Sunday, 28 June 2020

🌿   મારી રેગ્યુલર કોલમ.."અંતરના ઝરુખે"નો લેખ..🏹📝💫☕☕

TQM--ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ


     "કૈઝેન"એ એક જાપાનીઝ શબ્દ છે. તેનો અર્થ થાય છે."કન્ટિન્યુઅસ ઈમ્પ્રુવમેન્ટ". આ કોન્સેપ્ટ વર્લ્ડ વોર-2 પછી જ્યારે જાપાન આર્થિક રીતે અને બીજી બધી રીતે પડી ભાગ્યું હતું ત્યારબાદ પોતાની ઇકોનોમીને અને પુરા દેશને રીબિલ્ડ કરવા માટે જાપાન  દ્વારા આ નવાં TQM(ટી ક્યુ એમ)  કોન્સેપ્ટ ને એપ્લાય કરવામાં આવ્યો હતો. અને આ કોન્સેપ્ટથી ખુબ ઓછા સમયમાં આર્થિક રીતે અને ટેક્નોલોજીની દ્રષ્ટિએ હરણફાળ ભરી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું.
          
        " કૈઝેન"  કોન્સેપ્ટમાં દરેક ફિલ્ડમાં ચાહે સરકારમાં હોય ,બેન્કિંગ માં હોય, હેલ્થ કેરમાં હોય ,શિક્ષણમાં હોય, લાઈફ કોચિંગમાં હોય કે,કોઈ પણ બિઝનેસમાં હોય  દરેક એમ્પ્લોય "ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ "એટલે કે "સો ટકા ક્વોલિટી વર્ક " કરે એવો પ્રયત્ન કરવામાં આવે છે."સતત ઇમ્પ્રૂવમેન્ટ" એ તેમનું લક્ષ્ય હોય છે. નાનામાં નાના વર્કર થી માંડી મોટા મોટા પદ પરનાં દરેક વ્યક્તિઓ પોતાનું કામ ૧૦૦% ક્વોલિટી વાળું કરવાનો નિર્ધાર કરે છે.

       TQM( ટી ક્યુ એમ )ના કોન્સેપ્ટ ની શોધ એડવર્ડ ડેમિંગ દ્વારા કરવામાં આવી. તેના દ્વારા આ કોન્સેપ્ટને  ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો . તેની મદદથી જાપાનની ઝળહળતી સફળતા બાદ વિશ્વના અનેક દેશોએ અને અનેક મોટી કંપની તથા સંસ્થાઓએ આ કોન્સેપ્ટ  દ્વારા સફળતા હાંસલ કરી.

             ઓટોમોબાઇલ કંપની ટોયોટા એ  "ટી ક્યુ એમ" કોન્સેપ્ટ દ્વારા સફળતા હાંસલ કરનાર એક મહત્વનું એક્ઝામ્પલ છે. ટોયોટાએ "ટી ક્યુ એમ "અને કૈઝેન ને અપનાવી સંસ્થાના દરેક લેવલ પર ગુણવત્તાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ કાર્ય કર્યું. ટોયોટા એ (એસ ક્યુ સી) સેટિસ્ફાઇડ ક્વોલીટી કંટ્રોલ ને ૧૯૪૯ માં અપનાવ્યું. 1965માં તેને ક્વોલિટી ઈમ્પ્રુવમેન્ટ માટે "ડેમિંગ એપ્લિકેશન પ્રાઈઝ "એવોર્ડ આપવામાં આવ્યો. આ એવોર્ડ  "ટી ક્યુ એમ "નાં શોધક એડવર્ડ્સ ડેમિંગ ની યાદમાં અપાય છે.1994 માં "ટોયોટા ગ્રુપ એક્ઝિક્યુટીવ ટી ક્યુ એમ "ટ્રેનિંગ કોર્સ તેને શરૂ કર્યો. જેના દ્વારા નવા એમ્પ્લોઈ ને  "ટી ક્યુ એમ "ની ટ્રેનીંગ આપવામાં આવતી.

