ખડક જેવો હોવો જોઈએ..જે "પૈસાને " એક લક્ષ્ય તરીકે નહીં પણ એક સાધન તરીકે જોઈ શકે...જે મુસીબતમાં પણ એવો જ હોય અને વિજયની પળોમાં પણ "સ્વ " ગુમાવતો ન હોય.."

"માણસ નું વક્તવ્ય ,તેનો દેખાવ, તેની રહન-સહન, એ તેનું વ્યક્તિત્વ નથી... તેનું વ્યક્તિત્વ તેના વાસ્તવ- દર્શન પ્રત્યેનાં અભિગમ થી છતું થાય છે... અને એ અભિગમ વાસ્તવ ના અનુભવ વગર અશક્ય છે.."

✨ કેટલાક નવા શબ્દ પણ મળ્યા..

"સ્પંદનો નું સંગીત"
"નિર્વાચ વાતચીત"
"આશ્રવ"
"અભિસંગની ઉષ્મા"
"નશાર્ત"
"નેપથ્ય"

Now reading part-3 of...."આખેટ"

થોડુંક ઈરીટેટીંગ કેરેક્ટર માલતી નું લાગ્યું....