           "ટી ક્યુ એમ " થી સફળતા મેળવનાર કંપનીનું  બીજું ઉદાહરણ છે ઇન્ડિયા બેસ્ટ કંપની' ટાટા સ્ટીલ'. જેને 1980 માં "ટી ક્યુ એમ "માં તેને ડેમિંગ એપ્લિકેશન પ્રાઈઝ એવોર્ડ મળ્યો તેને ગ્રાહકોની જરૂરિયાત ને ઉડાન પૂર્વક સમજી તેના માટે ક્વોલિટી બેઝ્ડ મેથોડોલોજી એપ્લાય કરી.2008માં ટાટા સ્ટીલ એ "પરફોર્મન્સ ઇમ્પ્રૂવમેન્ટ કમિટી" (પી આઈ સી)  ની સ્થાપના કરી. સતત પરફોર્મન્સ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા આ "પી આઈ સી " ગ્રુપ એ સ્ટીલ મેકીંગ, ફ્લેટ રોલિંગ, આયર્ન મેકીંગ,લોગ રોલિગ વગેરેને એસ્ટાબ્લીશ કર્યા.

                 કર્ણાટકમાં ઉચ્ચ શિક્ષણ માટે NAAC નાં સપોર્ટ થી  "ટી ક્યુ એમ મુવમેન્ટ" લોન્ચ કરવામાં આવી છે.તેમનો ધ્યેય કર્ણાટકને વર્લ્ડક્લાસ એજ્યુકેશન કેપિટલ ઓફ ઇન્ડિયા બનાવવાનો છે. શિક્ષણમાં જ્યાં સુધી તમારો દ્રષ્ટિકોણ અને માઈન્ડ સેન્ટ ચેન્જ નહીં થાય ત્યાં સુધી એજ્યુકેશન ની ક્વોલેટી માં ક્યારેય સુધારો થવાનો નથી."ટી ક્યુ એમ "એ આપના સિદ્ધાંતો ,પદ્ધતિઓ ,કામ ,ટેવો મેનેજમેન્ટ ,સાધનો, પદ્ધતિઓનું હાર્મોનિકલ ક્વોલિટી વર્ક
છે.

   
             આપણે  કોઈ પણ નોકરી કરતાં હોઈએ , કોઈ પણ ધંધો કરતા હોઈએ કે કોઈ પણ ફિલ્ડમાં જોબ કરતાં હોઈએ આપણે આપણી જાતને આટલા પ્રશ્નો અવશ્ય પૂછવા જોઈએ...."આપનો આ ફિલ્ડમાં આવવાનો હેતુ શું છે?"આપણને શું નીપજ જોઈએ છે?". "શું હું જેટલો પગાર લઉં છું એટલું કામ કરું છું ખરો??" મારાં બિઝનેસમાં હું મારા કસ્ટમરને તેના પૈસા મુજબ  વળતર આપું છું ખરો?? " "મેં જીવનમાં આગળ વધવા માટે જે રસ્તો પસંદ કર્યો છે શું તે સાચો છે??"ઉદાહરણ તરીકે જો હું શિક્ષક છું તો હું મારા બાળકોના સર્વાંગી વિકાસ માટે પૂરતા પ્રયત્નો કરું છું ખરો?? મારી જોબ નૈતિકતાની છે . મારી  કામમાં ચુક થી આટલાં બધાં બાળકો ની જીવન પર વિપરીત અસર થશે. આટલા બધાં બાળકોના જીવનને આકાર આપી રહ્યો છું જેનાંથી આપણો ભાવિ દેશ બનવાનો છે. જેનાંથી આપણું ભાવિ સમાજ બનવાનો છે. શું મારી ફરજ બરાબર રીતે નિભાવી રહ્યો છું ખરો? તેમના માં બાપ એ તેમના  બાળકો નાં નાના-નાના હાથને  તમને સોંપી,તમારા ભરોસે મૂકી ભવિષ્યની કેડી કંડારવા દોરી આપી દીધી છે તો શું તમે તે જવાબદારી નિભાવવા સક્ષમ છો? અથવા સારી રીતે નિભાવી રહ્યા છો ખરા? આ પ્રશ્નો થોડાં થોડાં સમયે પોતાની જાતને અવશ્ય પૂછવા જોઈએ.

               ક્વોલિટી વર્ક કરવાની આદત આપણે પોતે પોતાના માટે કેળવવાની છે. સરકાર આ અભિગમ એપ્લાય કરશે કે આપની સંસ્થા કંપની કે ક્ષેત્રમાં આ "ટી ક્યુ એમ "એપ્લાય કરવામાં આવશે ત્યારે આપણે સારી રીતે કામ કરીશું તેવી અપેક્ષા રાખ્યા વગર આ ગુણ આપણે સૌએ "સેલ્ફ ઇમ્પ્રૂવમેન્ટ" નાં એક ભાગરૂપે કેળવવો જોઈએ.નાનામાં નાનું કામ પણ કરો તો તે પણ હન્ડ્રેડ પર્સન્ટ ક્વોલિટી વાળું કરો તો મોટા કામ ઓટોમેટીક શ્રેષ્ઠ ગુણવત્તા વાળા ચોક્કસ કરી શકશો.દરેક વ્યક્તિ શ્રેષ્ઠ સક્ષમ અને અનેક ક્ષમતાઓ થી ભરપુર છે પણ જેમ સૂર્યનાં કિરણો એક જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવે તો તેની ઊર્જા એ અનેક ગણી વધી જાય છે ને પ્રોડક્ટિવ વર્ક થઈ શકે છે. તેવી જ રીતે તમે જે પણ ક્ષેત્રમાં કાર્ય કરતા હોવ તમારું કામ કોઈપણ બહાનાબાજી કે છટકબારી શોધ્યા વગર તે કાર્ય કરવા માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરો. એવું નથી કે ઓવર ટાઈમ વર્ક કરવાનું.માત્ર આઠ કે નવ કલાકની જે તમારી નોકરી છે તેમજ માત્ર એટલા જ કલાક તમે સો ટકા એમાં ઇનવોલ્વ થઈ તમારું શ્રેષ્ઠતમ તેમાં આપો. આમ પણ આઠ નવ કલાક તમે જે તે કંપની, સંસ્થા કે શાળા કે તમારુ જે પણ ક્ષેત્ર હોય તેમાં તમે રહેવાના જ છો... કામ સારી રીતે કરશો તો પણ...ને નહીં કરો તો પણ. તો નકામી વસ્તુઓ માં સમય બગાડ્યા વગર જે કામ માટે તમને વળતર મળે છે. ઓળખ મળે છે. અને તમારી ફરજ પણ છે. તો એમાં હન્ડ્રેડ પર્સન્ટ એ કામને માટે  શા માટે ન આપીએ? સૌથી મોટો ફાયદો તેનાથી તમને જે કાર્ય સંતોષ મળશે જે ખુશી મળશે તે કરોડો રૂપિયા કમાવા થી પણ નહીં મળે. ને તેનાથી રવિવાર ના આરામ બાદ સોમવાર તમને ઓળખામનો નહીં લાગે!!

થઈ શકે તો ખુદને ખૂંપાવી જો તું કર્મ માં....
      નૈમિત્તિક એ કાર્યોને તું નીભાવી જા સાચા મર્મ માં...
તેનાથી જ ઝંઝાવાતો માં ટકી જઈશ તું.....
          જીવી જઈશ સાચા અર્થમાં......

મિત્તલ પટેલ
"પરિભાષા "
અમદાવાદ

       

 

Thursday, 25 June 2020

આણંદથી પબ્લિસ થતા "ગુર્જર ગર્જના "ન્યુઝ પેપરમાં મારો લેખ..💫✍️

ખોટાને ખોટું તરત કહેવાય છે... તો સાચાં ને સાચું કેમ તરત કહેવાતું નથી...!!!!🕯️🌀🤔

      કીટલી થાય ગરમ..એટલી કે....
            ત્યાં ચ્હા ય લાગે  ઠંડી...!!
       વહેલી થાય ગરમ એટલી જ
              ધોવાતી થાય જલ્દી....

            દૂધ ગરમ થાય પછી ઠંડુ પણ સાતત્યપૂર્ણ રીતે થાય છે. ચ્હા નું વ્યક્તિત્વ તેની ઉષ્માની પરિભાષા છે. પણ તે જેમાં ભરવામાં આવે છે તે કીટલી ઉછીની લીધેલ ગરમીથી હંમેશા વધું તપતી હોય છે. ને વધું દઝાડતી હોય છે. આપણું આપણાં બાહ્ય દેખાવ, બાહ્યવ્યક્તિત્વ, બાહ્ય આવરણ અને બાહ્ય સંબંધ સાથે જોડાણની આસક્તિ પણ આ કીટલી જેવી જ હોય છે. જ્યાં સુધી ચ્હારુપી આતમ તેની ભીતર ઝળકે છે. ત્યાં સુધી જ તેની મહત્તા છે. ત્યાં સુધી જ તેનું અસ્તિત્વ છે. તે જ તેનું સાચું સ્વરૂપ છે છતાં આપને મહત્વ કીટલી રુપી બાહ્યાવરણને જ આપીએ છીએ.

         ક્યારેય કોઈ શબને વધારે દિવસ સુધી ઘરમાં રાખી મૂકે છે!!! આ તે જ શબ છે જે માત્ર થોડી ક્ષણો પહેલાં જ જીવંત ,કેટલાય સંબંધો માં જીવતું, કેટલીય પોતાની વ્યક્તિઓ સાથે આત્મીયતાથી બંધાયેલ, ઘરમાં જેની રોજ રાહ જોવાતી હોય, જેના પ્રેઝન્સ માં ઘરમાં ઉત્સવ રહેતો હોય,  જેને કારણે એક મકાન ઘર બનતું હોય ... ને જે પોતાના ઘરનો એક અમૂલ્ય ઘરેણું હોય છે. તેના જ બાહ્ય આવરણ જ્યારે આત્માનાં પ્રભાવથી મુક્ત થઈ જાય છે ત્યારે તેને ઘરમાં એક દિવસ થી વધુ રાખવા કોઈનું મન નથી માનતું... શા માટે!! સબંધ, લાગણી, પ્રેમ ,સંવેદના, આત્મીયતા એ આતમરૂપી ચેતના સાથે હોય છે.. બાહ્ય આવરણ સાથે નહીં. અને જો હોય તો તે માત્ર ક્ષણિક હોય છે અથવા ભ્રમ હોય છે. સાતત્યપૂર્ણ પ્રેમ, જોડાણ,સંબંધ આત્મા સાથે જ હોઈ શકે છે. બાકીનું બધું સ્વાર્થી છે.કેટલીક વાર પોતાના ભાઈ સાથે સંબંધો સાતત્યપૂર્ણ નથી હોતા અને અજાણ્યા મિત્ર સાથે આત્મીયતા ભરપૂર સતત અનુભવતી હોય છે. જેની આગળ મૂકી રડી શકાય છે, મન મૂકીને હસી શકાય છે અને ત્યાં જ મન મૂકીને "જીવી"શકાય છે.

મિત્તલ પટેલ 
"પરિભાષા "
અમદાવાદ

Saturday, 20 June 2020


સાચા પડછાયાને 👥 શોધવાની વાત છે....


મને મારાં સુધી પહોંચાડતી નિસરણી ની વાત છે.....🈷️
                પામી શકાય ખુદને એ અવતરણની વાત છે..💬


તારો✨ નથી કે.... તૂટીને ખરી જશે...
             આ તો "તારા"માં તારો બની ખરવાની વાત છે..🌠


પારિજાત🌼 સમ રોજ ખરીને... ફરી....
              તારામાં જ ઊગવાની વાત છે...


કોડીયા બહાર અંધારું .. તેથી જ ...🕯️
            પરીઘ🔴 દોરી તારાં વ્યાસ માં જ ત્રિજ્યા બનવાની વાત છે

    
આભાસી વ્યોમમાં 🗨️આભ આખું આરસી...
         એ આરસીમાં સાચા પડછાયાને👥 શોધવાની વાત છે...


સુરજની રજ નો થાય અસ્ત તે ક્ષણે...🌕🌔🌓🌒
           ખુદેશ્વર પહેલા તારાં માં જ સમવાની વાત છે...👣


મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

Monday, 15 June 2020

મુંબઈથી પબ્લિશ થતાં .. " સર્જનહાર" મેગેઝીનનાં..... જૂન -2020 અંકમાં મારો લેખ

💫સરનામાં વગરની ટપાલ આપણે...


          ને ટપાલી નો કાઢીએ વાંક...!!!🗃️🗞️❣️✍️



રસ્તે ફૂલો મળે ને પૂછે ડાળી નું સરનામું...
      તૂટેલા તોય જોડાયેલાં આવાં સગપણને....
ક્યાં વાંકે દંડ્યા હશે.......!!!!!!!!

                      ખડિયા પાસે અંધારું જઈને પૂછે છે કે...:"સળગવું તારું લીપણ કરે છે મારાં પોત પર.... તું મને રંગે છે કે... મને તારા માં તરબોળ કરે છે!! અને હા આ ઓળઘોળ થવાનો સંબંધ આપણો.... શું પેલી દીવેટ નાં વાંકે છે..????"

‌        જીવનમાં તકલીફ નો સમય આવે, આપણા ધાર્યા મુજબનું ન થાય ત્યારે આપણે અન્ય વ્યક્તિનો ,સંજોગનો, નસીબનો...કંઈ નહીં તો છેલ્લે ઈશ્વરનો વાંક શોધવા બેસી જતાં હોઈએ છે.. પણ જ્યારે સુખનો સમય હોય, આપણું ધારેલું જ બધું થતું હોય ત્યારે.. તેની પાછળ કોનો સહયોગ છે નિમિત્તતાછે તે વિશે વિચાર કરવાની ફુરસદ ક્યારેય મળતી નથી..મુશ્કેલીના સમયમાં કોઈનો કે કશાક નો વાંક જોઈ જોઈને દુઃખી થવું તેનાં કરતાં તેનો ઉપાય શોધવામાં ,વિકલ્પ શોધવામાં મન મગજને કામે લગાડીએ તો  જલ્દીથી એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીએ.. અને પોતાના મનની તંદુરસ્તી પણ જળવાઈ રહે. નસીબ અને  અન્ય વ્યક્તિનો વાંક જ જોયા કરવાથી કે વિચાર્યા કરવાથી તમારું મન સતત વ્યગ્ર રહે અને નકારાત્મકતા નું કારખાનું બને  ને તેની  નીપજરુપે માત્ર પીડા મળે તેવું કરતાં અટકાવી કારક નહીં કારણ શોધીએ..

કારક કરતાં કારણ શોધીએ છીએ ત્યારે આપણે વધુ સમૃદ્ધ બનીએ છીએ...

             વરસાદમાં રસ્તાઓ ધોવાય, કપચી છૂટી પડે, ખાડા બને, તો એ માટે વરસાદ કારણ તો છે પણ તે માત્ર નિમિત્ત છે. રસ્તા પર ખાડા પાડવા માટે વરસાદ નથી પડતો... પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે તે પૃથ્વી પર અવતરે છે... રસ્તાની મજબૂતાઈ તેનું કારણ છે તો તેને સુધારી વધુ સારો રસ્તો બનાવી શકાય .. આવી જ ભૂલ કરીએ છીએ જ્યારે આપણે અન્ય ને વાંક દ્રષ્ટિથી જોતા હોઈએ છીએ.... 

            કેટલાક લોકો વાંકદેખા હોય છે તેઓને દરેક વ્યક્તિ માં,દરેક પરિસ્થિતિમાં કંઈકને કંઈક   ભૂલ જ દેખાય છે. સારું જોઈ શકતા નથી કારણ કે તે જોવાનો દ્રષ્ટિકોણ નથી જો આ બધું આપણામાંથી કોક નો હોય તો તેને સુધારી શકવા  આપણે સક્ષમ છીએ.. જો આપણે પોતાનામાં રહેલી ખામી જોવા સક્ષમ હોઈએ તો.....!! ‌

           આપણે સૌ ઈશ્વરનાં માત્ર કઠપૂતળી જેવા છે. જીવનના કયા વળાંકે સુખ આવશે ને...કયા વળાંકે દુઃખ તે કળવું પણ આપણા માટે શક્ય નથી.. ને આ સુખ અને દુઃખ માટે કોણ નિમિત્ત બનશે એ પણ ઇશ્વર જ જાણે છે... હકીકતમાં તે તો માત્ર નિમિત્ત છે નિર્માતા તો ઈશ્વર છે. ...તો આપણે જે નિમિત્ત છે તેનો વાંક કઈ રીતે જોઈ શકીએ!!ને ઈશ્વરનોવાંક કાઢવાં કે જોવા આપણે સક્ષમ નથી.. કેમ કે તેમની લીલા અકળ છે અભેદ છે...

         તે તો  સુખની અનુભૂતિ માટે દુઃખ આપે છે અને દુઃખની અનુભૂતિ માટે સુખ આપે છે...

        આપણે વાંકદેખા નથી બનવાનું ગુણદેખા બનવાનું છે. આ ગુરુચાવી છે સુખી થવાની. ખખડધજ દીવાલને ય ભેજ મળતાં તેને કૂંપળ ફૂટી નીકળે છે... તો વ્યક્તિનાં મનને પણ સંવેદનાથી સ્પર્શો તો લાગણીની કૂંપળ શું ... ઝરણાં ફૂટી નીકળે છે!!! કોઈ કોઈના તરફ વાંક  દ્રષ્ટિથી ન જુએ ને સમદ્રષ્ટિ થી જુએ, પ્રેમદ્રષ્ટીથી જુએ તો આખી દુનિયા પ્રસન્નતાના ઝરણાથી તરબતર થઈને જીવી શકે...તકલીફ સહન કરવાની શક્તિ તો એકબીજાની આત્મીયતાથી આપોઆપ જ મળી જતી હોય છે. જેટલું જીવે દરેક વ્યક્તિ એકબીજાના પડખે ઉભા રહી આત્મીયતાથી ઓતપ્રોત થઈને જીવી શકે.. તો બધું જ સમ બની જાય.. ક્યાંય ભેદભાવ, ઊંચું નીચું, વધારે ઓછા ની ભાવના ને કોઈ સ્થાન ન રહે.

            કોઈ નો વાંક દેખાવો કે કોઈ નો વાંક જોઈ લેવો.. ગુનો પણ નથી કે ખોટું પણ નથી પણ વાંકદ્રષ્ટિ રાખવી ખોટું છે.. બધાનો વાંક જ માત્ર જોવાની દ્રષ્ટિ ના કેળવાઈ જાય.. તેવો આપણો દ્રષ્ટિકોણ ન બની જાય તે જોવું જરૂરી છે. ક્યારેક આપણને કોઈ વ્યક્તિ અનિચ્છનીય કોઈ પરિસ્થિતિ માટે જવાબદાર જણાય તો તે વ્યક્તિ સંપૂર્ણપણે ખોટી છે એમ માની લેવું ખોટું છે.હા તે વ્યક્તિનો વાંક હોઈ શકે, તેના માં કેટલીક બાબતો ખોટી હોઈ શકે પણ ..આપણે આપણી દ્રષ્ટિ ને એવી કેળવેલી હોય છે કે આપણે  તેનાં વાંક કે તે ગુણને લઈને તે વ્યક્તિના આખેઆખા વ્યક્તિત્ત્વ ને મુલવીએ છીએ... એવું પણ હોઈ શકે કે તેનામાં તેના સિવાય ઘણાં બધા ગુણ બહુ સારા હોય... જે તેના આવા ખોટા થોડા ગુણ જેને કારણે તે વાંક માં આવ્યો છે તે તેની આગળ નહીંવત લાગે... પણ તેને જોવાની દરકાર આપણે કેળવતા નથી તે ખોટું છે. આપણી બારીમાંથી દેખાતું દ્રશ્ય તેની બારીમાંથી અલગ દેખાતું હોઈ શકે. આપની દ્રષ્ટિએ જે પરિસ્થિતિ જેવી દેખાતી હોય છે અને તેને જે વર્તન દેખાય છે... તે સમયે તેની જિંદગીના પાસાઓ કંઈક અલગ રીતે ગોઠવાયેલા હોઈ શકે... તેમાં તેણે તે કરવું કદાચ યોગ્ય લાગી શકે અથવા તે કરવા સિવાય અન્ય કોઇ ઓપ્શન ન પણ રહી ગયો હોય.ક્યારેય આપણી સામે વાળી વ્યક્તિ પર આંગળી કરતા પહેલા તેના સ્થાને પોતાને મૂકી..તેની જીવન પરિસ્થિતિમાં પોતાને શું અનુભવાતું હશે એવું જાણવા પ્રયત્ન પણ કરીએ છીએ ખરા?? જો એવું કરી શકીએ તો મોટાભાગના આપણાં તે વ્યક્તિ માટે ના ભેદભાવ, દેખાતી તેની ભૂલો, વાંક બધું ઓછું થઈ જાય ને તેને વધું સમજી શકીએ એવું પણ બને.

      તું કર ઉંગલી મેં બઢાઉંગા હાથ..
           તેરી ઉંગલી પકડકર કર દુંગા મેરે સાથ...

      તું ઠહર જરા...મત નકાર મુજે...
              મેં હું આયના...દીખુગા તુમ્હારે હી સાથ...
    
      સચ જાણ લીયા તો ક્યાં જાણ લીયા મુજે..???
          શહદ સે બઢકર મીઠાં તો વક્ત ભી લગતા હૈ!!
    
     મેરે વક્ત પે  ઠહરકર દેખના કભી...
            સોચ નહીં નજરીયા બદલ જાયેગા...
                        પાઓગે ખુદ કો મેરે હી સાથ..

  
               વાંકદેખા  કેટલાક વ્યક્તિઓ આપણી આસપાસ હોય છે... તેઓ માટે ગમે તેટલા સારા બનો..સારપ તેઓ જોઈ શક્તા નથી... માટે તે પ્રયત્ન જ કરવાનું છોડી દો... પોતે જેવા છો તેવા જ રહો....ઓરીજનલ.. કોઈના માટે સારું બનવા કે સારુ બતાવવા પોતાને બદલવાની જરૂર નથી. પોતાના" સ્વ"પોતને ટકાવી રાખવું, રંગબેરંગી કલર બદલતાં લોકો વચ્ચે પોતાની ઓરીજનાલીટીને ટકાવી રાખવી. સહજ, સરળ બની રહેવું અને... પોતાના અંતરાત્માના અવાજને અનુસરી તેના પર મક્કમ રીતે બની રહેવું....ને તેની જ જરુર છે આ મિથ્યા જગતમાં ગ્રહ નહીં...તારો બની રહેવાં....

  
સરનામાં વગરની ટપાલ આપણે...
        ને ટપાલી નો કાઢીએ વાંક..!!!
   ત્રુટીઓ,ભુલો, ખામીથી ઘડાયેલ..
         તોય બીજાને ગુનેગાર આંકીએ એ ક્યાં ની વાત...!!!


મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com
        
 
         

      

          

        

Thursday, 11 June 2020

""વર્તમાન સમયમાં બાળકો ની મનોસ્થિતિ નું અનાવરણ...."💫❣️☺️☺️

‌", read it on Pratilipi :
https://gujarati.pratilipi.com/story/%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A3-%E2%80%8C-zaly3g9phctf?utm_source=android&utm_campaign=content_share
Read, write and listen to unlimited contents in Indian languages absolutely free